નવગ્રહ

વિકિપીડિયામાંથી

ગ્રહ (સંસ્કૃતમાં ग्रह – પકડવું, પકડી રાખવું, કબજો કરવો પરથી[૧]) માતા ભૂમિદેવી (પૃથ્વી) પર જીવતા તમામ પ્રાણીઓ પર અસર કરતું એક વૈશ્વિક પ્રભાવક છે. હિંદુ જ્યોતિષશાસ્ત્રમાં, નવગ્રહ (સંસ્કૃત नवग्रह)એ નવ સીઝર અથવા નવ પ્રભાવકો એ મુખ્ય પ્રભાવકો પૈકીના કેટલાક છે.

રાશિચક્રમાં સ્થિર તારાઓની પૃષ્ઠભૂમિના સંદર્ભમાં તમામ નવગ્રહો સાપેક્ષ ગતિ ધરાવે છે. તેમાં મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ, સૂર્ય, ચંદ્ર ઉપરાંત અવકાશમાં સ્થાપિત પદાર્થો, રાહુ (ઉત્તર અથવા ચંદ્રનો ચડતો વૃત્તાકાર) અને કેતુ (દક્ષિણ અથવા ચંદ્રનો ઉતરતો વૃત્તાકાર)નો સમાવેશ થાય છે.

કેટલાક લોકોની માન્યતા અનુસાર, ગ્રહો "પ્રભાવ સર્જક" છે, જે પ્રાણીઓના વ્યવહાર પર કાર્મિક પ્રભાવ સૂચવે છે. તેઓ જાતે જ પ્રેરણાતત્વ નથી,[૨] પરંતુ તેમને ટ્રાફિકની ચિહ્નો સાથે સરખાવી શકાય.

જ્યોતિષ ગ્રંથ પ્રશ્ન માર્ગ અનુસાર, ગ્રહ અથવા આત્મા તરીકે ઓળખવામાં આવતી અન્ય અનેક આધ્યાત્મિક વસ્તુઓ છે. તમામ (નવ ગ્રહો સિવાય) ભગવાન શિવ અથવા રુદ્રના ગુસ્સામાંથી પેદા થયા હોવાની માન્યતા છે. મોટા ભાગના ગ્રહોની પ્રકૃતિ સામાન્ય રીતે હાનિકારક હોય છે પરંતુ તેમાંથી કેટલાક સારી પ્રકૃતિ પણ ધરાવતા હોય છે.[૩] ધ પુરાણિક એનસાઇક્લોપિડિયા , 'ગ્રહ પિંડ' શીર્ષક હેઠળ, આ પ્રકારના ગ્રહો (આત્મા અથવા આધ્યાત્મિક વસ્તુઓ, વગેરે)ની યાદી આપે છે, જે બાળકોને હેરાન કરતા હોવાનું માનવામાં આવે છે. વધુમાં આ જ પુસ્તકમાં વિવિધ જગ્યાએ ગ્રહોના નામ આપવામાં આવ્યા છે, જેમ કે 'સ્ખંડ ગ્રહ' જે કસુવાવડનું કારણ છે.[૪]

જ્યોતિષવિદ્યા[ફેરફાર કરો]

જ્યોતિષીઓ દાવો કરે છે કે ગ્રહો પૃથ્વી સાથે જોડાયેલા વ્યક્તિઓના ઔરા (શરીર ઊર્જા) અને મનને અસર કરે છે. દરેક ગ્રહ માં ખાસ ઊર્જા ગુણવત્તા હોય છે, જેને તેના ધાર્મિક સાહિત્યના લખાણો અને જ્યોતિષ સંદર્ભોના માધ્યમથી રૂપક શૈલીમાં વર્ણવવામાં આવે છે. જ્યારે મનુષ્ય જ્યારે પોતાના જન્મસ્થાનમાં પ્રથમ શ્વાસ લે છે ત્યારથી જ ગ્રહો ની ઊર્જા તેના ઔરા સાથે નિશ્ચિત રીતે જોડાઈ જાય છે. જ્યાં સુધી વ્યક્તિનું વર્તમાન શરીર આ પૃથ્વી પર નિવાસ કરે છે ત્યાં સુધી આ ઊર્જા તેની સાથે જોડાયેલી રહે છે.[૫] "નવ ગ્રહો વૈશ્વિક, આદ્યસ્વરૂપીય ઊર્જાના સંવાહક છે. દરેક ગ્રહોની વિશિષ્ટતાઓ સ્થૂલ અને સૂક્ષ્મ જગતમાં –ઉપરની જેમ જ નીચે પણ બંને ધ્રૂવો વચ્ચેનું સમગ્રતયા સંતુલન જાળવી રાખવામાં મદદ કરે છે..."[૬]

