પ્રાણ (અભિનેતા)

વિકિપીડિયામાંથી
પ્રાણ
પ્રાણ, ૨૦૧૦માં
જન્મની વિગત
પ્રાણ કૃષ્ણ સિકંદ

(1919-02-12)12 February 1919
દિલ્હી, બ્રિટિશ ભારત (હાલમાં ભારત)
મૃત્યુ12 July 2013(2013-07-12) (ઉંમર 93)
વ્યવસાયઅભિનેતા
સક્રિય વર્ષો૧૯૨૭–૨૦૦૭
જીવનસાથી
શુક્લા સિકંદ (લ. 1935)
સંતાનોઅરવિંદ, સુનિલ, પીંકી
પુરસ્કારો૩ ફિલ્મફેર પુરસ્કારો
સન્માનોપદ્મભૂષણ (૨૦૦૧)
દાદા સાહેબ ફાળકે પુરસ્કાર (૨૦૧૩)
વેબસાઇટઅધિકૃત વેબસાઇટ

પ્રાણ (૧૨ ફેબ્રુઆરી ૧૯૨૦ – ૧૨ જુલાઇ ૨૦૧૩) હિન્દી ફિલ્મોના ખુબજ જાણીતા અને પ્રખ્યાત અભિનેતા હતા. એમણે મુખ્ય નાયકથી માંડીને સહાયક અભિનેતા તરીકેના પાત્રો ભજવ્યા હતા, પણ મુખ્યત્વે ખલનાયકના પાત્રમાં તેમણે ખૂબ જ સફળતા મેળવી હતી.[૧][૨]


કારકિર્દી[ફેરફાર કરો]

તેમનું મૂળ નામ પ્રાણ કૃષ્ણ સિકંદ હતું પણ તેમના ફિલ્મોના નામ પ્રાણથી જ તેઓ વધુ જાણીતા હતા. તેમનો જન્મ ૧૨ ફેબ્રુઆરી ૧૯૨૦ના રોજ જૂની દિલ્હીના કોટગઢમાં આવેલા બાલીમારનમાં સુખી-સંપન્ન પંજાબી કુટુંબમાં થયો હતો. તેઓ એમની ભૂમિકામાં દરેક પાત્રની જરૂરિયાત પ્રમાણે જાન રેડી દેતા હતા અને એને જીવંત બનાવી દેતા હતા. ૧૯૪૨માં રજૂ થયેલા ચલચિત્ર ખાનદાનથી તેમણે હિંદી ચલચિત્ર ઉદ્યોગમાં પદાર્પણ કર્યું હતું. મનોજ કુમાર જેવા અભિનેતા નિર્દેશકે એમને 'ઉપકાર' ચલચિત્રમાં મલંગચાચા નામના લંગડા પણ ભલા માણસની ભૂમિકા આપી હતી, તે ખૂબ યાદગાર નિવડી હતી. એ ફિલ્મનું એમના પર અંકિત થયેલું 'કસમે વાદે પ્યાર વફા' ગીત આજે પણ લોકોની સ્મૃતિમાં વસે છે. 'જંજીર' ફિલ્મમાં પણ એમની પઠાણની ભૂમિકા ખૂબ વખણાઈ હતી અને એમના પર અંકિત થયેલું 'યારી હૈ મેરા યાર જીન્દગી' અત્યંત લોકપ્રિય થયું હતું.

અવસાન[ફેરફાર કરો]

લાંબી બીમારીને કારણે ૧૨ જુલાઇ ૨૦૧૩ના દિવસે ૯૩ વર્ષની ઉમરે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન અવસાન થયું.[૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "બર્થ ડે સ્પેશિયલઃ ડરના કારણે માબાપે પ્રાણનું નામ રાખવાનું કર્યું હતું બંધ…". મુંબઇ સમાચાર. ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૩. મૂળ માંથી 2023-06-05 પર સંગ્રહિત. મેળવેલ ૧૫ જૂન ૨૦૨૩.
  2. Gulzar, Govind Nihalani, Saibal Chatterjee (2003). Encyclopaedia of Hindi Cinema. Encyclopædia Britannica (India) Pvt. Ltd. પૃષ્ઠ 605. ISBN 8179910660. મેળવેલ 15 April 2013.CS1 maint: multiple names: authors list (link)
  3. "અભિનેતા પ્રાણના નિધનથી ફિલ્મજગતમાં શોક". VTV. ૧૨ જુલાઇ ૨૦૧૩. મેળવેલ ૧૫ જૂન ૨૦૨૩.