લુવાણા(કળશ) (તા. રાહ)
દેખાવ
(લુવાણા(કળશ) (તા. થરાદ) થી અહીં વાળેલું)
| લુવાણા | |
| — ગામ — | |
| અક્ષાંશ-રેખાંશ | 24°23′44″N 71°37′34″E / 24.395571°N 71.626144°E |
| દેશ | |
| રાજ્ય | ગુજરાત |
| જિલ્લો | વાવ-થરાદ |
| તાલુકો | રાહ |
| અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી |
|---|---|
| સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
| સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી, બેંક, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આર્યુવેદિક દવાખાનુ |
| મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
| મુખ્ય ખેતપેદાશ | મકાઈ, બાજરી, તુવર, શાકભાજી |
લુવાણા (કળશ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા વાવ-થરાદ જિલ્લામાં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક એવા રાહ તાલુકામાં આવેલું એક ગામ છે. લુવાણા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આયુર્વેદિક દવાખાનું, બેંક (સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા) તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
ધાર્મિક સ્થળો
[ફેરફાર કરો]ગામમાં કલેહર માતાજીનું મંદિર આવેલું છે, જ્યાં દર શીતળા સાતમે મેળો ભરાય છે. આ ઉપરાંત અહીં રામદેવપીર અને શંકર ભગવાનનાં મંદિરો આવેલાં છે. તેમજ પાડાપીરનું પૂતળું પણ આવેલું છે જેની લોકો માનતા પણ માને છે.
| આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |