આ ગામ રૂપેણ નદીના તટ પર આવેલ છે અને નદીના બે વહેણ છે. જુનું વહેણ, રેલ્વેપુરાની દક્ષિણ દિશામાં આવેલું છે અને નવું વહેણ અત્યારે ગામની ઉત્તર દિશાએ થી વહે છે.
ગામમાં આદ્યશક્તિ ચોસઠ જોગણી માતાનું મંદિર આવેલું છે, જ્યાં દર ચૈત્ર માસની પુનમે ભવ્ય મેળો ભરાય છે. આ મંદિરની સામે બહુચરાજીનું મંદિર આવેલું છે અને ચોકની બાજુમાં વહાણવટી સિકોતર માતાજીનું મંદિર આવેલ છે.