સભ્યની ચર્ચા:आर्यावर्त

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્વાગત![ફેરફાર કરો]

ભાઈશ્રી आर्यावर्त, સુપ્રભાત, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- ધવલ સુ. વ્યાસચર્ચા/યોગદાન ૨૨:૩૭, ૧૭ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

સહપ્રબંધક મિત્ર[ફેરફાર કરો]

              ધવલભાઈનું યોગદાન અમંગલ કે અપવિત્ર છે એમ મેં કહ્યું નથી. લેખનમાં દેખાતી ભૂલોને કારણે વિકિપિડિયાના પાના સારા નહિ એવા દેખાતા હતા તે અંગે મેં કહ્યું હતું, નહિ કે વાક્યમાંના ધવલભાઈના આશય કે માયના અંગે. ભૂલોથી બચવાની વાતને સ્વીકારી ધવલભાઈએ એ સુધારી પણ લીધી છે.તે ગુણ પાસે ગણાય. આમ છતાં તમારા બધાના લખાણથી તમારું એક જુદું જ દ્રષ્ટિ-બિંદુ છે એ મેં જોયું. તે કારણે એમાં મેં જે કંઇ કહ્યું છે તે આવી શકે એમ નથી. પણ ધવલભાઈ લખે છે : ‘સાહિત્ય અને જોડણીને હંમેશાં લેવાદેવા હોય જ એવું જરૂરી નથી’ હા, મને એની જાણ નહોતી. એમના દ્વારા મેં એ જાણ્યું.પણ મને તો એ સ્વીકાર્ય નથી જ. મારે મન સાહિત્ય અને જોડણીને લેવાદેવા છે જ, કારણ કે સાહિત્ય એ ’literary  productions’ નું ‘collective body’ છે.એ સાધન-સામગ્રી, ઉપકરણ, સરંજામ છે- દરેક તત્ત્વ એકતંબે (એક જૂથમાં) હોય છે અને એ રીતે જોડણીને હંમેશાં લેવાદેવા હોય છે. સાહિત્ય એટલે Association, Fellowship, Combination, Society, Literary અથવા Rhetorical  Composition છે. કોઈપણ વિષયની સામગ્રી તથા વિચાર ભાવના જ્ઞાન વગેરેનો ભાષામાં એકત્રિત થયેલો વૈભવ છે એ-’Literature in Journal ‘ છે-The science of Rhetoric , Art of poetry છે- કાવ્યનો પર્યાય છે (જેમાં રસ, ગુણ, અલંકારનો સમાસ હોય). સાહિત્ય એટલે A collection of materials for the production or performance of anything (a doubtful sense.)
            સામાન્ય રીતે સંશોધકોના નામ ઘણાએ સાંભળેલા હોતા નથી, કારણ કે વાર્તાકાર, નવલકથાકાર કે છાપામાં કોલમ લખનાર જેટલો  લોકપ્રિય હોય છે તેટલો સંશોધનકાર હોતો નથી. એટલે મારું નામ તમે સાંભળ્યું ન હોય એ સ્વાભાવિક છે, પણ મેં ઐતિહાસિક નવલકથાઓ પર પીએચ. ડી. કર્યું છે. આ ક્ષેત્ર અજાણ્યું નથી. 
            તમે સૌ મિત્રો સત્તાધારી છો અને સત્તાધિકારી હોવાને કારણે મારા લખાણનો  પોતાની રીતે મનચલી અર્થ કરી શકો છે.  જે અવાજ આવે છે તે અધિકાર જેની પાસે હોય તેનો છે. બાકી મેં જે કંઈ કહ્યું છે તેમાં  વિકિપિડિયાનાં પાનાં વધારે સારા આવે એ જ માત્ર હેતુ છે. પણ તમે કંઈક જુદું જ સમઝ્યા છો એટલે તમને ગુસ્સો આવે છે. મારા કરતાં તમારું દ્રષ્ટિ-બિંદુ જ જુદું છે એટલે પણ તમને ગુસ્સો આવે છે. તમારા બધાના લખાણથી મને સમઝાય છે કે વિકિની આચાર પદ્ધતિ અને ધોરણ જુદાં છે તેથી તેમાં મેં લખેલું આવી શકતું નથી. 
            ભવાઈ અંગેના મારા સંશોધન કાર્યમાં મને મદદ કરનાર અને સ્પોન્સર કરનાર સંસ્થાઓની યાદી અને એ પુસ્તકો પ્રગટ કરનારી સંસ્થાઓના નામ તથા દેશ-વિદેશના જે ગ્રંથાલયોએ તે સ્વીકાર્યા છે તે તમે જોશો તો તમને સમઝાશે કે મને મળવા યોગ્ય પ્રતિષ્ઠા અહીં જ પૂરી મળી ગઈ છે. એમાં વિશેષ કશું ઉમેરાવાનું નથી. વળી જનકભાઈના લેખમાં જનકભાઈ, પ્રિ.વિ જે. ત્રિવેદી અને કે. કા. શાસ્ત્રીની ઉંમર તો તમે જુઓ અને ગુજરાતમાં એમનું સ્થાન તો જુઓ- જે ઉંમરે તથા જે સ્થાન પરથી એમણે વાત કરી છે અને એ કક્ષાની આ  વ્યક્તિઓ છે કે પ્રચાર માટે ઉપયોગમાં લઈ શકાય એવું કશું ઉચ્ચારે જ નહિ. એમણે જે કહ્યું છે તે તટસ્થ ભાવે અને સ્વાભાવિક રીતે, એવા કોઈ ખાસ કારણ વિના અને જે યોગ્ય લાગ્યું છે તે  કહ્યું છે. 
             મને સમઝાય છે કે જનકભાઈનો લેખ વિકિની દોરવણી કે કામકાજ કરવાની રીતોમાં આવી શકતો નથી. હજી હું વીકિના ધોરણો સમઝવાનો પ્રયત્ન કરૂં છું.મને એ સમઝાશે અને યોગ્ય લાગશે તો યોગદાન આપવાનો પ્રયત્ન કરીશ. મારૂં યોગદાન હોય કે ના હોય વિકિને કશું નુકસાન થવાનું નથી કે કોઈ મોટો  ફેર પડવાનો નથી.

--કડકિયા કૃષ્ણકાંત (ચર્ચા) ૨૦:૧૫, ૧ ઓકટોબર ૨૦૧૫ (IST)

@કડકિયા કૃષ્ણકાંત,

અાપ વિકિ.ના નિયમો સમજવા માટે પ્રયત્ન કરી રહ્યાં છો તે જાણીને અાનંદ થયો. હું નવો અાવ્યો ત્યારે હું પણ મારી રીતે લેખ બનાવતો અને તે વિકિ. ને યોગ્ય ન હોવાથી ડિલિટ થઇ જતા હતા !! અાપ જોડણી સુધારવા માગતા હો તો ગુજરાતી વિકિ.માં ૨૫૦૦૦+ લેખો અાપની રાહ જોઈ રહ્યાં છે. વ્યક્તિગત રીતે બધાં જ જોડણી શુદ્ધ લખી શકતાં નથી તે હકીકત સ્વીકારવી જ રહીં છતાં વિકિ.માં અાપણે જોડણીશુદ્ધ ગુજરાતીમાં લખવાનો અભિગમ ધરાવીએ છીએ . અહીં જોડણી સુધારવા સિવાય બીજું પણ ઘણું કામ છે જેમાં સૌ મિત્રો પોતાની રીતે નિ:શુલ્ક રીતે પદરના ખર્ચે સહયોગ અાપે છે. અાપનો અાશય સારો હશે પણ રસ્તો સારો નહોતો. છતાં ધવલભાઈનો વ્યવહાર કેટલો સૌજન્યપૂર્ણ છે. હું અહીં પ્રબંધક નથી. ધવલભાઈ અને અશોકભાઇ પ્રબંધક છે. અાપ કહો છો તેવું સત્તાધિશ જેવું કશું નથી પણ વિકિ.ના નિયમો સૌને સરખી રીતે બંધનકર્તા છે. બહુબધાં નિયમો છે અેવું પણ નથી. પાયાના ધારાધોરણો અાપ વાંચી જશો. અાપ સભ્યપાનામાં અાવો લેખ નથી મૂકી શકતાં, હું, કાર્તિકભાઇ, અશોકભાઇ , ધવલભાઈ કે કોઇ મૂકી શકતું નથી.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૨૧:૫૪, ૧ ઓકટોબર ૨૦૧૫ (IST)