માનવો પણ જે તે ગ્રહ ના અધિષ્ઠાતા દેવતા સાથે સંમ્યમના માધ્યમથી ચોક્કસ પસંદગીના ગ્રહ ની ઊર્જા સાથે એકરૂપતા સાધવા સક્ષમ છે. પૂજા કરનારના જન્મ સ્થળની સાપેક્ષ ઊર્જાઓના અનુસંધાનમાં આ અધિષ્ઠાતા દેવતાઓની પૂજાની અસર તેના પર પડે છે, તેનો આધાર જે તે ગ્રહો દ્વારા ધારણ કરવામાં આવેલા ભાવ પર રહેલો છે. "આપણા દ્વારા હંમેશા મેળવવામાં આવતી વૈશ્વિક ઊર્જામાં વિવિધ અવકાશીય પદાર્થોમાં આવતી વિવિધ પ્રકારની ઊર્જાનો સમાવેશ થયેલો હોય છે." "જ્યારે આપણે કોઇ મંત્રનો જાપ કરીએ છીએ ત્યારે નિશ્ચિત ફ્રિક્વન્સી (તરંગલંબાઈ) સાથે સુમેળ થાય છે અને આ તરંગ લંબાઈ વૈશ્વિક ઊર્જા સાથે આપણો સંપર્ક સાધી આપે છે અને તેને આપણા શરીર અને આજુબાજુના વાતાવરણમાં લઈ આવે છે."[૭]

ગ્રહો, તારાઓ અને અન્ય અવકાશીય પદાર્થો સજીવ ઊર્જા ધારકો જે બ્રહ્માંડના અન્ય પ્રાણીઓ પર અસર કરે છે, તેના સંદર્ભો અનેક પ્રાચીન સંસ્કૃતિઓમાં જોવા મળે છે અને અસંખ્ય આધુનિક કાલ્પનિક લખાણોની પૃષ્ઠભૂમિ છે (જેમકે સ્ટેનિસ્લેવ લેમનું સોલારીસ, આ જ શીર્ષકની ફિલ્મ પણ જુઓ).

નવગ્રહ[ફેરફાર કરો]

Navagraha, British Museum originally from Konark, Orissa. From left: Surya, Chandra, Mangala, Budha, Brihaspati, Shukra, Shani, Rahu, Ketu

સૂર્ય[ફેરફાર કરો]

સૂર્ય (દેવનાગરી: सूर्य, સૂર્ય (sūrya)) મુખ્ય ગ્રહ છે, સૌર દેવતા, આદિત્યોમાંના એક, કશ્યપ અને તેમની એક પત્નીઓ અદિતીના પુત્ર, [૮]ના ઇન્દ્ર અથવા દ્યઉસ પિટર (જે વિવિધ સંસ્કરણો પર આધારિત). તેમના વાળ અને હાથ સોનાના છે. તેમનો રથ સાત ઘોડાઓ દ્વારા ખેંચવામાં આવે છે, જે સાત ચક્રોનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ રવિના રૂપમાં "રવિ વાર"ના સ્વામી છે.

હિંદુ ધાર્મિક સાહિત્યમાં, સૂર્યને વિશિષ્ટ રીતે ભગવાનના દ્રશ્ય સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યો છે, જેને રોજ જોઈ શકાય છે. વધુમાં શૈવપંથીઓ અને વૈષ્ણવો સૂર્યને અનુક્રમે શિવ અને વિષ્ણુના એક સ્વરૂપ તરીકે માને છે. દાખલા તરીકે, વૈષ્ણવો સૂર્યને સૂર્ય નારાયણ કહે છે. શૈવ શાસ્ત્રોમાં, સૂર્યને અષ્ટમૂર્તિ તરીકે ઓળખવામાં આવતા શિવના આઠ સ્વરૂપોમાંના એક કહેવામાં આવ્યા છે.

તે સત્વ ગુણના બનેલા છે અને આત્મા, રાજા, ઉચ્ચસ્થાને બેઠેલા વ્યક્તિ અથવા પિતાનું પ્રતિનિધિત્વ કરે છે.

હિંદુ પુરાણો અનુસાર, સૂર્યના પ્રસિદ્ધ સંતાનોમાં શનિ, યમ (મૃત્યુના દેવતા) અને કર્ણ (મહાભારતથી જાણીતો)નો સમાવેશ થાય છે.

