દુર્વાસા
વિકિપીડિયાથી
દુર્વાસા હિન્દુધર્મનાં પ્રાચિન રૂષિ ગણાય છે.તેઓ રૂષિ અત્રિ અને અનસુયાનાં પુત્ર છે.તેઓ શિવનો અવતાર મનાય છે અને પોતાના અતિ ભયંકર ક્રોધ માટે જાણીતા છે.ક્રોધાવેશમાં આવી તે તુરંત શાપ આપી દેતા,જેને કારણે મનુષ્યો અને દેવતાઓ પણ તેનાથી ડરતા.જો કે તે જેના પર રીઝતા તેને વરદાન પણ તુરંત આપી દેતા,મહાભારતમાં પાંડુરાજાની પત્નિ કુંતીને તેમણે આપેલ વરદાનને કારણે પાંડવોનો જન્મ થયાની કથા છે.તેમણે કુંતીને વરદાનમાં મંત્ર આપેલ કે જેનાથી તે જે પણ દેવને ઇચ્છશે તે દેવ પાસેથી પુત્ર પ્રાપ્ત કરી શકશે,કુંતીએ આ મંત્રનો ઉપયોગ કરી નિચે મુજબનાં દેવો પાસેથી પુત્રોની પ્રાપ્તી કરેલ.
- સૂર્ય ના આશીર્વાદથી કર્ણ
- યમ ના આશીર્વાદથી યુધિષ્ઠિર
- વાયુ ના આશીર્વાદથી ભીમ
- ઇન્દ્ર ના આશીર્વાદથી અર્જુન
- અશ્વિની કુમાર ના આશીર્વાદથી માદ્રી(પાંડુરાજાની બિજી પત્નિ)ને સહદેવ અને નકુળ
|
|||||||||||