લખાણ પર જાઓ

પચ્છેગામ (તા. વલ્લભીપુર)

વિકિપીડિયામાંથી
પચ્છેગામ (તા. વલ્લભીપુર)
  ગામ  
પચ્છેગામ (તા. વલ્લભીપુર)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°55′06″N 71°51′04″E / 21.918363°N 71.851137°E / 21.918363; 71.851137
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભાવનગર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

પચ્છેગામ (તા. વલ્લભીપુર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા વલ્લભીપુર તાલુકામાં આવેલું એક ગામ છે.[]

આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.[]

ધાર્મિક સ્થળો

[ફેરફાર કરો]

પચ્છેગામમાં આવેલ દેવસ્થાનોની યાદી નીચે મુજબ છે:[]

  1. ભૂતનાથ મહાદેવ
  2. મુરલીધરનું મંદિર
  3. ચામુંડા માતાજીનું મંદિર
  4. નાગ દેવતાનું મંદિર
  5. ખોડિયાર માતાજીનું મંદિર
  6. ભાથીજી મહારાજનો ઓટો
  7. નવદુર્ગાનું મંદિર
  8. સંતરામ મંદિર (નડિયાદ)ની મઢી
  9. સતીમાનું મંદિર
  10. શીકોતરમાંનું મંદિર
  11. મેલડી માતાનું મંદિર
  12. જૈન દેરાસર અને ઉપાશ્રય
  13. ખોજાખાનું (હાલમાં બંધ હાલતમાં)

ઇતિહાસ

[ફેરફાર કરો]

પચ્છેગામ સાથે નીચે મુજબની જાણીતી વ્યક્તિઓ સંકળાયેલ છે.

  1. નાનાભાઈ ભટ્ટ
  2. મૂળશંકર ભટ્ટ
  3. ભાવનગર રાજવંશ ના નાના રાજકુમાર દેવાજી એ આ ગામ વસાવેલુ[સંદર્ભ આપો]
વલ્લભીપુર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. 1 2 જિલ્લા-પંચાયત, ભાવનગર (૭ ઓકટોબર ૨૦૧૩). "ભાવનગર જિલ્લા પંચાયતની વેબસાઇટ પર વલ્લભીપુર તાલુકાના ગામોની યાદી". ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-03-25 પર સંગ્રહિત. મેળવેલ ૭ ઓકટોબર ૨૦૧૩. {{cite web}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
  2. ભટ્ટ, અનિલકુમાર ભાનુપ્રસાદ (૧૫ મે ૨૦૧૨). "પચ્છેગામનાં દેવસ્થાનો". પરભાબાપા. અમદાવાદ. pp. ૧૭૩–૧૮૦. {{cite book}}: Check date values in: |date= (મદદ)