લખાણ પર જાઓ

ભોયરા (તા. વીંછીયા)

વિકિપીડિયામાંથી
ભોયરા
  ગામ  
ભોયરાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°02′22″N 71°12′32″E / 22.039382°N 71.208869°E / 22.039382; 71.208869
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો રાજકોટ
તાલુકો વીંછીયા
વસ્તી ૧,૩૩૧ (૨૦૧૧[])
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ ઘઉં, જીરુ, મગફળી, તલ,
બાજરી, ચણા, કપાસ, દિવેલા,
રજકો તેમજ અન્ય શાકભાજી

ભોયરા (તા. વીંછીયા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા વીંછીયા તાલુકામાં આવેલું એક ગામ છે. ભોયરા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

બ્રિટિશ શાસન દરમિયાન ભોયરા જસદણ રજવાડા હેઠળ હતું. આ ગામનું નામ તેની નજીક આવેલી ટેકરીની ગુફા પરથી પડેલું છે, જ્યાં કિલ્લો પણ આવેલો છે. આ કિલ્લાનો રા' ખેંગાર દ્વિતીય દ્વારા નાશ કરાયો હતો.[]

ભોયરા ગામની વસ્તી ૧૮૭૨માં ૫૮૪ અને ૧૮૮૧માં ૫૨૬ વ્યક્તિઓની હતી.[]

૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ગામમાં ૧૩૩૧ વ્યક્તિઓ વસે છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. 1 2 "Bhonyra Village Population - Jasdan - Rajkot, Gujarat". www.census2011.co.in. મેળવેલ ૧૦ માર્ચ ૨૦૧૭. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)
  2. 1 2 Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text). ખંડ  VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. pp. ૩૯૯.

આ લેખ હવે પબ્લિક ડોમેનમાં આવેલા Gazetteer of the Bombay Presidency: Kathiawar. ખંડ  VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. pp. ૩૯૯. પ્રકાશનમાંથી લખાણના અંશો ધરાવે છે