વિકિ ના પાનાંઓ સાચવવા અંગે[ફેરફાર કરો]

યોગેશભાઈ, ‘ જોડણી સુધારવા 25000+લેખો રાહ જોઈ રહ્યા છે‘ એ વિચાર જ ભૂલભરેલો છે. હેતુ સારો હશે પણ રાહ શુભ કે ભલો નથી. કારણ કે વિકિનો ઇતિહાસ લખાશે અને પાનાં સુધારેલા હશે તો ઇતિહાસ-લેખક્ને અપ્રામાણિક સામગ્રી ઉપલબ્ધ થશે. પાનાં ક્યાંક ઝેરોક્ષ થયેલા પણ હશે અને લેખક્ને હાથ લાગશે તો એ આ અપ્રામાણિકતાની નોંધ પણ લેશે. આવી ઘટના હિતકારી નથી. ‘ઇતિહાસ’ નો પ્રયોગ જે થાય છે એમાં ભૂતકાલના વ્યવહારો તથા ઘટનાઓ જ આવે છે. ‘આસ’ નો અર્થ જ ‘હતું’. તમને જે વિચાર આવ્યો છે તે તો ભૂતકાળના લખાણોને, પ્રત્યક્ષ રૂપમાં ઉપસ્થિત કરવા વાળું જે ત્ત્ત્વ છે તેને, ઉપરથી નીચે લઈ જવાની વાત છે. માટે એ વિચાર જ છોડી દો. એ તમારી પૂંજી છે. આ પૂંજી કેટલી ઉપયોગી છે? અલગ બોલી-વિભાગોમાંથી અને અન્ય તરેહના વ્યક્તિત્વમાંથી આવેલા એ સાધન છે. એ વૈવિધ્યનો લાભ ભાષા-વિજ્ઞાની તથા ઉચ્ચારણ-શાત્રીને પણ મળવાનો . ગુજરાતી જોડણી ઉચ્ચારણ ઉપર આધારિત છે. માટે તો એ બદલાયા કરે છે. આ બદલાવટ અભ્યાસનો વિષય છે; દા. ત. નર્મદ ‘અમે તો જેવા છૈયે એવા છૈયે’ એમ લખતો. (છતાં આપણે એ લખાણ બદલી નાખતા નથી.) આજે આપણે ‘છીએ’ કે ‘છિયે’ એવો પ્રયોગ કરીએ છીએ.આવું એટલા માટે બને છે કે આટલા વર્ષોમાં આપણું ઉચ્ચારણ બદલાયું છે-તે એવી રીતે બદલાયું છે કે જેની આપણને ખબર પણ પડતી નથી. ભાષા- વિજ્ઞાની, ઉચ્ચારણ–શાત્રી, ઇતિહાસ- લેખક ઇત્યાદિને માટે એ સામગ્રી અભ્યાસનો વિષય છે. જો એ ખડી પડેલ નહિ હોય તો જ કામમાં લાગવાની. માટે એને સાચવો. આપણી પાસે પ્રયોગ કરીને કરવા જેવું, વર્ણોનાં ઉચ્ચારણોનો તથા શબ્દોના માળખાનો અને વાક્યમાં શબ્દોના એકબીજા સાથેના સંબંધનો ખ્યાલ આપતું, વિજ્ઞાન નથી, તોપણ મર્મને પકડીને એવું કશું જ નથી રચાયું એમ પણ નથી. જેમ સંદર્ભો આપી અવતરણો આપવા જોઈએ, તે માટે તમારી પાસેની ઉપલબ્ધ સામગ્રી બહુ જ ખપમાં આવે તેમ છે. જે કોઈ એક જ વ્યક્તિ માટે અઘરું ગણાય –મંડળી બેસે તો જ એ સુલભ થઈ શકે. એમ કરવાથી મૂળ સામગ્રી પણ સાચવી શકાય અને હવે પછીનું લખાણ, તમે જે જોડણી શુદ્ધ લખવાના અભિગમની વાત કરો છો તે, પણ સિદ્ધ કરી શકાય.--કડકિયા કૃષ્ણકાંત (ચર્ચા) ૧૮:૫૦, ૭ ઓકટોબર ૨૦૧૫ (IST)

વિકિપીડિયા વિશે વિશેષ માહિતી[ફેરફાર કરો]

ભાઈ શ્રી યોગેશ, વિકિ પરિવારમાં આપનું સ્વાગત છે. વિકિ વિશે જરોરી માહિતી પ્રાથમિક સ્વાગત અને મદદ ના પાના માં મળી રહેશે. તે સિવાય આપને જો કોઈ ખાસ માહિતી જોઈએ તો મારો સંપર્ક કરી શકો છો. મારો ઈ મેલ sushant_savla@rediffmail.com આભાર --sushant (talk) ૦૯:૪૪, ૧૮ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

યોગેશભાઈ આપે એક લેખ બનાવ્યો તે કોઈ પુસ્તકમાંથી કે બ્લોગમાંથી લીધેલ લાગે છે. જો તેમ હોય તો આ પ્રમાણે બેઠેબેઠું લખાણ લેવું યોગ્ય નથી. તે ક્યા વિષય પર છે તેની પણ ચોખવટ જણાતી નથી. તમે શરૂઆત કરવા મુખપૃષ્ઠ પર જે કેટલાક લેખોની કડીઓ આપી છે તે વાંચી જાવ તેથી તમને લેખ કઈ પ્રમાણે લખવા તેની જાણ થશે. આભાર.--Vyom25 (talk) ૧૧:૫૨, ૧૮ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]
સુશાંતભાઇ, આપના સહકાર માટે ખૂબ ખૂબ આભાર. હું મદદ પાનું વાંચું છું. લગભગ પ્રાથમિક તમામ જાણકારી તેમાંથી જ મળી રહેશે. છતાં જરૂર પડે તો આપનો સંપર્ક કરીશ.

વ્યોમજી, મેં લેખ લીધો છે તે મારા જ બ્લોગમાંથી મેં જ મુદ્રીત કરેલો લેખ મૂક્યો છે. તે જે પુસ્તકનું લખાણ છે તેનું નામ, આવૃત્તિ, પૃષ્ઠ સંખ્યા નીચે કૌસમાં લખેલા છે. તેના શિર્ષક પરથી જ 'નામસ્મરણનો મહિમા' એ વિષય સ્પષ્ટ થઈ જાય છે. પણ લેખ ક્યા પ્રમાણે લખવા તે મારે વાંચવું પડશે, લેખમાં લખાણ વ્યવસ્થિત ગોઠવાયું નથી તેથી આપને સમજણ પડી નહિ હોય. મારો આ પ્રથમ જ પ્રયાસ જ હોય ક્ષમા કરશો. આભાર સહ. --યોગેશ કવીશ્વર (talk) ૦૦:૩૧, ૧૯ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

મને જાણ છે કે આપ હજુ શરૂઆત જ કરી રહ્યા છો માટે જ આપને મેં આ સંબંધે જાણ કરી. આપ મુખપૃષ્ઠ પર કેટલાક લેખો દેખાય છે તે જોઈ જાવ અથવા તમારો રસનો વિષય જણાવો તો હું તમારા ધ્યાન પર તે વિશે કોઈ સારો લેખ મુકીશ જેથી તમે વધુ સારી રીતે સમજી શકો. તમે લખાણ તમારા બ્લોગ પરથી જ લીધેલ છે તે બરાબર છે પરંતુ લેખ 'નામસ્મરણનો મહિમા' નામના પુસ્તક વિશે છે એવું હું સમજ્યો છું જો બરાબર ન હોય તો સુધારશો. સત્યના પ્રયોગો અથવા આત્મકથા અને ઍલ્કેમિસ્ટ ઉદાહરણ છે જો કે તે લેખો હજુ સુધારી શકાય તેમ છે છતાં શરૂઆત માટે તમે આ પ્રમાણે કોઈ પુસ્તકના લેખની શરૂઆત કરી શકો. બેઠું તેમ જ કરવાની જરૂર નથી પરંતુ ફક્ત આઈડિયા માટે.--Vyom25 (talk) ૧૧:૪૭, ૧૯ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]
વ્યોમભાઇ, આપનો ખૂબ ખૂબ આભાર. લેખ નામસ્મરણ એટલે કે ઇશ્વરનું સ્મરણ અને એના મહિમા વિશે છે. પુસ્તકનું નામ તો જીવનસંદેશ છે (જે લેખની નીચે લખેલું છે).આપે આપ્યા તે ઉદાહરણો અને બીજા સર્ચ દ્વારા શોધીને હું સુધારવાનો પ્રયત્ન કરું છું. ફરી કોઇ મદદની જરૂર પડે તો યોગ્ય સહકાર આપવા નમ્ર વિનંતી.--યોગેશ કવીશ્વર (talk) ૧૨:૦૬, ૧૯ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]
{{પત્યું}--યોગેશ કવીશ્વર (talk)
યોગેશભાઈ, એક બાબત પરત્વે આપનું ધ્યાન દોરવાનું કે અહિં બ્લૉગ પરથી કે અન્ય કોઈ પણ સ્થળેથી બેઠેબેઠું ઉપાડેલું લખાણ મૂકવું યોગ્ય નથી. બ્લૉગ અને વિકિપીડિયા વચ્ચે મૂળભુત તફાવત છે, જેમાં બ્લૉગ એ વૈઅક્તિક વિચારોની રજૂઆતનું માધ્યમ છે જ્યારે વિકિપીડિયા જ્ઞાન માટેના લખાણનું માધ્યમ છે. આ જ્ઞાનનો ઉપયોગ કરતી વખતે વ્યક્તિ તેમાં તટસ્થતા ઈચ્છે છે, જે બ્લૉગના લખાણમાં સ્વાભાવિક રીતે જ ન હોય કેમકે બ્લૉગ કોઈ એક વ્યક્તિએ પોતાની નજરથી જે તે વિષયની મૂલવણી કરીને લખ્યો હોય. આપે લખેલો પુસ્તક પરિચય વિકિપીડીયાની પરિભાષામાં બંધબેસતો નથી. વધુમાં એ કે અહિં ઉપદેશાત્મક કે ભલામણ કરતા હોઈએ કે કોઈ વિષય/વ્યક્તિની પ્રશક્સ્તિ કરતા હોઈએ તે પ્રકારના લેખોને પણ સ્થાન નથી. આપને વિનંતિ કે અહિંના અન્ય લેખો પહેલા વાંચી જૂઓ અને પછી આપના લખેલા લેખને શીર્ષક સહિત તે મૂજબનો કરો. હાલ પુરતું હું તેમાં ડિલિશન ટેગ મારું છું, જેથી તે રડારમાંથી છટકી ન જાય. આપ તેમાં જરૂરી સુધારા કરી દેશો તો હું તે ટેગ સહર્ષ દૂર કરીશ. વધુ ચર્ચા માટે મારી ચર્ચાનાં પાના પર બેધડક સંપર્ક કરશો.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૩૫, ૧૯ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]
ધવલભાઇ આપની વાત સાચી છે. હું આજે જ મારી અનુકૂળતાના સમયે એમાં સૂધારો કરું છું. ખરેખર તો ત્યારે મને લેખ કેમ બનાવવો તે વિશે પણ કશી માહિતી હતી નહિ, એટલે નિયમો અંગે પણ સ્વાભાવિક રીતે જ માહિતી ન હોય. આ પાનું દૂર કરવામાં આવે તો પણ કશો વાંધો નથી. જોકે હમણા જ મેં લેખ અંગેની નિતી વગેરેનું વાંચન કર્યું છે. બીજું એ કે નામ સ્મરણ એ આધ્યાત્મિક સાધનાનો એક પ્રકાર છે અને આપણી ભારતીય સંસ્કૃતિનો દ્યોતક છે. તેના વિશે માહિતી તો હોવી જોઇએ. પણ હું તેને વિકિના બંધબેસતા ચોખઠાને અનુરૂપ ફરીથી સુધારું છું. આપના મુશ્કેલી પડી એ માટે ક્ષમા કરશો.--યોગેશ કવીશ્વર (talk) ૨૩:૨૪, ૧૯ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]
યોગેશભાઈ, આભાર આપનો અને ક્ષમા માગવાની કોઈ જરૂર નથી, નવા હોઈએ ત્યારે આવું થાય એ સ્વાભાવિક છે. સુંદર વાત એ છે કે તમે નીતિઓથી માહિતગાર થઈ રહ્યા છો અને આ આખી વાતને સમજી શક્યા છો.--ધવલચર્ચા/યોગદાન ૦૧:૨૬, ૨૦ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

આ ક્ષેત્રે સ્વાગત[ફેરફાર કરો]

શ્રી યોગેશભાઈ, બ્લૉગ જગતમાંથી અહિં આ ક્ષેત્રમાં આપનું યોગદાન કરવા આવવા બદલ હું આપનું હાર્દિક સ્વાગત કરું છું.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૨૮, ૧૯ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

આપનો ખૂબ ખૂબ આભાર ધવલભાઇ.--યોગેશ કવીશ્વર (talk) ૦૦:૧૫, ૨૦ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

દૂર કરવા વિનંતી નામસ્મરણ મહિમા has been listed at વિકિપીડિયા:દૂર કરવા વિનંતી so that the community can discuss whether it should be kept or not. We would appreciate it if you could go to voice your opinion about this at its entry.

If you created this image, please note that the fact that it has been proposed for deletion does not necessarily mean that we do not value your kind contribution. It simply means that one person believes that there is some specific problem with it, such as a copyright issue. If the file is up for deletion because it has been superseded by a superior derivative of your work, consider the notion that although the file may be deleted, your hard work (which we all greatly appreciate) lives on in the new file.
In all cases, please do not take the deletion request personally. It is never intended as such. Thank you!

ધવલચર્ચા/યોગદાન ૧૬:૩૬, ૧૯ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

દૂર કરવા વિનંતી ચર્ચા:મુઘલકાળ has been listed at વિકિપીડિયા:દૂર કરવા વિનંતી so that the community can discuss whether it should be kept or not. We would appreciate it if you could go to voice your opinion about this at its entry.

If you created this image, please note that the fact that it has been proposed for deletion does not necessarily mean that we do not value your kind contribution. It simply means that one person believes that there is some specific problem with it, such as a copyright issue. If the file is up for deletion because it has been superseded by a superior derivative of your work, consider the notion that although the file may be deleted, your hard work (which we all greatly appreciate) lives on in the new file.
In all cases, please do not take the deletion request personally. It is never intended as such. Thank you!

Rahul Bott (talk) ૧૮:૪૬, ૧૯ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

લાપાળીયા[ફેરફાર કરો]

યોગેશભાઈ તમે લપાળીયા પાનું રદ કરવા વિનંતી કરી છે અને તેને સ્થાને લાપાળીયા નામનું પાનું બનાવી દીધું છે. હવે તમારી સુવિધા માટે એક ધ્યાન દોરવાનું કે જ્યારે પાનાંનું ફક્ત નામ જ બદલવું હોય ત્યારે આ પ્રમાણે કરવાને બદલે જે પાનાનું નામ બદલવું હોય તે ખોલી અને તેમાં ઉપરને ભાગે ઈતિહાસ જુઓની પડખે એક સ્ટાર છે અને તેની અને શોધોની વચ્ચે એક નાનું તીરનું નિશાન છે જેના પર માઉસ પોઈન્ટર લઈ જતાં ખસેડો એવું એક ઓપ્સન દેખાશે જેના પર ક્લિક કરતાં પાનું ખુલસે જેમાં હાલનાં પાનાં જે નામ પર ખસેડવું હોય તે નવું નામ લખવા જગ્યા અપાશે. ત્યાં નવું નામ લખી અને સાચવો આપી દેવાનું જેથી લેખનું નામ બદલાઈ જશે. ત્યારબાદ જૂના નામવાળું પાનું રીડારેક્ટ થયું હશે તે ખોલીને ત્યાં રદ કરો આપી દેવાનું. આ બાબતે વધુ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો.--Vyom25 (talk) ૧૦:૫૪, ૨૦ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

આભાર વ્યોમભાઇ. એ પ્રમાણે પ્રયત્ન કરું છું. કંઇ મુશ્કેલી પડે તો ફરી લખુ.--યોગેશ કવીશ્વર (talk) ૧૧:૦૧, ૨૦ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

વ્યોમભાઇ, મેં પ્રયત્ન કર્યો પણ ઉપરના ભાગે ઇતિહાસ જુઓની બાજુમાં જે સ્ટાર છે તે અને શોધ બોક્સની વચ્ચે કોઇ જ નાનું તીરનું નિશાન દેખાતું નથી. કદાચ આ સુવિધા પ્રબંધકો માટે જ હશે એવું બની શકે.--યોગેશ કવીશ્વર (talk) ૧૧:૦૬, ૨૦ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

યોગેશભાઈ, હું પ્રબંધક નથી. તમને વચ્ચે કોઈ વસ્તુ નજરે ચડે છે? કે વચ્ચે કાંઈ જ નથી?--Vyom25 (talk) ૧૭:૦૪, ૨૦ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]
યોગેશભાઈ તે નિશાન તીરનું નહિ પણ નીચેની દિશા તરફ એક નાનકા ત્રિકોણનું હોય છે. તે નિશાન તમે તમારા સભ્ય નામ સાથે લોગઈન કરશો પછી જ દેખાશે. ( લાગે છે તમે ઈંટરનેટ એક્સપ્લોરર વાપરો છો. મને પણ ઈંટરનેટ્ એક્સપ્લોરરમાં તે ત્રિકોણ દેખાતો નથી) તેને બદલે મોઝીલા ફાયરફોક્સ વાપરશો. ભારતીય ભાષાઓમાં કામ કરવા તે આદર્શ બ્રાઉઝર છે. --sushant (talk) ૨૦:૩૯, ૨૦ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]
એ ડાઉન એરો કે જૂની કુટંબ નિયોજનની નિશાની જેવો ઉન્ધો ત્રિકોણ બ્રાઉઝર પર નિર્ભર નથી કરતો. હું પણ IE જ વાપરું છું. અહી યોગદાન માટે આપે આપણી પસંદ બદલવાની કોઈ જરૂર નથી. તમને માફક આવતું હોય તે બ્રાઉઝર વાપરી શકો છો. --ધવલચર્ચા/યોગદાન ૨૩:૦૫, ૨૦ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]
આપ જો સ્ટાર જેવા દેખાતા બટનની વાત કરતા હો તો એ દેખાય છે. પણ એ તો આ પાનું તમારી ધ્યાનસૂચીમાં ઉમેરો કે ધ્યાનસૂચીમાંથી કાઢી નાખો એ માટેની સુવિધા આપે છે.ખસેડવા માટે આપ જે કહો છો તેવો ખરે જ કોઇ વિકલ્પ દેખાતો નથી.--યોગેશ કવીશ્વર (talk) ૦૦:૨૪, ૨૧ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]
યોગેશભાઈ, તે સ્ટારની બાજુમાં એક વધારાનું ડ્રોપડાઉન મેનુ હોવું જોઈએ, જે તમે હજુ નવા સભ્ય છો તે કારણે નહિ દેખાતું હોય. બીજા શબ્દોમાં કહું તો તમે નવા બનેલા સભ્ય છો એટલે તે સુવિધા તમને ઉપલબ્ધ નથી. અમુક સંખ્યામાં યોગદાન કર્યા બાદ (અથવા નિશ્ચિત સમયમર્યાદા પછી) તે સુવિધા આપને ઉપલબ્ધ થશે. નવા બનેલા સભ્યો વિકિની બધી જ નીતિઓથી વાકેફ ન હોય અને તે કારણે હયાત માળખાને નુકશાન ન થાય તે હેતુથી જ આ પ્રકારની અમુક મર્યાદાઓ મૂકવામાં આવી છે.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૫૮, ૨૧ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

આભાર ધવલભાઇ. એમ જ હોવું જોઇએ. એ મેનુ મને હજુ સુધી દેખાતું નથી.--યોગેશ કવીશ્વર (talk) ૦૮:૪૯, ૨૧ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

તમને મારી પસંદ એવું છેક ઉપરના ભાગે એક કડી આપેલ હશે; મારી ચર્ચાની બાજુમાં, તેમાં જાવ અને સમુહોના સભ્ય એવું ત્રીજા ક્રમે લખેલ હશે તેની સામે શું લખેલ છે? ફક્ત સભ્ય કે પછી સભ્ય, સ્વયંચલિય માન્ય સભ્ય એવું લખેલ છે?--Vyom25 (talk) ૧૦:૫૬, ૨૧ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

વ્યોમભાઇ, સમુહના સભ્યમાં સભ્ય એવું લખેલું છે.--યોગેશ કવીશ્વર (talk) ૧૧:૦૦, ૨૧ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

તે જ્યારે સભ્ય, સ્વયંચલિત માન્ય સભ્ય થશે ત્યારે તમને ઉપર ચર્ચેલ નિશાની દેખાશે. આ કેટલાંક યોગદાનો પછી થશે; મોટાભાગે ૫૦નો આંકડો હોય છે અહિં મને યાદ નથી કેટલો છે? પણ તમે ચિંતા કર્યા વિના યોગદાન આપતા રહો તે આપોઆપ થઈ જશે.--Vyom25 (talk) ૧૧:૦૫, ૨૧ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

૫૦ સંપાદનોનો આકડો તો હું થોડા સમયમાં જ પૂરો કરી શકું. જોઇએ શું થાય છે.--યોગેશ કવીશ્વર (talk) ૧૧:૧૦, ૨૧ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

આજથી હું સ્વયમચાલીત સભ્યોમાં આવી ગયો છું, હવે ખસેડોનો વિકલ્પ દેખાય છે. મારા દિવસો ૪ અને સંપાદનોની સંખ્યા ૮૦ સુધી થઈ છે. ખરેખર તો આ સુવિધા ૧૦ સંપાદનોમાં જ મળી જાય છે પણ ઓછામાં ઓછા ૪ દિવસ થયા હોવા જોઇએ.--યોગેશ કવીશ્વર (talk) ૧૧:૨૦, ૨૨ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

વાહ, સરસ...--Vyom25 (talk) ૧૧:૩૨, ૨૨ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

આપના પ્રેમભાવ માટે હ્રદયપૂર્વક ધન્યવાદ. ભવિષ્યમાં પણ આ રીતે જ સહકાર આપતા રહેશો એવી વિનંતી.--યોગેશ કવીશ્વર (talk)

આપના વિષે થોડી વધુ માહિતી[ફેરફાર કરો]

યોગેશભાઈ, આપના પાનામાં આપનું હાલનો વસવટ, ભણતર, કોઈ ખાસ કાર્ય ક્ષેત્રમાં મહારત હોય તો. તે વિષે જણવશો. જેથી કોઈ ખાસ વાતે અટકતા આપનું કાર્ય ક્ષેત્ર હોય તો આપનો સંપર્ક કરી શકાય. અન્ય એક વાત : શું આપ ઈ મેલ લીસ્ટના મેમ્બર બન્યા છો. તે લિસ્ટમાં રજિસ્ટર કરવાથી આપને ગુજરાતી વિકિ કાર્યક્રમોની માહિતી મળતી રહેશે. અને જો આપ પણ કોઈ માહિતી નોંધેલા સભ્યોને પહોંચાડાવા માંગો તો સામૂહીક રીતે પહોંચાડી શકશો. આ મેલિંગ લીસ્ટ માટે અહીં નોંધણી કરી શકશો - ગુજરાતી મેઈલિંગ લીસ્ટ --sushant (talk) ૨૦:૫૨, ૨૦ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

સુશાંતભાઇ હું પાનામાં ફેરફાર કરીને વિગતો ઉમેરું છું. મેલિંગ લિસ્ટમાં તો હું અગાઉથી જ સભ્ય છું.આભાર સહ.--યોગેશ કવીશ્વર (talk) ૦૦:૨૭, ૨૧ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

લેખમાં ચિત્રનું ઉમેરણ[ફેરફાર કરો]

યોગેશભાઈ, મારા ધ્યાને ચડ્યું કે તમે હમીરસર લેખમાં ચિત્ર ઉમેરવાનો પ્રયત્ન કરી રહ્યા છો. અહિં કોઈ પણ ચિત્ર ઉમેરવા માટે પહેલા તે વિકિમીડિયા કોમન્સમાં ચડાવવું પડે છે. આ બધી જ માહિતી વારંવાર પૂછાતા સવાલોમાં આપવામાં આવી છે. મારી સલાહ છે કે ઉપર મારા તરફથી મૂકવામાં આવેલા સ્વાગત સંદેશાને જરા ધ્યાનથી વાંચી જાઓ, તેમાં આપેલી એકે-એક કડીઓ પરના લેખો જોઈ જુઓ, તેમ કરવાથી તમને બધી જ પ્રાથમિક માહિતી મળી રહેશે. જો કે ચિત્ર ચડાવવા માટે તમે કોમન્સ પરની આ કડી અનુસરશો. અને હા, વિકિ પર આપે જાતે પાડેલા ફોટા જ અપલોડ કરી શકો છો, અન્ય કોઈ વ્યક્તિના ફોટા કે કોઈ વેબસાઇટ પરથી લીધેલા ચિત્રો અહિં અપલોડ કરી શકાતા નથી તે વાતનું ધ્યાન રાખશો. હંમેશની જેમ ફરી એક વખત કહીશ કે, વધુ માહિતી માટે મારો સંપર્ક કરતા ખચકાશો નહિ.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૨૩, ૨૧ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

આભાર ધવલભાઇ..--યોગેશ કવીશ્વર (talk) ૦૮:૫૪, ૨૧ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

મૂળદાસ[ફેરફાર કરો]

યોગેશભાઈ, મૂળદાસના લેખમાં તમે જે ભજનો અંતે ઉમેર્યા છે તે અહિંથી રદ કરી અને વિકિસ્રોત પર ખસેડો એવી મારી વિનંતી છે. (હું એવું ધારું છું કે આ ભજનો મૂળદાસના જ છે એવી તમને ખાતરી છે)--Vyom25 (talk) ૧૬:૫૯, ૨૧ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

વ્યોમભાઇ, અમુક ભજનો તો વિકિસ્ત્રોતમાં છે જ. એક નથી તે ત્યાં ઉમેરીને અહીંથી ખસેડી નાખુ છું.--યોગેશ કવીશ્વર (talk) ૨૨:૦૪, ૨૧ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

ત્યાં હોય તો અહીં રાખવાની જરૂર નથી. અહિં માત્ર કડી આપી શકાય જે હું આપી દઉં છું.--Vyom25 (talk) ૦૦:૪૫, ૨૨ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

સંદર્ભો[ફેરફાર કરો]

