બગોદરા
બગોદરા | |
|---|---|
નગર | |
| અક્ષાંશ-રેખાંશ: 22°38′23″N 72°12′07″E / 22.639798°N 72.201869°E | |
| દેશ | ભારત |
| રાજ્ય | ગુજરાત |
| તાલુકો | બાવળા |
| સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
| વાહન નોંધણી | GJ-1 |
બગોદરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં આવેલું એક ગામ છે. લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, ચણા, તુવેર, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજી અને જીરુંના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. ગામમાં ખેડૂત સહકારી મંડળી, એ.ડી.સી. બેન્ક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બેન્ક ઓફ બરોડા, અને યુનિયન બેંક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલા છે.
બગોદરાને સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર પણ ગણી શકાય છે. અહીંથી ગાંધીનગરથી રાજકોટ જતો રાષ્ટ્રીય ધોરી માર્ગ નં ૮-એ પસાર થાય છે. આ ધોરીમાર્ગ પર રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પર આવેલા વાસદ સાથે જોડતો રાજ્ય ધોરી માર્ગ પણ બગોદરા ખાતે ભેગો થાય છે. સૌરાષ્ટ્રથી વડોદરા કે વડોદરાથી દક્ષિણ દિશામાં જતાં વાહનો અહીંથી ફંટાઇને વાસદ તરફ જાય છે. એક ચાર માર્ગીય રોડ ભાવનગર તરફ સૌરાષ્ટ્રમાં પ્રવેશ કરે છે. વિરમગામ-નળ સરોવર એપ્રોચ રોડ બગોદરા ગામની ઉત્તર દિશામા જોડાય છે. અહીંથી દક્ષિણ તરફ ભાલ પંથક જેવો ભાતીગળ અને સાંસ્કૃતિક વિસ્તાર પ્રદેશ શરૂ થાય છે. ગામની પશ્વિમ દિશામાં ૨ કિલોમીટર આગળ ભોગાવો નદી આવેલી છે, જે ચોમાસામાં પાણીથી ભરપુર દરિયા જેવું સ્વરૂપ ધારણ કરે છે અને ૩ મહિના પછી સુકી થઈ જાય છે.[૧]
ઉત્તર દિશામાં નળ સરોવર રોડ પર ૨ કિલોમીટરના અંતરે જોગણી માતાનો મઢ આવેલ છે. આ સ્થળ પ્રાકૃતિક રીતે સુંદર અને પવિત્ર છે, જે ફૂલવાડી નામે ઓળખાય છે. ગામની સીમમાં દક્ષિણ તરફ ભાવનગર રોડ પર ૨ કિલોમીટરના અંતરે વનરાજી વચ્ચે એકલ દેવી માતાજીનું મંદિર આવેલું છે. બગોદરા ગામમાં સ્થાપત્ય વારસો જેવાં કે ગામના ઝાંપે સતી માના પાળીયા, મધ્યે ચબુતરો (પરબડી), કાશી વિશ્વનાથ મંદિર, અને ધરમશાળા આવેલ છે.
| ||||||||||||||||
|
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ વાઘેલા, અજિત. ભાતીગળ ભાલ એક રૂડો પ્રદેશ.
| આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |


