પી૫ળાવ (તા. સોજિત્રા)
દેખાવ
| પી૫ળાવ | |
| — ગામ — | |
| અક્ષાંશ-રેખાંશ | 22°32′12″N 72°43′19″E / 22.536591°N 72.721809°E |
| દેશ | |
| રાજ્ય | ગુજરાત |
| જિલ્લો | આણંદ |
| તાલુકો | સોજિત્રા |
| અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી |
|---|---|
| સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
| સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
| મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
| મુખ્ય ખેત-ઉત્પાદનો | ઘઉં,ડાંગર, બાજરી, તમાકુ, બટાટા, શક્કરીયાં શાકભાજી |
પી૫ળાવ (તા. સોજિત્રા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ચરોતર પ્રદેશમાં આવેલા આણંદ જિલ્લામાં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક એવા સોજિત્રા તાલુકામાં આવેલું એક ગામ છે. પી૫ળાવ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, ડાંગર, બાજરી, તમાકુ, બટાટા, શક્કરીયાં તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડીમાધ્યમિક શાળા તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
આ ગામમાં આશાપુરી માતાનું મંદિર આવેલું છે, જ્યાં દુર દુરથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે. આ ઉપરાંત આ ગામમા શ્રી સ્વામિનારાયણના પગલાંનું મન્દિર પણ આવેલું છે. આ ગામ જિલ્લા મથક આણંદથી આશરે ૨૦ કિલોમીટર અને તાલુકા મથક સોજિત્રાથી આશરે ૧૦ કિલોમીટરના અંતરે આવેલું છે.


| આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
| ||||||||||||||||


