અશોકનગર જિલ્લો

વિકિપીડિયામાંથી

અશોકનગર જિલ્લો ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલા કુલ ૫૦ (પચાસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. અશોકનગર જિલ્લાનું મુખ્ય મથક અશોકનગર શહેરમાં આવેલું છે.

આ જિલ્લાનું કુલ ક્ષેત્રફળ ૪૬૭૩.૯૪ ચોરસ કિલોમીટર જેટલો છે. આ જિલ્લાની સરહદો પૂર્વ દિશામાં બેતવા નદી વડે ઘેરાયેલી છે, જેના વડે આ જિલ્લો ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા લલિતપુર જિલ્લા સાથે અને મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલા સાગર જિલ્લા સાથે અલગ કરે છે. વિદિશા જિલ્લો આ જિલ્લાની દક્ષિણ દિશાની સરહદ પર આવેલો છે. સિંધ નદી આ જિલ્લાની પશ્ચિમ દિશાની સરહદ બનાવે છે તેમજ ગુના જિલ્લાને આ જિલ્લાથી અલગ કરે છે. શિવપુરી જિલ્લો ઉત્તર દિશામાં આવેલો છે. આ જિલ્લાની કુલ વસ્તી ૬,૮૮,૯૨૦ (વસ્તીગણતરી ૨૦૦૧ મુજબ) જેટલી છે.