ઉદવાડા (તા. પારડી): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
લીટી ૫: લીટી ૫:
[[મુંબઇ]]થી [[અમદાવાદ]] જતા રેલ્વે માર્ગ પર [[વલસાડ]] અને [[વાપી]] વચ્ચે ઉદવાડા સ્ટેશન આવેલું છે. જો કે આ સ્ટેશન પર તમામ ગાડીઓ થોભતી નથી, આથી વાપી કે વલસાડ ઉતરી ત્યાંથી સડક માર્ગ દ્વારા ઉદવાડા પહોંચી શકાય છે.
[[મુંબઇ]]થી [[અમદાવાદ]] જતા રેલ્વે માર્ગ પર [[વલસાડ]] અને [[વાપી]] વચ્ચે ઉદવાડા સ્ટેશન આવેલું છે. જો કે આ સ્ટેશન પર તમામ ગાડીઓ થોભતી નથી, આથી વાપી કે વલસાડ ઉતરી ત્યાંથી સડક માર્ગ દ્વારા ઉદવાડા પહોંચી શકાય છે.


આ ઉપરાંત રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ અહીંથી પસાર થાય છે, જેમાં [[પારડી]] અને [[વાપી]]ની વચ્ચે ઉદવાડા ગામ આવતું હોવાથી અહીં સહેલાઇથી પહોંચી શકાય છે. રાજ્ય ધોરી માર્ગ દ્વારા અહીંથી [[દમણ]] પણ જઇ શકાય છે.
આ ઉપરાંત [[રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮]] અહીંથી પસાર થાય છે, જેમાં [[પારડી]] અને [[વાપી]]ની વચ્ચે ઉદવાડા ગામ આવતું હોવાથી અહીં સહેલાઇથી પહોંચી શકાય છે. રાજ્ય ધોરી માર્ગ દ્વારા અહીંથી [[દમણ]] પણ જઇ શકાય છે.


ઉદવાડાથી નજીકનું વિમાન મથક [[મુંબઇ]] તથા [[સુરત]] છે.
ઉદવાડાથી નજીકનું વિમાન મથક [[મુંબઇ]] તથા [[સુરત]] છે.

૨૩:૪૭, ૨૬ નવેમ્બર ૨૦૦૯ સુધીનાં પુનરાવર્તન

ઉદવાડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાના પારડી તાલુકાનું મહત્વનું ગામ છે. આ ગામના મુખ્ય બે ભાગ પડે છે. એક ઉદવાડા આરએસ એટલે કે ઉદવાડા સ્ટેશન અને બીજો ભાગ ઉદવાડા ગામ. ઉદવાડા ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, આંગણવાડી, દુધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે.
ઉદવાડા સ્ટેશનસ્થિત પારસી અગિયારી વિશ્વભરમાં પારસીઓના મુખ્ય યાત્રાધામ તરીકે જાણીતી છે. અંહી ઇરાનથી આવેલા પારસીઓએ સાથે લાવેલ પવિત્ર અગ્નિ કે જેને આતશબહેરામ કહેવાય છે, તેની સ્થાપના કરી હતી.
આ ગામમાં ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે. ડાંગર, કેરી, ચીકુ અને શાકભાજી આ ગામનાં ખેત-ઉત્પાદનો છે.

ઉદવાડા પહોંચવા માટે

મુંબઇથી અમદાવાદ જતા રેલ્વે માર્ગ પર વલસાડ અને વાપી વચ્ચે ઉદવાડા સ્ટેશન આવેલું છે. જો કે આ સ્ટેશન પર તમામ ગાડીઓ થોભતી નથી, આથી વાપી કે વલસાડ ઉતરી ત્યાંથી સડક માર્ગ દ્વારા ઉદવાડા પહોંચી શકાય છે.

આ ઉપરાંત રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ અહીંથી પસાર થાય છે, જેમાં પારડી અને વાપીની વચ્ચે ઉદવાડા ગામ આવતું હોવાથી અહીં સહેલાઇથી પહોંચી શકાય છે. રાજ્ય ધોરી માર્ગ દ્વારા અહીંથી દમણ પણ જઇ શકાય છે.

ઉદવાડાથી નજીકનું વિમાન મથક મુંબઇ તથા સુરત છે.