ઝાડેશ્વર

વિકિપીડિયામાંથી



ઝાડેશ્વર
—  ગામ  —
ઝાડેશ્વરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°42′51″N 73°01′54″E / 21.714214°N 73.031673°E / 21.714214; 73.031673
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભરૂચ
તાલુકો ભરૂચ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 15 metres (49 ft)

સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
"મુખ્ય ખેતપેદાશો" કપાસ, તુવર, શાકભાજી
કોડ
  • • પીન કોડ • ૩૯૨ ૦૧૧
    વાહન • જીજે - ૧૬

ઝાડેશ્વર, ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્યદક્ષિણ ભાગમાં આવેલા ભરૂચ જિલ્લામાં આવેલા કુલ ૯ (નવ) તાલુકાઓ પૈકીના એક એવા ભરૂચ તાલુકામાં આવેલું એક ગામ છે, જે નર્મદા નદીના કિનારે આવેલું છે. અહીંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પસાર થાય છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે કપાસ, તુવર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, તળાવ, પાણીની ટાંકી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

વર્તમાન સમયમાં ભરૂચ શહેરથી માત્ર ૫ (પાંચ) કિલોમીટર પૂર્વ દિશામાં આવેલા ઝાડેશ્વર ગામમાં ખેતરોને બદલે ચારેબાજુ રહેણાંક સોસાયટીઓ અને શોપિંગ સેન્ટરો જોવા મળે છે.

નજીકમાં આવેલ સુંદર આકર્ષણો.

  • ૧. દુધેશ્વર મંદિર (દક્ષિણમાં નદી કિનારે)
  • ૨. નિલકંઠેશ્વર મંદિર (પૂર્વમાં નદી કિનારે)
  • ૩. મનન આશ્રમ (પૂર્વમાં નદી કિનારે)
  • ૪. સ્વામિનારાયણ મંદિર (ઉત્તરમાં રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ ઉપર)
  • ૫. જીએનએફસી ટાઉનશીપ (ઉત્તરમાં ભરૂચથી દહેજ જતા માર્ગ ઉપર)
  • ૬. શુકલતીર્થ (પૂર્વમાં નિકોરા તરફ)
  • ૭. કબીરવડ (પૂર્વમાં નિકોરા તરફ)
  • ૮. વડોદરા અને સુરત બંનેથી ફક્ત એક થી દોઢ કલાકના અંતરે.
  • ૯. ગાયત્રી માતાનું મંદિર (પૂર્વમાં નદી કિનારે)
  • ૧૦. શીતળા માતાનું મંદિર (પૂર્વમાં નદી કિનારે)
  • ૧૧. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પર નર્મદા નદી પરનો સરદાર પુલ (પૂર્વમાં)