જીવાપર ચકમપર (તા. મોરબી)

વિકિપીડિયામાંથી
જીવાપર ચકમપર
—  ગામ  —
જીવાપર ચકમપરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°48′53″N 70°49′46″E / 22.814672°N 70.829315°E / 22.814672; 70.829315
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મોરબી
તાલુકો મોરબી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, મગફળી, તલ,
બાજરી, ચણા, કપાસ, દિવેલા,
રજકો તેમજ અન્ય શાકભાજી

જીવાપર ચકમપર (તા. મોરબી) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા મોરબી જિલ્લામાં આવેલા કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક એવા મોરબી તાલુકામાં આવેલું એક ગામ છે. જીવાપર ચકમપર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય સિરેમિક ઉદ્યોગ, ખેતી તેમજ પશુપાલન છે. આ ઉપરાંત ગામનાં ઘણા લોકો આસપાસમાં નોકરી કરવા પણ જાય છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજી ના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક અને માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, તેમ જ દૂધની ડેરી, પોસ્ટ ઓફિસ, જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. જળ સ્ત્રોત તરિકે અહીં નર્મદા નહેર, ૨ તળાવ, ઘોડાધ્રોઇ નદી છે.

મોરબીથી જેતપર ગામ તરફ જતાં રાજ્ય ધોરીમાર્ગ ૩૨૧ પર રંગપરથી વડી જવાનું એટલે ૬ કિ.મી.નો રસ્તો થાય. આ ગામની બાજુમાં પાવડીયારિ માતાજીનું પ્રખ્યાત મંદિર આવેલું છે, જે ધાર્મિક સ્થળની સાથે સાથે જે ફરવા લાયક સ્થળ પણ છે.