ગાયત્રી મંત્ર અથવા આદિત્ય હૃદય મંત્ર (આદિત્યહૃદયમ્)નો જાપ કરવાથી સૂર્ય દેવતાને રીઝવી શકાય છે.

સૂર્ય સાથે સંકળાયેલું અનાજ છે આખા ઘઉં.

ચંદ્ર[ફેરફાર કરો]

ચંદ્ર (દેવનાગરી चंद्र) ચંદ્ર દેવતા છે. ચંદ્ર (moon)ને સોમ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેને વૈદિક ચંદ્ર દેવતા સોમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને યુવા, સુંદર, ગોરા, બે-હાથવાળા અને તેમના હાથમાં દંડ અને કમળ હોય તે રીતે વર્ણન કરવામાં આવ્યા છે.[૯] તે (ચંદ્ર)દરરોજ રાત્રે દસ સફેદ ઘોડા અથવા હરણ દ્વારા ખેંચવામાં આવતા તેમના રથમાં સમગ્ર આકાશમાં ફરે છે. તેમને ઝાકળ સાથે જોડવામાં આવે છે અને તેવી રીતે તે ફળદ્રુપતાના એક દેવતા માનવામાં આવે છે. તેમને નિષાધિપતિ (નિશા=રાત્રિ; અધિપતિ=સ્વામી) અને ક્ષુપારક (જે રાત્રિને પ્રકાશિત કરનાર) તરીકે પણ ઓળખવામાં આવે છે.[૧૦] સોમ તરીકે તે સોમવાર ના સ્વામી છે. તે સત્વ ગુણ ધરાવે છે અને મન, રાણી અથવા માતાનું પ્રતિનિધિત્વ કરે છે.

મંગળ[ફેરફાર કરો]

મંગળ (દેવનાગરી: मंगल) લાલગ્રહ મંગળના સ્વામી છે. મંગળને સંસ્કૃતમાં અંગારક (જે કલરમાં રાતો છે) અથવા ભૌમા (ભૂમિનો પુત્ર) પણ કહેવામાં આવે છે. તે યુદ્ધના દેવતા છે અને બ્રહ્મચારી છે. તેમને પૃથ્વી અથવા ભૂમિ, પૃથ્વી દેવીના પુત્ર તરીકે માનવામાં આવે છે. તેઓ મેષ અને વૃશ્ચિક રાશિના સ્વામી અને મનોગત વિજ્ઞાન (રુચકા મહાપુરુષ યોગ)ના શિક્ષક છે. તેઓ તમસ ગુણ પ્રકૃતિ ધરાવે છે અને ઊર્જાગત ક્રિયાઓ, આત્મવિશ્વાસ અને અહમનું પ્રતિનિધિત્વ કરે છે.

તેમને લાલ રંગ અથવા આગ જ્વાળાના રંગમાં, ચાર-ભૂજાઓમાં ત્રિશૂળ, દંડ, કમળ અને ભાલો ધારણ કરેલા હોય તેમ ચિત્રણ કરવામાં આવે છે. તેમનું વાહન ઘેટું છે. તેઓ 'મંગળ-વાર'ના સ્વામી છે.[૧૦]

બુધ[ફેરફાર કરો]

બુધ (દેવનાગરી: बुध ) બુધ ગ્રહના અધિષ્ઠાતા દેવતા છે અને ચંદ્ર (ધ મૂન)અને તારા (તારકા)થી થયેલા પુત્ર છે. તેઓ ચીજવસ્તુઓના દેવતા અને વેપારીઓના રક્ષક છે. તેઓ રાજસ ગુણ ધરાવે છે અને સંવાદનું પ્રતિનિધિત્વ કરે છે.

તેઓ શાંત, કુશળ વક્તા અને કલરમાં લીલા રંગના છે. તેમને રામગઢ મંદિરમાં હાથમાં ખંજર, દંડ અને ઢાલ ધારણ કરીને એક પાંખવાળા સિંહની સવારી કરતા હોય તે રીતે દર્શાવવામાં આવ્યા છે. અન્ય ચિત્રકૃતિઓમાં તેમને હાથમાં રાજદંડ અને કમળ ધારણ કરીને કાલિન અથવા ગરુડ અથવા સિંહો દ્વારા ખેંચવામાં આવતા રથમાં સવાર થયેલા દર્શાવવામાં આવ્યા છે.[૧૧]

બુધ 'બુધ-વાર'ના સ્વામી છે. આધુનિક હિન્દી, તેલુગુ, બંગાળી, મરાઠી, કન્નડા અને ગુજરાતીમાં બુધવાર કહેવાય છે, જ્યારે તમિલ અને મલયાલમમાં બુધાન કહેવામાં આવે છે.

બૃહસ્પતિ[ફેરફાર કરો]

બૃહસ્પતિ (દેવનાગરી: बृहस्पति ) દેવોના ગુરુ છે, શીલ અને ધર્મના અવતાર છે, પ્રાર્થના અને બલિદાનો મુખ્યત્વે તેમને અર્પણ કરવામાં આવે છે, તેઓ દેવોના પુરોહિત તરીકેનું પ્રતિનિધિત્વ કરે છે જે દેવો સાથે મનુ્ષ્યો માટે મધ્યસ્થી કરે છે. તેઓ ગુરુ ગ્રહના સ્વામી છે. તેઓ સત્વ ગુણ ધરાવે છે અને જ્ઞાન તથા શિક્ષણનું પ્રતિનિધિત્વ કરે છે. મોટા ભાગના લોકો બૃહસ્પતિને "ગુરુ" તરીકે ઓળખાવે છે.

હિંદુ પુરાણો અનુસાર, તેઓ દેવોના ગુરુ છે અને દાનવોના ગુરુ શુક્રાચાર્યના કટ્ટર શત્રુ છે. તેઓ જ્ઞાન અને વાકચાતુર્યના દેવતા તરીકે ગુરુ તરીકે પણ જાણીતા છે, જેમની સાથે વિવિધ સાહિત્યિક કાર્યો જોડવામાં આવ્યા છે, જેમકે "નાસ્તિક" બાર્હસ્પત્યા સુત્ર

તેમનું તત્વ આકાશ અથવા વાતાવરણ છે, અને તેમની દિશા ઉત્તર-પૂર્વ છે. તેમને પીળા અથવા સોનેરી રંગના હાથમાં દંડ, કમળ અને માળા ધારણ કરેલા હોય તે રીતે વર્ણવવામાં આવ્યા છે. તેઓ 'ગુરુ-વાર' અથવા બૃહસ્પતિવાર અથવા ગુરુવારના સ્વામી છે.[૧૧]

શુક્ર[ફેરફાર કરો]

તેઓ શુક્રના ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે.

શુક્ર, સંસ્કૃતમાં "સ્પષ્ટ, શુદ્ધ" અથવા "ચમકીલું, સ્પષ્ટતા", ભૃગુ અને ઉશાનના પુત્રનું નામ છે, અને તેઓ દૈત્યોના શિક્ષક અને અસુરોના ગુરુ છે, તેમને શુક્રના ગ્રહ (વધારે સન્માનીય રીતે, शुक्राचार्य શુક્રાચાર્ય ) તરીકે ઓળખવામાં આવે છે. તેઓ 'શુક્ર-વાર' અથવા શુક્રવારના સ્વામી છે. તેઓ રાજસ પ્રકૃતિ ધરાવે છે અને સંપત્તિ, ધન અને પ્રજનનનું પ્રતિનિધિત્વ કરે છે.

તેઓ ગોરો વર્ણ ધરાવતા, મધ્યમ-વયના અને ભોળો ચહેરો ધરાવે છે. તેમને વિવિધ પ્રકારના પ્રાણીઓ પર આરોહણ કરતા દર્શાવાયા છે, જેમ કે ઊંટ અથવા ઘોડો અથવા મગર. તેઓ હાથમાં દંડ, માળા અને કમળ ધારણ કરેલા અને ક્યારેક ધનુષ્ય-બાણ ધારણ કરેલા દર્શાવાયા છે.[૧૨]

જ્યોતિષશાસ્ત્રમાં, શુક્ર દશા નામની દશા અથવા ગ્રહનો સમયગાળો છે, જે વ્યક્તિના જન્માક્ષરમાં 20 વર્ષ સુધી કાર્યરત રહે છે. જો વ્યક્તિના જન્માક્ષરમાં શુક્ર યોગ્ય સ્થાને હોવા ઉપરાંત જન્માક્ષરમાં શુક્ર મહત્વના લાભકર્તા ગ્રહ તરીકે હોય તો આ દશા વ્યક્તિને વધારે સંપત્તિ, નસીબ અને ભોગવિલાસ આપતી હોવાનું માનવામાં આવે છે.

શનિ[ફેરફાર કરો]

શનિ (દેવનાગરી: शनि, શનિ ) હિંદુ જ્યોતિષશાસ્ત્ર (વૈદિક જ્યોતિષ) અનુસાર મહત્વના નવ ખગોળીય ગ્રહોમાં સ્થાન ધરાવે છે. શનિ શનિગ્રહમાં રહેલા છે. શનિ શનિવારના સ્વામી છે. તેમનું તત્વ વાયુ અને દિશા પશ્ચિમ છે. ઓ તામસ પ્રકૃતિ ધરાવે છે અને કઠિન માર્ગીય શિક્ષણ, કારકિર્દી અને દીર્ઘાયુનું પ્રતિનિધિત્વ કરે છે.

શનિ (शनि) શબ્દનું મુળ નીચે મુજબ મળે છે: શનયે ક્રમતિ સ: (शनये क्रमति सः), અર્થાત જે ધીમેથી ગતિ કરે છે. શનિગ્રહને સૂર્યની પ્રદક્ષિણા કરતાં 30 વર્ષ લાગે છે, એટલે કે અન્ય ગ્રહોની સરખામણીએ તે ધીમે ગતિ કરે છે, આમ સંસ્કૃતમાં તેનું નામ શનિ (शनि) છે. શનિ હકીકતમાં અર્ધ-દેવતા છે અને સૂર્ય (હિંદુ સૂર્યદેવતા) અને તેમની પત્ની છાયાના પુત્ર છે. એવું માનવામાં આવે છે કે જ્યારે તેમણે બાળક તરીકે પ્રથમ વખત તેમની આંખો ખોલી ત્યારે સૂર્ય ગ્રહણમાં ચાલ્યા ગયા હતા, જે સ્પષ્ટરીતે જન્માક્ષરમાં શનિનો પ્રભાવ દર્શાવે છે.

તેમને કાળા રંગમાં, કાળા કપડામાં હાથમાં તલવાર, બાણ અને બે ખંજર સાથે અને વિવિધ રીતે કાળા કાગડા પર આરોહણ કરેલા દર્શાવવામાં આવ્યા છે. તેમને ઘણી વખત બદસુરત, ઘરડા, લંગડા અને લાંબા વાળ, દાંત અને નખ ધરાવતા હોય તે રીતે દર્શાવવામાં આવ્યા છે. તેઓ 'શનિ-વાર' અથવા શનિવારના સ્વામી છે.[૧૨]

રાહુ[ફેરફાર કરો]

રાહુ (દેવનાગરી: राहु ) એ ચઢતી/ઉત્તર ચંદ્ર વૃત્તાકારના દેવતા છે. રાહુ રાક્ષસી સાપના સ્વામી છે, જે હિંદુ પુરાણો અનુસાર સૂર્ય અથવા ચંદ્રને ગળી જાય છે જેના કારણે ગ્રહણ થાય છે. તેમને કલાજગતમાં એવા રાક્ષસ તરીકે દર્શાવવામાં આવ્યા છે જેનું શરીર નથી અને આઠ કાળા ઘોડાઓ દ્વારા ખેંચવામાં આવતા રથમાં સવાર છે. તેઓ તમસ અસુર છે જેમણે અરાજકતામાં વ્યક્તિના જીવનના કોઈ ભાગમાં તેનું નિયંત્રણ મેળવવા શ્રેષ્ઠ પ્રયત્નો કરે છે. રાહુ કાળ ને અશુભ માનવામાં આવે છે.

દંતકથા અનુસાર, સમુદ્ર મંથન દરમિયાન, અસુર રાહુએ થોડું દિવ્ય અમૃત પીધું હતું. પરંતુ અમૃત તેના ગળાની નીચે ઉતરે તે પહેલાં, મોહિની (વિષ્ણુના સ્ત્રી અવતાર)એ તેમનું માથુ કાપી નાંખ્યું. જો કે માથું અમર રહ્યું અને તેને રાહુ કહે છે, જ્યારે બાકીનું શરીર કેતુ બન્યું. એવું પણ માનવામાં આવે છે કે અમર માથું પ્રસંગોપાત સૂર્ય અને ચંદ્રને ગળી જાય છે જેના કારણે ગ્રહણ થાય છે. પછી સૂર્ય અથવા ચંદ્ર ગળામાંથી પસાર થાય છે, જેના કારણે ગ્રહણ પુરું થાય છે.

કેતુ[ફેરફાર કરો]

કેતુ (દેવનાગરી: केतु) ઉતરતા/દક્ષિણ ચંદ્ર વૃત્તાકાર સ્વામી છે. કેતુનો ઉલ્લેખ સામાન્ય રીતે "છાયા" ગ્રહ તરીકે કરવામાં આવે છે. તેને રાક્ષસી સાપની પૂંછડી માનવામાં આવે છે. માનવોની જિંદગી અને સમગ્ર સર્જન પર તેની ખૂબ જ અસર હોવાનું માનવામાં આવે છે. કેટલાક ખાસ સંજોગોમાં તે કેટલાક લોકોને પ્રસિદ્ધિની ટોચ પર પહોંચવામાં મદદ કરે છે. તેમની પ્રકૃતિ તામસ છે અને તે આધિભૌતિક અસરોનું પ્રતિનિધિત્વ કરે છે.

જ્યોતિષશાસ્ત્રની રીતે, કેતુ અને રાહુ સૂર્ય અને ચંદ્રના આકાશી ક્ષેત્ર માર્ગના પ્રતિચ્છેદન બિંદુ દર્શાવે છે કારણ કે તે અવકાશી પથમાં ગતિ કરે છે. તેથી રાહુ અને કેતુને અનુક્રમે ઉત્તર અને દક્ષિણ ચંદ્ર વૃત્તાકાર કહેવામાં આવે છે. હકીકતમાં જ્યારે સૂર્ય અને ચંદ્ર આમાંથી એક બિંદુ પર પહોંચે ત્યારે ગ્રહણ થાય છે જેણે સૂર્ય અને ચંદ્રને ગણી જવાતા હોવાની વાર્તાને જન્મ આપ્યો છે.

સંબંધિત લાક્ષણિકતાઓ[ફેરફાર કરો]

દરેક ગ્રહ નિશ્ચિત લાક્ષણિકતાઓ સાથે સંકળાયેલા છે, જેમ કે રંગ, ધાતુ, વગેરે, નીચેનું ટેબલ સૌથી મહત્વપૂર્ણ સંબંધો દર્શાવે છે:

લાક્ષણિકતા સૂર્ય દેવ (સન) ચંદ્ર (મૂન) મંગળ (માર્સ) બુધ (મર્ક્યુરી)
સહચરી સુવર્ણ અને છાયા રોહીણી શક્તિદેવી ઇલા
રંગ તાંબુ શ્વેત લાલ લીલો
જોડાયેલું લિંગ નર માદા નર તટસ્થ
ઘટકતત્વો આગ જળ આગ પૃથ્વી
ઇશ્વર અગ્નિ વરૂણ સુબ્રમણ્ય વિષ્ણુ
પ્રત્યાદી દેવતા રુદ્ર ગોવરી મુરૂગન વિષ્ણુ
ધાતુઓ સોનું/પિત્તળ ચાંદી પિત્તળ પિત્તળ
રત્ન લાલમણિ મોતી/ચંદ્રપત્થર લાલ પરવાળો પન્ના
શરીરનો ભાગ અસ્થિ રક્ત મજ્જા ત્વચા
સ્વાદ તીવ્ર ગંધ ખારું એસિડ મિશ્ર
ખોરાક ઘઉં ચોખા તુવેર મગ
ઋતુ ઉનાળો શિયાળો ઉનાળો પાનખર
દિશા પૂર્વ વાયવ્ય દક્ષિણ ઉત્તર
દિવસ રવિવાર સોમવાર મંગળવાર બુધવાર
લાક્ષણિકતા ગુરુ (જ્યુપિટર) શુક્ર (વિનસ) શનિ (સેટર્ન) રાહુ (નોર્થ નોડ) કેતુ (સાઉથ નોડ)
સહચરી તારા સુકિર્તી અને ઊર્જાસ્વાતિ નીલદેવી સિમ્હી ચિત્રલેખા
રંગ સોનું શ્વેત/પીળું કાળું/વાદળી ધુમાડિયો ધુમાડિયો
જોડાયેલું લિંગ નર માદા તટસ્થ - -
ઘટકતત્વો ઇથ જળ હવા હવા પૃથ્વી
ઇશ્વર ઈન્દ્ર ઇન્દ્રાણી બ્રહ્મા નિરિતિ ગણેશ
પ્રત્યાદી દેવતા બ્રહ્મા ઈન્દ્ર યમ મૃત્યુ ચિત્રગુપ્ત
ધાતુઓ સોનું ચાંદી લોખંડ સીસું સીસું
રત્ન પીળો નિલમ હીરો વાળદી નિલમ હેસોનાઇટ કેટ્સ આઇ
શરીરનો ભાગ મગજ વીર્ય સ્નાયુઓ - -
સ્વાદ મીઠો ખાટો એસ્ટ્રિજન્ટ - -
ખોરાક કાબુલી ચણા રાજમા તલ અડદ (મીંજ) ચણા
ઋતુ શિયાળો વસંતઋતુ તમામ ઋતુઓ - -
દિશા ઇશાન અગ્નિ પશ્ચિમ નૈઋત્ય -
દિવસ ગુરુવાર શુક્રવાર શનિવાર - -

હિંદુ રિવાજ અનુસાર નવગ્રહનું સ્થાન[ફેરફાર કરો]

ચિત્ર:Navagraha Temple.JPG

હિંદુ રિવાજ મુજબ, નવ ગ્રહોને ચોક્કસ રીતે એક જ ચોરસમાં સ્થાન આપવામાં આવે છે, જેમાં સૂર્ય મધ્યમાં હોય છે અને અન્ય દેવતાઓને સૂર્યની આજુબાજુ સ્થાન આપવામાં આવે છે; કોઈપણ બે દેવતાઓને એકબીજાની સામે જોતા હોય તે રીતે સ્થાન અપાતું નથી. દક્ષિણ ભારતમાં, તેમની પ્રતિમાઓ સામાન્ય રીતે તમામ મહત્વપૂર્ણ શૈવ મંદિરોમાં જોવા મળે છે. તેમને આવશ્યક રીતે અલગ જ ખંડમાં લગભગ ત્રણ ફૂટ ઊંચાઈ ધરાવતા મંચ પર અને સામાન્ય રીતે ગર્ભગૃહ ની ઉત્તર-પૂર્વ દિશામાં સ્થાન આપવામાં આવે છે.

આ રીતે જ્યારે ગોઠવણી કરવામાં આવે છે ત્યારે ગ્રહોને બે રીતે સ્થાપિત કરવામાં આવે છે, જેને આગમ પ્રતિષ્ઠા અને વૈદિક પ્રતિષ્ઠા તરીકે ઓળખવામાં આવે છે.

આગમ પ્રતિષ્ઠા માં સૂર્ય મધ્ય સ્થાન ગ્રહણ કરે છે, ચંદ્ર સૂર્યની પૂર્વમાં, બુધ તેમની દક્ષિણે, બૃહસ્પતિ પશ્ચિમે, શુક્ર ઉત્તરમાં, મંગળ દક્ષિણ-પૂર્વમાં, શનિ દક્ષિણ-પશ્ચિમે, રાહુ ઉત્તર-પશ્ચિમમાં અને કેતુ ઉત્તર-પૂર્વમાં હોય છે. સૂર્યનાર મંદિર, તિરુવિદાદૈમારુદુર, તીરુવૈયારુ અને તિરુચિરાપલ્લીના મંદિરોમાં આ પ્રકારની વ્યવસ્થાને અનુસરવામાં આવી છે.

વૈદિક પ્રતિષ્ઠા માં સૂર્ય હજુ પણ કેન્દ્રમાં છે પરંતુ શુક્ર પૂર્વમાં, મંગળ દક્ષિણમાં, શનિ પશ્ચિમમાં, બૃહસ્પતિ ઉત્તરમાં, ચંદ્ર અગ્નિમાં, રાહુ નૈઋત્યમાં, કેતુ વાયવ્યમાં અને બુધ ઇશાનમાં છે.

અન્ય મંદિરો નવગ્રહને અલગ રીતે સ્થાપિત કરે છે.

રામનાથાપુરમ જિલ્લામાં નવપશાના નામના સ્થળે પત્થરની નવ પાટોને નવગ્રહ તરીકે પૂજવામાં આવે છે. તિરુકુવાલૈ અને તિરુવારુર જેવા મંદિરોમાં, નવ ગ્રહો એક જ સીધી લાઇનમાં ઉભેલા છે. તિરુપ્પાયનીલિ મંદિરમાં તેઓને પત્થરમાં નવ ગોખ તરીકે દર્શાવવામાં આવ્યા છે.

ગન્ગૈકોન્ડા ચોલાપુરમ મંદિરમાં વિશિષ્ટ પ્રકારની માળખાકીય રચના છે, જેમાં નવ ગ્રહોને એક જ પત્થરમાં સ્થાપિત કરવામાં આવ્યા છે. સૂર્યને તેમા પ્રમુખ રીતે દર્શાવવામાં આવ્યા છે, જેમાં તે સાત ઘોડાવાળા બે પૈડાના રથમાં સારથી સાથે સવાર છે. અન્ય આઠ ગ્રહોને સૂર્યને મધ્યમાં રાખીને આઠ દિશામાં દર્શાવવામાં આવ્યા છે.

ચેન્નાઇના પોન્ડી બજારના આગાસ્થિયાર મંદિરમાં સાવ જ અલગ પ્રકારની સ્થાન વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં સૂર્યને મધ્યમાં ઉચ્ચસ્થાન પર બેસાડવામાં આવ્યા છે અને બાકીના ગ્રહો અષ્ટકોણીય રચનામાં સ્થાપિત છે. તેને અગાસ્તીયાર કટ્ટુ કહેવામાં આવે છે (ઋષિ અગસ્તિય (અગસ્ત્ય) દ્વારા શરૂ કરવામાં આવેલી વ્યવસ્થા).

નવગ્રહ મંદિરો[ફેરફાર કરો]

ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં નવગ્રહોની ચાલની વ્યક્તિના ભવિષ્ય નિર્ધારણમાં ખૂબ જ મોટી ભૂમિકા ભજવતી હોવાનું માનવામાં આવે છે. જન્માક્ષરમાં ખાડામાં રહેલા (નબળા સ્થાન પર રહેલા) ગ્રહની નકારાત્મક અસરને નાશ કરવા માટે અથવા ઉચ્ચસ્થાનમાં રહેલા ગ્રહને વધારે શક્તિ પ્રદાન કરવા માટે શ્રધ્ધાળુઓ સિદ્ધ નવગ્રહ મંદિરોની યાત્રા કરે છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

જ્યોતિષશાસ્ત્રના ગ્રહો

નોંધ[ફેરફાર કરો]

  1. સંસ્કૃત-અંગ્રેજ શબ્દકોષ મોનીયર વિલિયમ્સ દ્વારા, (c) 1899
  2. શ્યામસુંદર દાસ, ધ ફોલેસી ઓફ ધ ટ્રાન્સ સેટર્નિયન પ્લેનેન્ટસ. 1997. http://www.shyamasundaradasa.com/jyotish/resources/articles/fallacy_trans_saturnians/fallacy_trans-saturnians_1.html
  3. પ્રશ્ન માર્ગ ડો. બી. વી. રામન દ્વારા, મોતીલાલ બનારસીદાસ પબ્લિશર્સ પ્રાઇવેટ લિમિટેડ. દિલ્હી, ભારત દ્વારા પ્રકાશિત.
  4. પુરાણિક એનસાયક્લોપિડીયા વેતમ મણી દ્વારા, મોતીલાલ બનારસીદાસ પબ્લિશર્સ પ્રાઇવેટ લિમિટેડ. દિલ્હી, ભારત દ્વારા પ્રકાશિત.
  5. http://www.info2india.com/astrology/9-grahas-effects.html સંગ્રહિત ૨૦૧૦-૦૯-૨૮ ના રોજ વેબેક મશિન 9 Grahas effects
  6. વોઘ પૌલ મનલી સાથે વેદિક જ્યોતિષ ગ્રહોના જરૂરી અર્થો. http://astrologyforthesoul.com/vp/vedicastrologylesson5planetsgrahas.html સંગ્રહિત ૨૦૧૦-૧૦-૧૪ ના રોજ વેબેક મશિન
  7. ધ મિસ્ટ્રી ઓફ મંત્રાસ http://www.askastrologer.com/mantras.html
  8. વ્યાસના મહારાભારતનું ભાષાંતર કિસરી મોહન ગાંગુલી દ્વારા
  9. હિન્દુઓની પૌરાણિક કથા ચાર્લ્સ કોલમેન દ્વારા પાનું. 131
  10. ૧૦.૦ ૧૦.૧ હિન્દુઓની પૌરાણિક કથા ચાર્લ્સ કોલમેન દ્વારા પાનું.132
  11. ૧૧.૦ ૧૧.૧ હિન્દુઓની પૌરાણિક કથા ચાર્લ્સ કોલમેન દ્વારા પાનું. 133
  12. ૧૨.૦ ૧૨.૧ હિન્દુઓની પૌરાણિક કથા ચાર્લ્સ કોલમેન દ્વારા પાનું.134

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]

ઢાંચો:Navagraha ઢાંચો:HinduMythology