ગામથી લગભગ ૧ માઇલ ઉત્તરે ચાર મંદિરોના ખંડેરો અને તળાવ આવેલું છે. આ મંદિરો કાઠી સમુદાયના લોકોએ બંધાવ્યું હતું જેઓ ૧,૫૦૦ વર્ષ પહેલાં અહીં સ્થાયી થયા હતા. આ મંદિરોમાં એક મંદિર દુર્ગા માતાનું છે અને તે ઉત્તમ પથ્થરો અને મૂર્તિઓ વડે બંધાયું હતું. હાલમાં આ મંદિરો ખંડિત અવસ્થામાં છે અને મોટાભાગની મૂર્તિઓ અન્ય સ્થળોએ લઇ જવાઇ છે. ગામથી ૧ માઇલ પૂર્વ દિશામાં કાઠીઓનું મોટું ગામ આવેલું છે જ્યાં ૧૫૦૨ (સંવત ૧૫૫૯)ની સાલના મહાદેવના મંદિરના અવશેષો જોવા મળે છે.[૧]