ભાલુસાણા (તા. સતલાસણા)

વિકિપીડિયામાંથી
ભાલુસાણા
—  ગામ  —
ભાલુસાણાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 24°01′35″N 72°47′40″E / 24.026472°N 72.794327°E / 24.026472; 72.794327
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મહેસાણા
તાલુકો સતલાસણા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,

દૂધની ડેરી

મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી,

કપાસ, દિવેલી, શાકભાજી

ભાલુસાણા (તા. સતલાસણા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા સતલાસણા તાલુકામાં આવેલું એક ગામ છે. અરવલ્લીની ગિરિમાળાઓમાં વસેલું આ ગામ તારંગા જૈન મંદિરથી ૮ કિમીના અંતરે આવેલુ છે. ભાલુસાણા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

રજવાડાંના સમયમાં ભાલુસાણા ગામ એ જાગીરદારી ગામ હતું. આ ગામમાં મહાદેવનું મંદિર, વિશ્વકર્માદેવનું મંદિર, બ્રહ્માણીમાતાનું મંદિર તેમજ સૂફીસંતની મસ્જિદ પણ આવેલી છે.