લખાણ પર જાઓ

લાતૂર જિલ્લો

વિકિપીડિયામાંથી
લાતુર જિલ્લાનો રાજકીય નકશો

લાતૂર જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યનો જિલ્લો છે. લાતૂર આ જિલ્લાનું મુખ્ય મથક છે.

લાતૂર જિલ્લામાં નીચેની યાદી મુજબ ૧૦ (દસ) તાલુકાઓ આવેલા છે.

લાતૂર જિલ્લાના તાલુકાઓ

[ફેરફાર કરો]
  • અહમદપુર તાલુકો
  • ઉદગીર તાલુકો
  • ઔસા તાલુકો
  • ચાકુર તાલુકો
  • જળકોટ તાલુકો
  • દેવણી તાલુકો
  • નિલંગા તાલુકો
  • રેણાપુર તાલુકો
  • લાતૂર તાલુકો
  • શિરુર (અનંતપાળ) તાલુકો

૧૯૯૩નો લાતુર ભૂકંપ

[ફેરફાર કરો]

૩૦ સપ્ટેમ્બર ૧૯૯૩ના રોજ લાતુરમાં એક ઓછી તીવ્રતાનો પરંતુ વિનાશક ભૂકંપ આવ્યો હતો, જેના કારણે મોટી જાનહાનિ થઈ હતી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર માત્ર ૬.૩ હતી, પરંતુ ૩૦,૦૦૦થી વધુ લોકો મૃત્યુ પામ્યા હોવાનો અંદાજ છે, કારણ કે પથ્થરોથી બનેલા મકાનો અને ગામડાની નબળી ઝૂંપડીઓ વહેલી સવારે ગાઢ નિંદ્રામાં રહેલા લોકો પર તૂટી પડી હતી. આ ભૂકંપ ભારતના મધ્ય-પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના દક્ષિણ મરાઠવાડા પ્રદેશમાં આવ્યો હતો અને મુંબઈથી ૪૦૦ કિમી દક્ષિણ-પૂર્વ દિશામાં લાતુર, બીડ, ઉસ્માનાબાદ અને આસપાસના જિલ્લાઓમાં અસર કરી હતી. તે આંતરિક તકતીની અંદરનો ભૂકંપ હતો. લાતુર લગભગ સંપૂર્ણપણે નાશ પામ્યું હતું અને જનજીવન ઠપ્પ થઈ ગયું હતું. ભૂકંપનું કેન્દ્રબિંદુ લગભગ ૧૨ કિમી ઊંડું હતું, જે પ્રમાણમાં છીછરું હોવાથી તેના આઘાત તરંગો વધુ નુકસાન પહોંચાડે છે. સ્થાનિક સમય પ્રમાણે વહેલી સવારે ૩.૫૬ વાગે જ્યારે લોકો ગાઢ નિંદ્રામાં હતા ત્યારે ભૂકંપ આવ્યો હતો, જેના કારણે મૃત્યુઆંક વધારે હતો.

આ ભૂકંપ પછી, સમગ્ર ભારતમાં ભૂકંપીય ક્ષેત્રોનું પુનઃવર્ગીકરણ કરવામાં આવ્યું અને ઇમારતોના ક્રમાંકો અને ધોરણોમાં સુધારો કરવામાં આવ્યો હતો.