શાંતનુ
વિકિપીડિયા થી
હસ્તિનાપુર નરેશ શાંતનુ ભરત વંશના પ્રતાપી રાજા હતા. તેઓ પાંડવ તથા કૌરવોના પૂર્વજ પણ હતા. શાંતનુનો ઉલ્લેખ રુગ્વેદમા પણ જોવા મળે છે. તેઓ હસ્તિનાપુર ના રાજા પ્રતિપાને ત્યા પાછલી જીંદગીમા સૌથી નાના પુત્ર તરીકે જન્યા હતા. તેમના સૌથી મોટા ભાઇ દેવપીએ રોગથી પિડાઇને સંન્યાસ લિધેલો તથા વચ્ચેના ભાઇની સમગ્ર આર્યાવ્રતની ભૂમિ જીતવાની નેમ ને લીધે શાંતનુ હસ્તિનાપુરના રાજા થયા. રાજા પ્રતિપાએ તપ દ્વારા ઇન્દ્રિયો ને શાંત કર્યા પછી પુત્ર પ્રાપ્ત થયો હતો માટે તેનું નામ શાંતનું રાખવામાં આવેલ.
[ફેરફાર કરો] પૂર્વ જન્મ
મહાભારત મુજબ તેઓ ઇશ્વાકુ વંશના મહા પ્રતાપી રાજા મહાભિષેક માનવામાં આવે છે. તેઓએ મહાન યજ્ઞૉ વડે દેવતાઓ ની સાથે સ્થાન પ્રાપ્ત કર્યું. જ્યારે તેઓ ઇન્દ્ર ની સભામાં ગંગાને વિકારી અવસ્થા મા જોયા ત્યારે તેમને મૃત્યુલોક માં જન્મ લેવાનો શ્રાપ મળ્યો હતો.
[ફેરફાર કરો] શાંતનુ અને ગંગા
ગંગા નદીના કિનારે એકવાર શાંતનુએ ગંગાને જોયા અને તેના રુપ પર મોહિત થયા. શાંતનુએ ગંગા પાસે લગ્નનો પ્રસ્તાવ મુક્યો પરંતુ ગંગાએ પ્રસ્તાવ સ્વિકાર કરતા પહેલા શરત રજુ કરી કે શાંતનુએ કોઇ દિવસ ગંગાને કોઇ પણ પ્રકારનો પ્રશ્ન કરવો નહિં. અને જો શાંતનુ શરત ભંગ કરશે તો ગંગા ફરીથી દેવલોક મા જતી રહેશે. આમ શાંતનુ અને ગંગાના લગ્ન થયા અને ગંગાએ પુત્રને જન્મ આપ્યો અને જન્મ આપતાની સાથેજ તે બાળકને પાણીમા ડુંબાડી દિધો. શાંતનુ શરતથી બંધાયેલા હોવાથી કશુ બોલી શક્યા નહીં. આમ એક એક કરત ગંગાએ તેના સાત પુત્રો ને ડુંબાડી દિધા. પરંતુ જ્યારે આઠમાં પુત્રને ડુંબાડતી વખતે શાંતનુની ધિરજ ખુંટી અને તેણે ડુંબાડવાનું કારણ પુછ્યું અને બાળકને ડુંબાડતો અટકાવ્યો. આમ શરત મુજબ ગંગા બાળકને લઇને દેવલોક સિધાવી. આ બાળક એટલે પરમ પ્રતાપી ભીષ્મ!
વાસ્તવમાં આ બધા બાળકો વસુના અવતાર હતા અને આઠમા વસુને જીવન જીવવાનો શ્રાપ મળ્યો હતો. આજ કારણે ગંગા પોતાના પુત્રોને ડુંબાડતા હતા.
[ફેરફાર કરો] શાંતનુ અને સત્યવતી
જ્યારે ભીષ્મ મોટા થયા ત્યારે તેમને હસ્તિનાપુરના યુવરાજ બનાવવામાં આવ્યા. આ સમય દરમિયાન શાંતનુ નાવિકની કન્યા સત્યવતીના પ્રેમમાં પડ્યા અને તેના પિતા પાસે લગ્નનો પ્રસ્તાવ મુક્યો. પરંતુ સત્યવતીના પિતાએે વિવાહ માટે શરત મુકિ કે જો સત્યવતીનું સંતાન રાજા બને તો જ તેઓ પોતાની પુત્રિ સત્યવતિને શાંતનુ સાથે પરણાવશે.
પોતાના પ્રિય પુત્ર ભીષ્મને યુવરાજ બનવી ચુક્યા હોવાથી શાંતનુ આ શરતનો સ્વિકાર કરી શક્યા નહિં. પરંતુ તેઓ રાત-દિવસ ઉદાસ રહેવા લાગ્યા. ભીષ્મને આ વાતની ખબર પડતા તેમણે સત્યવતિના પિતાને વચન આપ્યુંકે તેઓ રાજપદ જતુ કરવા તૈયાર છે. આમ છતા જ્યારે સત્યવતિના પિતએ ભવિષ્યની પેઢિ પ્રતિ શંકા દર્શાવી તો ભીષ્મએ આ જીવન બ્રમ્હચર્યની કઠોર પ્રતિજ્ઞા લીધી.
લગ્ન પછી શાંતનુ અને સત્યવતિને બે પુત્રો થયા જેમનું નામ ચિત્રાંગદ અને વિચિત્રવિર્ય રાખવામાં આવ્યું.
|
|||||||||||