ગોઝારીયા

વિકિપીડિયામાંથી
ગોઝારીયા
—  નગર  —
ગોઝારીયાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°28′41″N 72°33′45″E / 23.478126°N 72.56238°E / 23.478126; 72.56238
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મહેસાણા
તાલુકો મહેસાણા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 81 metres (266 ft)

સગવડો પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા, કોલેજ, પંચાયતઘર, આંગણવાડી,દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો ડાંગર, બાજરી, તમાકુ, બટાટા, શક્કરીયાં, શાકભાજી

ગોઝારીયા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકામાં આવેલું એક નગર છે. આ નગરના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. અહીં મુખ્યત્વે ડાંગર, બાજરી, તમાકુ, બટાટા, શક્કરીયાં તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા, કોલેજ[૧], પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ગોઝારિયા, આંબલીયાસણ-વિજાપુર રેલ્વે લાઈન પર, આંબલીયાસણથી ૧૫ કિ.મી. અને અમદાવાદથી ૬૫ કિ.મી. તથા ગાંધીનગરથી ૩૨ કિ.મી. ના અંતરે અમદાવાદ, ગાંધીનગર, વિસનગર, ખેરાળુ, અંબાજી હાઈવે ઉપર વસેલું છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

સ્થાપના[ફેરફાર કરો]

વરિષ્ઠ નાગરિકોની વાતો તથા વહીવંચા બારોટની નોંધ મુજબ આ ગામ 'સંધાસણ' કે 'સિંહાસન' નામે ઓળખાતું હતું. આશરે ૧૨૩૦ વર્ષો પહેલા સવંત ૮૨૯ વૈશાખ સુદ-૩ ને ઈ.સ. ૭૭૩ ના દિવસે વસ્યું હતું. આ ગામ પાસે આશરે ૧૦૦ વિધાનું મોટું ગૌચર છે, તેમાં જુનું અંબાજી માતાનું મંદિર આવેલું છે. શ્રી અંબાજી માતાના મંદિરના પરિસરમાંથી 'સરસ્વતી' દેવીની કલાત્મક ખંડિત મૂર્તિ મળી આવી હતી. એ આરસપહાણની છે, તેને હાલ ગોઝારિયા હાઈસ્કૂલમાં છે. આ મંદિરની પાસે એક તળાવ છે જે 'ભીમ તળાવ' તરીકે ઓળખાય છે.

નામ[ફેરફાર કરો]

ગામમાં પ્રચલિત એક દંતકથા છે કે ગૌચર માં એક ગાય કોઈ એક ચોક્કસ જગ્યાએ ઝરી જતી હતી. તેથી આ જગ્યાએ ગોઝારિયા ગામનો વસવાટ થયો. 'ગોઝરી' ઉપરથી 'ગોઝારિયા' - 'ગુઝારિયા' - ગોઝારિયા એમ અપભ્રંશ થયો. ૬૦ વર્ષ પહેલાં આ ગામ 'પારેખવાડા' તરીકે ઓળખાતું હતું. આ ગામના 'પારેખ' કડવા પાટીદાર હતા જેમના વડવાને ગાયકવાડ સરકારે મહેસુલીનું કામ કાજ સોંપેલું તેથી આ પારેખ 'અમીન'ના નામથી ઓળખાય છે.

સ્થળાંતર[ફેરફાર કરો]

શ્રી અંબાજી માતાના મંદિરની આસપાસ વસેલું આ ગામ કયારે અને કયા સંજેગોમાં 'મોટા માઢ' વાળી જગ્યાએ આજના નવા ગામ ગોઝારિયાનો વસવાટ શરુ થયો તે સંશોધનનો વિષય છે. બારોટની વંશવહીના આધારે મોટા માઢવાળી જગ્યામાં સંઘજી વંશના પૂર્વજો વસીને રહ્યા હતા.

૧૧ જાન્યુઆરી ૧૮૯૪ના રોજ ભારતના એક ક્રાંતિકારી અને યુગપુરુષ મહર્ષિ અરવિંદ ઘોષ પધારેલા. ૧૮૯૪માં મહેસાણા પરગણામાં પડેલા દુષ્કાળનું સર્વેક્ષણ કરવા શ્રીમંત સયાજીરાવ મહરાજે મોકલાવેલા તેમના ખાસ ગણાતા શ્રી જયશંકર દામોદરદાસ પંડયા જેઓ વિજાપુર ગાયકવાડ સ્ટેટના જમીન નોંઘણીદાર તરીકે કાર્યરત હતા. ગાયકવાડ સરકાર અને અંગ્રેજોના વહીવટી શાસન દરમ્યાન ગોઝારિયા ગામની રચના કરવામાં તેમનો સિંહફાળો ગણાય છે. તેમના નામે જયશંકર દામોદર પંડયાનો માઢ આવેલો છે જે પંડયા સ્ટ્રીટ તરીકે પણ ઓળખાય છે, ત્યાં તેમની હવેલી પણ હયાત છે. આ હવેલી ગોઝરિયા ગામમાં તરપોજ વિસ્તારમાં આવેલી છે.

રેલવેની શરૂઆત[ફેરફાર કરો]

અમીનોના ગાયકવાડ સરકાર સાથેના સારા સંબધોની કારણે તા.૦૧-૦૯-૧૯૨૮ના રોજ આમ્બલિયાસણ ગોઝારિયા - વિજાપુર રેલવે લાઈન શરૂ થઇ. સોમનાથ પંચાલે રેલવે પ્લેટફોર્મ બંધાવેલું.

મીરખાં બહારવાટિયો[ફેરફાર કરો]

ઈ.સ. ૧૯૨૨માં પાટણ બાજુથી આવેલા મીરખાંએ ગોઝારિયામાં ધાડ પાડી લૂંટ ચલાવેલી. તેને ખેડૂતોને લૂંટ્યા ન હતા. મીરખાંની ગોળીથી મોહન રાવળનું મૃત્યુ થયું હતું. પ્રખ્યાત લેખક પુષ્કર ચંદાવરકરે ગામની મુલાકાત લઇ મીરખાં વિશે "મુંબઈ સમાચાર" દૈનિક પત્રમાં એક નવલકથા પણ ક્રમશ: શરૂ કરેલી.

છબીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Associated College in Hemchandracharya North Gujarat University". Hemchandracharya North Gujarat University. મૂળ માંથી 2012-03-18 પર સંગ્રહિત. મેળવેલ 2016-11-10.
મહેસાણા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન