પંચાળા (તા. કેશોદ)

વિકિપીડિયામાંથી
(પંચાળા થી અહીં વાળેલું)
પંચાળા (તા. કેશોદ)
—  ગામ  —
પંચાળા (તા. કેશોદ)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°19′44″N 70°05′27″E / 21.328776°N 70.090864°E / 21.328776; 70.090864
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જૂનાગઢ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

પંચાળા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જિલ્લાઓ પૈકીના એક એવા જૂનાગઢ જિલ્લાનાં કેશોદ તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ધાર્મિક સ્થળો[ફેરફાર કરો]

પંચાળા સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું સ્થળ છે. અહીં ભગવાન સ્વામિનારાયણે રાસોત્સ્વ કરેલો. અહીંથી સંપ્રદાયના આશ્રિતો વડે કપાળમાં તિલક-ચાંદલો કરવાની શરૂઆત થઇ હતી.

અહીં શિખરબદ્ધ મંદિર તેમજ સ્મૃતિ છત્રી આવેલા છે.