યોગેશભાઈ, તમે નવા લેખો જાત મહેનતે (અન્ય વિકિમાંથી લાવીને નહિ) બનાવી રહ્યા છો તે ખૂબ સરાહનિય કાર્ય છે. કોઈ પણ કાર્યની શરૂઆતમાં જ તો તેને પૂરેપૂરા નીતિનિયમો સાથે કરીએ તો કાર્યમાં કોઈ પણ કચાશ રહેવાની સંભાવના રહેતી નથી. તમે જોયું છે કે પેલા ભાઈ અનેક લેખકોમાં સંદર્ભ ખૂટે છે તે સબબના અને લેખની વિશ્વસનિયતા પર પ્રશ્ન ઉઠાવતા ઢાંચા ઉમેરે છે. ખરૂં કહું તો તેઓ સાચા છે. કેમકે વિકિપીડિયામાં અસંદર્ભ કોઈ પણ માહિતી મૂકી શકાતી નથી. કેમકે આ સામુહિક યોગદાનનું માધ્યમ છે, કોઈ અહિં કંઈપણ માહિતી મૂકે, તો વાંચકને વિશ્વાસ કેવી રીતે બેસે કે તે લખાણ સાચું છે? અને તે કારણે જ દરેક માહિતી તેના સંદર્ભ સાથે રજૂ કરવાની હોય છે. જેથી વાંચકના મનમાં શંકા જાગે ત્યારે તે સંદર્ભ ચકાસી જૂએ અને તે સંદર્ભ સ્રોતમાં વિશ્વાસ હોય તો લખાણને માને નહિતર અવગણે. તમે મૂકેલી માહિતી માટે તમે સંદર્ભ અંતમાં તો ઉમેરો જ છો, પરંતુ તે સંદર્ભની કિંમત ત્યારે જ છે જ્યારે તે inline ઉમેરવામાં આવ્યા હોય. આ ફકરો જોશો તો ખ્યાલ આવશે કે ઇનલાઇન રેફરન્સ એટલે શું. તમે ઉમેરેલા પુસ્તક અને દિવ્ય ભાસ્કરના સંદર્ભો નીચે મૂજબ લખીને લેખમાં યથાસ્થાને ઉમેરવાના છે. નીચેના ઢાંચામાં પુસ્તક અંગેની માહિતીમાં પૂષ્ઠ સંખ્યા, પ્રકાશન વર્ષ, લેખકનું નામ વગેરે તમારે ઉમેરવું પડશે. પણ આ રીતે તૈયાર કરેલા સંદર્ભો ઉમેરતા તમારો લેખ એકદમ પરફેક્ટ બની જશે. <ref>{{cite news | url=http://religion.divyabhaskar.co.in/2010/04/30/social-worker-gujarati-saints-926358.html | title=માનવધર્મનાં મંદિરો થકી સમાજને બેઠો કરનારા અનોખા ગુજરાતી સંતો | work=સમાચાર | date=](30/04/2010 | agency=દિવ્ય ભાસ્કર | accessdate=2013-05-25 | author=મણીલાલ એમ. પટેલ | location=અમદાવાદ, ગુજરાત, ભારત}}</ref> <ref>{{cite book | title=ભગતમાં ભગવાન | publisher=હરિઃૐ આશ્રમ, સુરત | author=અજ્ઞાત (અથવા લેખકનું નામ) | year=૨૦૦૦ | location=સુરત, ગુજરાત | pages=૧૨-૧૮}}</ref> મદદની જરૂર પડે તો કહેજો.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૩૧, ૨૫ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

 કામ થઈ ગયું જોઇ જવા વિનંતી.--યોગેશ કવીશ્વર (talk)
મેં પ્રથમ ફકરામાં જે રીતે ફેરફાર કર્યો છે તે પ્રમાણે બધાનો કરી કાઢો, પછી બીજું કાઈ હશે તો જોઈશું.--Vyom25 (talk) ૧૧:૨૪, ૨૬ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]
સરસ. આભાર વ્યોમભાઈનો પણ. હું પણ જોઈ લઈશ.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૩૧, ૨૬ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]
ધવલભાઇ, વ્યોમભાઇએ કહ્યું હતું તે રીતે પણ ફેરફાર કરી નાખ્યો છે. આપ બન્નેના સહકાર અને માર્ગદર્શન માટે આપનો આભારી છું.--યોગેશ કવીશ્વર (talk)
હવે જોઈ જોશો. વારેવારે વપરાતા એક જ સંદર્ભને આ રીતે રજૂ કરવામાં આવે છે. પરંતુ તમે જ્યારે પહેલી વખત કામ કરતા હોવ ત્યારે બધું જ પરફેક્ટ કરો કે થાય એવી અપેક્ષા રખાય નહિ. તમે જેટલું કર્યું તેટલું ઘણા જૂના સભ્યો હજુ આજે પણ નથી કરી શકતા. એટલે તેને માટે ધન્યવાદ અને અભિનંદન!--ધવલચર્ચા/યોગદાન ૧૬:૨૮, ૨૬ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

આભાર ધવલભાઇ, ધીરે ધીરે બધું આવડી જશે. જો કે મને જે કંઇ પણ આવડ્યું તેમાં આપનું મોટું યોગદાન છે.--યોગેશ કવીશ્વર (talk)

ના ભાઈ ના, તમે તમારી ધગશને કારણે શિખ્યા છો. હું સૌથી નબળો શિક્ષક છું.--ધવલચર્ચા/યોગદાન ૦૧:૪૧, ૨૮ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

હીરા મુખસે ના કહે કી લાખ અમારા મોલ..--યોગેશ કવીશ્વર (talk)

શ્રેણી સુધાર કાર્યક્રમ[ફેરફાર કરો]

શ્રી.યોગેશભાઈ, પ્રથમ તો આપ ઘણું ઉપયોગી કાર્ય કરો છો (અને એ પણ બહુ ઓછા સમયમાં શીખી લઈને) એ બદલ હાર્દિક ધન્યવાદ. હવે મારી વિનંતી; મેં જોયું કે આપે કેટલાંક ગામોમાં (વાગડ પંથકના) શ્રેણી સુધારનું કાર્ય કર્યું. સ_રસ. તો જ્યારે પણ આપ આ પ્રકારે શ્રેણી ઉપર કાર્ય કરો ત્યારે, સાથે સાથે, જે તે લેખમાં જો ઉતરોત્તર ઉપલી શ્રેણીઓ હોવાનું ધ્યાને આવે તો તેને પણ હટાવતા જશો તો એક પંથ દો કાજ જેવું થશે. આપણે એકસાથે બધે જ શ્રેણી સુધારમાં પહોંચી નહિ વળીએ. આપ સમા સૌ મિત્રો જ્યારે અને જે લેખ પર કંઈ સંપાદન કરે ત્યારે જોડે જોડે શ્રેણીઓની વ્યવસ્થા પણ ગોઠવે તો એ કામ પણ સાથે ચાલતું રહે. શ્રેણી વિશે ઉદાહરણથી જણાવું તો : ગામડાનાં લેખમાં "તાલુકો અબક" શ્રેણી સાથે "જિલ્લો અબક" કે "રાજ્ય અબક" શ્રેણી હોય તો એ જિલ્લાની/રાજ્યની શ્રેણી હટાવી દેવી. અર્થાત શ્રેણીવૃક્ષમાં ઉપલી કક્ષાએ આવતી સઘળી શ્રેણી હટાવવી. અગાઉ ઝાઝા લેખ ન હતાં, શ્રેણી વ્યવસ્થા થયેલી ન હતી, તેથી ઘણાં લેખોમાં આવી રીતે ગોટાળાસભર શ્રેણીઓ જોવા મળશે. જે હવે આપણે સૌ, ધ્યાને ચઢતું રહે તેમ, હટાવતા, ગોઠવતા રહીશું. આ માત્ર નમ્ર વિનંતી છે. આપની અનુકૂળતા પ્રમાણે કાર્ય કરશોજી. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૨૫, ૧ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]

આભાર અશોકભાઇ. વાગડના ગામડાઓના લેખોમાં મેં જોયુ ત્યારે તેમાં ગુજરાતના ગામો, અબક તાલુકો અને અબક જિલ્લો એ બધી જ શ્રેણી હતી. આપ જે કહો છો તે મુજબ ગામડાના લેખોમાં તાલુકાની જ શ્રેણી રાખવાની જિલ્લાની કે રાજ્યની તેમાં હોય તો હટાવી દેવી. આ જ રીતે તાલુકામાં અબક જિલ્લાના તાલુકાઓ વાળી રાખવાની અને જિલ્લાના લેખોમાં ગુજરાતની શ્રેણી રાખવાની; બરાબરને ? મારે સમજવામાં કંઇ ભૂલ હોય તો જણાવશો. અન્ય સંપાદનોની સાથે સાથે હું આ કાર્ય પણ કરતો રહીશ.--યોગેશ કવીશ્વર (talk) ૨૨:૪૫, ૧ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]
વાહ ! જો કે હું ’સમજાવવામાં’ થોડો નબળો છું ! પણ આપ ખરી બાબત સમજી ગયા. એમ જ ઉતરોત્તર શ્રેણી ગોઠવવાની છે. આપનો સહકાર અમુલ્ય છે. હાર્દિક આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૩૩, ૪ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]
એક નમ્ર સૂચન, દરેક ગામડાનાં લેખમાં આપણે શ્રેણી "ગુજરાતનાં ગામો" રહેવા દઈએ છીએ. (એનાથી ગામડાંઓની સંપૂર્ણ યાદી એક જગ્યાએ તૈયાર થશે.) (આ પ્રમાણે જ ’શહેરો અને નગરો’ વાળી શ્રેણી પણ કાર્યરત છે.) આટલો સુધારો ધ્યાને લેશોજી. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૭:૦૫, ૪ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]
ભલે અશોકભાઇ, તો જે ગામમાં આ શ્રેણી દૂર કરી હે ત્યાં ફરી ઉમેરી દઇશ.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૨૧:૪૭, ૪ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]

અભિનંદન[ફેરફાર કરો]

અભૂતપૂર્વ નવોદિત બાર્નસ્ટાર
યોગેશભાઈ, ખૂબ જ ટૂંક જ સમયમાં વિકિપીડિયાની મુક્ત વિચારસરણીને અનુસરીને અહીં અમૂલ્ય યોગદાન આપવા બદલ આપનો ખૂબ આભાર. ગુજરાતી વિકીપીડિયાને આપના સંપાદનનો સહયોગ મળતો રહે તે જ અભ્યર્થના -- સમકિત (ચર્ચા/યોગદાન) ૦૯:૫૫, ૫ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]


અરે વાહ ! ખૂબ ખૂબ આભાર સમકિતભાઇ.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૦:૦૦, ૫ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]
અને આ સન્માનમાં અમે પણ સાથ પુરાવીએ છીએ. યોગેશભાઈનું યોગદાન ખરે જ સન્માનને યોગ્ય છે. ઘણું સરસ કાર્ય. સમકિતભાઈનો પણ આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૪૨, ૫ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]
આભાર અશોકભાઇ, મને પ્રોત્સાહન આપવા માટે. આપનો સહકાર મળતો રહેશે તો આ કાર્ય આમ જ ચાલુ રહેશે.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૨૨:૦૫, ૫ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]
હું પણ સમકિતભાઈ અને અશોકભાઈ સાથે સૂર પુરાવું. અભિનંદન યોગેશભાઈ!--ધવલચર્ચા/યોગદાન ૦૪:૧૫, ૬ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]
હું તો ધન્ય ધન્ય થઈ ગયો ! આભાર ધવલભાઇ-યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૧:૦૧, ૬ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]
યોગેશભાઈ મોડેથી મારા પણ સૂરનો અન્યોના સૂરમાં સાથ સમજવો પછી ભલે તે પંચમ સૂર હોય.--Vyom25 (talk) ૨૦:૦૮, ૭ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]
વ્યોમભાઇ, જે સૂર પ્રેમથી પ્રેરાઇને નીકળતો હોય તે પંચમ સૂર થોડો જ હોય. હા, કદાચ સાત સૂરોમાં તે ન પણ આવે પણ પ્રેમનો સૂર જ સાચો સૂર છે. આપની લાગણી માટે આભારી છું.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૨૦:૫૧, ૭ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]
હમમમ્.....સરસ....--Vyom25 (talk) ૨૧:૪૪, ૭ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]
આ જુઓઃ
Smiley2

--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૨૨:૩૯, ૭ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]

Restoring links that do not work[ફેરફાર કરો]

Not one of these links works અતિસાર#.E0.AA.AC.E0.AA.BE.E0.AA.B9.E0.AA.B0.E0.AB.80_.E0.AA.95.E0.AA.A1.E0.AB.80.E0.AA.93. Unsure why you restored them? Doc James (ચર્ચા) ૧૨:૦૫, ૧૫ ઓકટોબર ૨૦૧૫ (IST)

શ્રેણી ચર્ચા[ફેરફાર કરો]

{{subst:cdw|શ્રેણી:કાઠિયાવાડ}} કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૮:૩૦, ૪ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST)[ઉત્તર]

જાહેર વિજ્ઞપ્તિ[ફેરફાર કરો]

ભાઈ શ્રી યોગેશભાઈ, આપને ચેતવણીને બદલે વિનંતિ કરી રહ્યો છું કે તમે જે કોઈ ફેરફાર કરો તેના પરિણામો જોઈ લો. પરિણામ જોયા પછી લાગે કે તે ફેરફાને ણે ન થયું છે તો મહેરબાની કરીને તમારા ફેરફારો રિવર્ટ કરો. આજકાલ તમે જે કામો કરી રહ્યા છો તેને કારણે અન્યોની મહેનત અકારણે વધી રહી છે. તમારા જેવા જૂના, અનુભવી અને ઉત્સાહી સભ્ય પાસેથી આટલી આશા રાખવું ગેરવ્યાજબી નહિ જ ગણાય. બીજી વાત કે AWB કે એવા કોઈપણ ઓટોમેટેડ ટૂલનો ઉપયોગ કરતા પહેલા તેવા ફેરફારો વિષે ચર્ચા કરી લો અને સહમતિ સધાય પછી જ ફેરફાર કરવા, ક્યાંક એવું ન થાય કે તમે કરેલા ફેરફારો ભાંગફોડ ગણાવા લાગે અને તમારા પર પ્રતિબંધ મૂકવાનો વારો આવે.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૪૫, ૬ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST)[ઉત્તર]

@Dsvyas: આભાર ધવલભાઇ, આપને પડેલી અગવડતા માટે ક્ષમા ચાહુ છું.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૨૦:૨૨, ૬ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST)[ઉત્તર]
દૂર કરવા વિનંતી ઇંફાલ ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૨૬, ૧૧ મે ૨૦૧૬ (IST)[ઉત્તર]

પાનું ખસેડતાં..[ફેરફાર કરો]

.. તમે સાથે-સાથ ચર્ચા પાનું પણ ખસેડી શકો છો. આ માટે પાનું ખસેડવાનાં ફોર્મમાં નીચે એક ચેક-બોક્સની સુવિધા જોવા વિનંતી છે (જેથી તમારે બે ફેરફારો ન કરવા પડે). --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૧:૧૨, ૧૧ મે ૨૦૧૬ (IST)[ઉત્તર]

હા કાર્તિકભાઇ, કદાચ ઉતાવળમાં એ રહી ગયું હશે. આભાર સહ...-યોગેશ કવીશ્વર (ચર્ચા) ૨૨:૧૬, ૧૧ મે ૨૦૧૬ (IST)[ઉત્તર]

પ્રબંધક બાબતે[ફેરફાર કરો]

યોગેશભાઈ, તમે જો વિકિપીડિયા પર કોઈ યોગદાન ન કરવાના હોય તો અમે એક સક્રિય સભ્ય ગુમાવ્યાનો રંજ થશે. આથી તમને પ્રબંધક તરીકેના હક ના મળ્યા એ બદલ દુઃખી થયા વગર યોગદાન કરતા રેહશો. મેં મારો મત એટલા માટે નથી આપ્યો કારણકે હું સમર્થન કે વિરોધ બેય પક્ષે નથી. પ્રબંધકો ધરવા જેટલા સક્રિય ન હોય એ બાબતે સહમત પણ એટલા માત્રથી આપને પ્રબંધક ન બનાવી શકાય. મારું મંતવ્ય એ છે કે પ્રબંધકોને આપ એટલું બધું કામ સોંપો કે એ થાકીને તમને જ પ્રબંધક બનાવી દે. :) બીજી વાત, પ્રબંધક બનવા માટે મેં સમર્થન ન કરવાનું સૌથી મોટું કારણ એ છે કે પ્રબંધક હોવા માટે સૌથી અગત્યનું છે ખુબ જ શાંતિથી અકળાયા વગર સભ્યો સાથે કામ પાડવું અને ખંતથી કામ કરવું. પ્રબંધકો બ્લોક કે અન્ય ઘણું કરી શકે છે એથી એમનો સ્વભાવ શાંત હોવો જરૂરી છે. આપ ખુબ જલ્દીથી અકળાઈ જાવ છો, ખંતપૂર્વક કામ કરવા છતાં વારે વારે વિકિપીડિયા છોડી દેવાનું કહો છો અને બીજા સભ્યોનો હજુ વિશ્વાસ જીતી શક્યા નથી. આ જ બાબતો આપને પ્રબંધક બનતા રોકે છે. જો આપણી ઈચ્છા મુજબ ના થાય તો મન શાંત રાખી જે કામ શક્ય છે તેના પર ફોકસ કરવું એવું હું માનું છું. આ હજુ યોગદાન કરતા રહો અને પ્રબંધકોને ઘણું કામ બતાવતા રહો, મન શાંત રાખી બીજાઓનો વિશ્વાસ જીતો. આશા રાખું છું કે મારી વાત આપને ગમે. :) --Nizil Shah (ચર્ચા) ૨૩:૪૦, ૧૬ મે ૨૦૧૬ (IST)[ઉત્તર]

દૂર કરવા વિનંતી વિકિપીડિયા:નાકમાં વટાણાનાં દાણા ન નાખતા ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

ધવલચર્ચા/યોગદાન ૦૩:૫૧, ૧૭ મે ૨૦૧૬ (IST)[ઉત્તર]

Rio Olympics Edit-a-thon[ફેરફાર કરો]

Dear Friends & Wikipedians, Celebrate the world's biggest sporting festival on Wikipedia. The Rio Olympics Edit-a-thon aims to pay tribute to Indian athletes and sportsperson who represent India at Olympics. Please find more details here. The Athlete who represent their country at Olympics, often fail to attain their due recognition. They bring glory to the nation. Let's write articles on them, as a mark of tribute.

For every 20 articles created collectively, a tree will be planted. Similarly, when an editor completes 20 articles, a book will be awarded to him/her. Check the main page for more details. Thank you. Abhinav619 (sent using MediaWiki message delivery (ચર્ચા) ૨૨:૨૩, ૧૬ ઓગસ્ટ ૨૦૧૬ (IST), subscribe/unsubscribe)[ઉત્તર]

Aaryavarta sirji please become active on Gujarati Wiki again. Plss don't desert your mother toungue for hindi. --મિંકી ભટ્ટ (ચર્ચા) ૨૩:૦૫, ૨૭ જૂન ૨૦૧૭ (IST)[ઉત્તર]

@મિંકી ભટ્ટ: મહોદય, ધન્યવાદ. હું અવશ્ય સક્રિય રહીશ.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૨૩:૪૬, ૨૭ જૂન ૨૦૧૭ (IST)[ઉત્તર]

The Hinduism Barnstar[ફેરફાર કરો]

The Hinduism Award
હિન્દુત્વ અને સંસ્કૃતિ સંલગ્ન લેખો પરના સુંદર સંપાદનો બદલ સાભાર. અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૫૨, ૩૦ જુલાઇ ૨૦૧૭ (IST)[ઉત્તર]
આભાર અશોકભાઇ :)--आर्यावर्त (ચર્ચા) ૧૩:૨૬, ૫ ઓગસ્ટ ૨૦૧૭ (IST)[ઉત્તર]

નમસ્તે અર્યાંવાર્તા[ફેરફાર કરો]

આશા છે કે તમે સારા છો, હું ઓશો વિકિપિડિયા પૃષ્ઠ શરૂ કરવાની યોજના બનાવી રહ્યો હતો. હું ગુજરાતી સંપાદન મા નવો છું તે માટે તમારા મારગદર્શન ની વિનંતી છે Accesscrawl (ચર્ચા) ૨૧:૫૭, ૧૮ જુલાઇ ૨૦૧૮ (IST)[ઉત્તર]

Accesscrawl, આપનું સ્વાગત છે. શું આપ ગુજરાતી ભાષા જાણો છો? કેમ કે આપે જે સંદેશ લખ્યો છે તે મશીની અનુવાદ છે. આમ છતાં આપ લેખ બનાવી શકો છો. સુધારવામાં હું અવશ્ય મદદ કરીશ. --आर्यावर्त (ચર્ચા) ૧૫:૨૫, ૧૯ જુલાઇ ૨૦૧૮ (IST)[ઉત્તર]
@आर्यावर्त: ગુજરાતી મ્હારી માતૃભાષા નથી, પણ હું ગુજરાતી સમજી શકું છું.. લખવા મા થોડીક સમસ્યા છે, પણ એ માટે તમારી મદદ લેઈસ Accesscrawl (ચર્ચા) ૧૯:૨૯, ૧૯ જુલાઇ ૨૦૧૮ (IST)[ઉત્તર]
Welcome to Gujarati Wikipedia. Please don't use 100% Machine Translation when you create new article in guwiki. Start with small edits and stay here, get familiar and ask for help! :) --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૪૫, ૧૯ જુલાઇ ૨૦૧૮ (IST)[ઉત્તર]
દૂર કરવા વિનંતી અરીશફા ખાન ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૮:૨૭, ૨૪ જુલાઇ ૨૦૨૦ (IST)[ઉત્તર]

તમારા વિકિપીડિયાને વધુ સમૃદ્ધ બનાવવા માટે આવનારી સંશોધન પ્રવૃત્તિઓમાં ભાગ લઈને અમને મદદ કરો[ફેરફાર કરો]

પ્રિય @आर्यावर्त:,

વિકિપીડિયામાં તમારા મહત્વના યોગદાનો માટે આભાર!

તમારા વિકિપીડિયાને વધુ સમૃદ્ધ બનાવવા માટે આવનારી સંશોધન પ્રવૃત્તિઓમાં ભાગ લઈને અમને મદદ કરો. આ તક માટે વધુ જાણવા માટે, કેટલાંક પ્રશ્નોનો જવાબ આપો અને અમે યોગ્ય ઉમેદવારોને મોજણી કરવા માટે સંપર્ક કરીશું.

આભાર, BGerdemann (WMF) (ચર્ચા) ૨૨:૫૨, ૨૮ જુલાઇ ૨૦૨૦ (IST)[ઉત્તર]

આ મોજણી અન્ય સેવા વડે કરવામાં આવશે, જે વધારાની શરતોને આધીન છે. અંગતતા અને માહિતીને સાચવવાની શરતો માટે, મોજણીનું અંગતતા લખાણ જુઓ.

દૂર કરવા વિનંતી ઢાંચો:વિકિપીડિયા સમાચાર ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૮:૦૩, ૨૦ ઓગસ્ટ ૨૦૨૦ (IST)[ઉત્તર]

દૂર કરવા વિનંતી વિકિપીડિયા:નાકમાં વટાણાનાં દાણા ન નાખતા/ઓ બાપ રે ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૦:૪૧, ૨૮ ઓક્ટોબર ૨૦૨૦ (IST)[ઉત્તર]