અમરાપર

વિકિપીડિયામાંથી
અમરાપર
—  ગામ  —
અમરાપરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°30′08″N 70°57′39″E / 23.502312°N 70.960758°E / 23.502312; 70.960758
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

અમરાપર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલા રાપર તાલુકામા આવેલુ નાનું ગામ છે. અમરાપર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

મેળો[ફેરફાર કરો]

દર વર્ષે અહીં મહંમદ ગઝનીના અમીર કારા કાસીમની યાદમાં મેળો યોજાય છે. કારા કાસીમને અહીં શાસન કરતા સામા રાજપૂતો દ્વારા ૧૪ સદીમાં હણી નાખવામાં આવ્યો હતો. આ મેળો ચૈત્ર વદના પ્રથમ સોમવારે (એપ્રિલ-મે) શરૂ થાય છે અને પાંચ દિવસ ચાલે છે, જે મુન્દ્રાના પીર શાહ મુરાદની દેખરેખમાં થાય છે. લોકો દરગાહ પર પૈસા, નારિયેર, કપડાં, બકરીઓ, ઘેટાં, મિઠાઇઓ અને ખજૂર ચડાવે છે.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Printed at the Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૨૧૦.
રાપર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન