નાકરા

વિકિપીડિયામાંથી
નાકરા
—  ગામ  —
નાકરાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°26′31″N 70°07′03″E / 21.441864°N 70.117557°E / 21.441864; 70.117557
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જુનાગઢ
વસ્તી ૨,૭૮૮[૧] (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૯૪૮ /
સાક્ષરતા ૭૬.૧૫% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

નાકરા ભારત દેશ ના પશ્ચિમ માં આવેલ ગુજરાત રાજ્ય ના સૌરાષ્ટ્ર માં આવેલ મહત્વ ના જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાનું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, મગફળી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક અને માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સહકારી બેન્ક, ગૌશાળા, કોમ્યુનિટી હોલ તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ભૂગોળ[ફેરફાર કરો]

આ ગામની નજીકનું મથક બાંટવા (તા. માણાવદર) છે. જુનાગઢ શહેરથી ગામ ૫૦ કિ.મી. દુર છે. ગામ સમુદ્રથી ૩૫ કિ.મી. દૂર છે.

ધાર્મિક સ્થળો[ફેરફાર કરો]

આ ગામમાં હવેલી, મહાદેવ મંદિર, રામ મંદિર અને હનુમાન મંદિર જેવાં ધાર્મિક સ્થળો આવેલ છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Nakra Village Population, Caste - Manavadar Junagadh, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મેળવેલ ૧૯ ઓગસ્ટ ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]