કરમડ (તા. ચુડા)

વિકિપીડિયામાંથી
કરમડ
—  ગામ  —
કરમડનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°28′46″N 71°40′51″E / 22.479481°N 71.680817°E / 22.479481; 71.680817
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સુરેન્દ્રનગર
તાલુકો ચુડા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી,
કપાસ, દિવેલા, રજકો, શાકભાજી

કરમડ (તા. ચુડા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્ય ના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર માં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા ચુડા તાલુકા માં આવેલું એક ગામ છે. કરમડ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ધાર્મિક સ્થળો[ફેરફાર કરો]

ગામમાં હનુમાન મંદીર તેમજ સ્વામિનારાયણ મંદીર આવેલાં છે. અહીં ભગવાન શ્રી સ્વામીનારાયણ પધાર્યા હતા, ત્યાં પ્રસાદીની થાંભલી તેમજ ચરણપાદુકા અને ઢોલીયો આવેલા છે. ગામમાં એક વાવ આવેલી છે. જે આશરે ૫૦૦ વર્ષ જૂની હોવાનું ગામના લોકો જણાવે છે.[સંદર્ભ આપો] આ વાવમાં માત્રી માતાનું મંદિર આવેલું છે. ગામમાં આવેલ હનુમાનજીના મંદિરે દર ચૈત્રી પૂનમના દિવસે નાનો એવો એક મેળો ભરાય છે.