આ ગામના લોકો વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન જેવાં કાર્યો કરે છે. આ ઉપરાંત કેટલાક લોકો સરકારી કે ખાનગી નોકરી પણ કરે છે. જુવાર, તુવર, મકાઈ, કપાસ તથા અન્ય શાકભાજી અહીંના મુખ્ય ખેત-ઉત્પાદનો છે. આ ઉપરાંત કેટલાક લોકો પિયતની સગવડ મેળવી શેરડી, કેળાં, ડાંગર વગેરેની ખેતી પણ કરે છે.
અહીં વિદ્યાભારતી વનવાસી શિક્ષણ સમિતિ સંચાલિત માધવ વિદ્યાપીઠ આવેલી છે જેમાં રાજ્યના પૂર્વ પટ્ટીના આદિવાસી વિદ્યાર્થીઓ નિઃશુલ્ક અભ્યાસ કરે છે. આ નિવાસીશાળા છે જેમાં આદિવાસી બાળકોને રહેવા-ખાવાનો ખર્ચ પણ ભોગવવાનો હોતો નથી.