લખાણ પર જાઓ

નથુગઢ (તા. ઘોઘા)

વિકિપીડિયામાંથી
નથુગઢ
  ગામ  
નથુગઢનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°33′13″N 72°09′49″E / 21.553568°N 72.163517°E / 21.553568; 72.163517
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભાવનગર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

નથુગઢ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જિલ્લાઓ પૈકીના એક એવા ભાવનગર જિલ્લાનાં મહત્વનાં તાલુકા ઘોઘા તાલુકામાં આવેલું એક ગામ છે[]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[]. ગામમાં પ્રાથમિક સારવાર માટે એક દવાખાનું આવેલું છે, આ ઉપરાંત ઘરવપરાશની વસ્તુઓ માટે ત્રણ દુકાનો આવેલી છે. ગામનો મુખ્ય વ્યવસાય ખેતી હોવાથી બે એગ્રો સેન્ટર આવેલા છે.

નથુગઢ ગામમાં રામજી મંદિર, ભોળાનાથનું મંદિર, રામદેવપીરનું મંદિર, ભૈરવનાથનું મંદિર, ખોડિયાર માનું મંદિર, જેવા દેવસ્થાનો આવેલા છે. અહીં નવું સ્મશાન આધુનિક રીતે બનાવવામાં આવ્યું છે.

ઘોઘા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. 1 2 જિલ્લા-પંચાયત, ભાવનગર (૦૭-ઓકટોબર-૨૦૧૩). "ભાવનગર જિલ્લા પંચાયતની વેબસાઇટ પર ઘોઘા તાલુકાના ગામોની યાદી". ગુજરાત સરકાર. મૂળ માંથી 2013-07-23 પર સંગ્રહિત. મેળવેલ ૦૭-ઓકટોબર-૨૦૧૩. {{cite web}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)