માછરડા (તા. કાલાવડ)
દેખાવ
| માછરડા | |
| — ગામ — | |
| અક્ષાંશ-રેખાંશ | 22°12′29″N 70°22′39″E / 22.207988°N 70.37746°E |
| દેશ | |
| રાજ્ય | ગુજરાત |
| જિલ્લો | જામનગર |
| તાલુકો | કાલાવડ |
| અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી |
|---|---|
| સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
| સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
| મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
| મુખ્ય ખેતપેદાશ | |
માછરડા (તા. કાલાવડ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જામનગર જિલ્લામાં આવેલા કાલાવડ તાલુકામાં આવેલું એક ગામ છે. માછરડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
મહત્વના સ્થળો
[ફેરફાર કરો]આ ગામમાં આવેલો ત્રીસ ફૂટ ઊંચો કીર્તિસ્તંભ રાજ્ય સંરક્ષિત સ્મારક છે. આ કીર્તિસ્તંભ બ્રિટિશ સૈનિકોને સમર્પિત છે જે મુળુ માણેકના સાથી દેવા માણેક સાથે લડતા મૃત્યુ પામ્યા હતા. પાસે તેમની કબરો પણ આવેલી છે. આ સ્તંભને હવે વાઘેર લડવૈયાઓ માટેની યાદગીરી સ્વરૂપ ગણવામાં આવે છે.[૧][૨]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Monumental apathy". The Times of India. 2014-08-15. ISSN 0971-8257. મેળવેલ 2023-10-05.
{{cite news}}: Check date values in:|access-date=and|date=(મદદ) - ↑ પંડ્યા, વિષ્ણુ (2012). "નકશામાં ટપકું યે ન મળે તે ગામના પરાક્રમનું આ કેવું ગૌરવતીર્થ!". દિવ્ય ભાસ્કર.
| આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |