તારણપંથ

વિકિપીડિયામાંથી

તારણપંથ એ એક દિગંબર જૈન પંથ છે.

વિવરણ[ફેરફાર કરો]

તેની સ્થાપના મધ્ય ભારતના બુંદેલખંડ વિસ્તારમાં ઈ.સ. ૧૫૦૫ આસપાસ સંત તારણે કરી હતી. આ પંથ મૂર્તિપૂજાને માન્યતા આપતો નથી. તે આત્મજ્ઞાનની પ્રાપ્તિને પ્રાધાન્ય આપે છે. તારણ સ્વામી દ્વારા આ પંથ માટે ૧૪ ગ્રંથોની રચના કરવામાં આવી હતી. આ પંથના અનુયાયીઓ મૂર્તિપૂજા કરતા નથી. તેઓ ચૈત્યાલયોમાં રાખવામાં આવેલ શાસ્ત્રોને સન્માન આપે છે.[૧]. આ પંથમાં તારણ સ્વામી દ્વારા રચિત ગ્રંથો ઉપરાંત દિગંબર જૈન આચાર્યો દ્વારા રચિત ગ્રંથોને પણ માન્યતા છે.[૨] તારણ સ્વામીનો પ્રભાવ મધ્ય ભારતના કેટલાક વિસ્તાર પૂરતો જ રહ્યો હતો. આજે પણ મધ્ય ભારતના પ્રાંતોમાં આ પંથના અનુયાયીઓ છે.

તીર્થ[ફેરફાર કરો]

તારણ પંથના ચાર તીર્થો છે:

અન્ય તીર્થો[ફેરફાર કરો]

  • ગ્યારસપુર
  • હિમાયુ પાન્ડે
  • શિખર જી
  • ગઢૌલા

સમુદાય[ફેરફાર કરો]

તારણ પંથમાં ૬ સમુદાયો છે.

  • સમૈયા
  • અસાટી
  • ચરણાગરે
  • દોસકે
  • ગોલાલારે

તહેવારો[ફેરફાર કરો]

વસ્તી[ફેરફાર કરો]

તારણપંથના લોકો ભારતના ચૌદ રાજ્યોના ૮૪ જિલ્લોઓના ૪૫૦ ગામ અને શહેરોમાં વસે છે. તારણ પંથની સૌથી વધારે વસ્તી ગંજબાસૌદા અને ભોપાલમાં છે. તારણપંથની વસ્તી ૨૦,૦૦૦થી ૧૦૦,૦૦૦ છે.

ચૈત્યાલય[ફેરફાર કરો]

તારણપંથના મંદિરો ને ચૈત્યાલય કહેવામાં આવે છે. કુલ ચૈત્યાલયોની સંખ્યા ૧૬૮ છે જેમાં સૌથી વધારે ૫ ચૈત્યાલયો ગંજબાસૌદામાં આવેલા છે. ચૈત્યાલયોની પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ત્રણ દિવસ ચાલે છે. જેમાં પ્રથમ દિવસે ધ્વજારોહણ, અસ્થાપ, બીજા દિવસે કલશારોહણ, પાલકીમહોત્સવ અને ત્રીજા દિવસ વેદી સૂતન અને તિલક મહોત્સવ થાય છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Smarika, Sarva Dharma Sammelan, 1974, Taran Taran Samaj, Jabalpur
  2. "Books I have Loved". Osho.nl. મૂળ માંથી 2012-05-17 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ ડિસેમ્બર ૨૦૧૫.