દોડગામ (તા. થરાદ)
| દોડગામ | |
| — ગામ — | |
| અક્ષાંશ-રેખાંશ | 24°23′44″N 71°37′34″E / 24.395571°N 71.626144°E |
| દેશ | |
| રાજ્ય | ગુજરાત |
| જિલ્લો | વાવ-થરાદ |
| તાલુકો | થરાદ |
| અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી |
|---|---|
| સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
| સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
| મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
| મુખ્ય ખેતપેદાશ | મકાઈ, બાજરી, તુવર, શાકભાજી |
દોડગામ (તા. થરાદ) કે ડોડગામ (તા. થરાદ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા વાવ-થરાદ જિલ્લામાં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક એવા થરાદ તાલુકામાં આવેલું એક ગામ છે. દોડગામ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, રાયડો, બાજરી, કપાસ, દિવેલી, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા (નવયુગ વિદ્યા મંદીર), પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
આ ઉપરાંત અહીં ઠાકર(નકળંગ) ભગવાનનુ મંદિર આવેલું છે જ્યાં કારતક સુદ ૨ના રોજ મોટો મેળો ભરાય છે તથા લોકો દર મહિનાની અજવાળી બીજના દિવસે દર્શાનાર્થે આવે છે. દોડગામ ગામ જવા માટે થરાદથી વાયા ખાનપુર નાગલાથી ડોડગામ પાકો રસ્તો છે જે ૧૦ કી.મી. અંતરે છે તથા થરાદથી મીઠા રોડ પર જાંદલાથી ૩ કી.મી.એ દોડગામ આવવાનો ડાંમર રોડ છે.
| આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |