પ્રાણ (અભિનેતા)
પ્રાણ | |
---|---|
![]() પ્રાણ, ૨૦૧૦માં | |
જન્મની વિગત | પ્રાણ ક્રિષ્ન સિકંદ 12 February 1919 |
મૃત્યુ | 12 July 2013 | (ઉંમર 93)
વ્યવસાય | અભિનેતા |
સક્રિય વર્ષો | ૧૯૨૭–૨૦૦૭ |
જીવનસાથી | શુક્લા સિકંદ (લ. 1935) |
સંતાનો | અરવિંદ, સુનિલ, પીંકી |
પુરસ્કારો | ૩ ફિલ્મફેર પુરસ્કારો |
સન્માનો | પદ્મભૂષણ (૨૦૦૧) દાદા સાહેબ ફાળકે પુરસ્કાર (૨૦૧૩) |
વેબસાઇટ | અધિકૃત વેબસાઇટ |
પ્રાણ (૧૨ ફેબ્રુઆરી ૧૯૨૦ – ૧૨ જુલાઇ ૨૦૧૩) હિન્દી ફિલ્મોના ખુબજ જાણીતા અને પ્રખ્યાત અભિનેતા હતા. એમણે મુખ્ય નાયકથી માંડીને સહાયક અભિનેતા તરીકેના પાત્રો ભજવ્યા હતા, પણ મુખ્યત્વે ખલનાયક (વિલન)ના પાત્રમાં તેમણે ખૂબ જ સફળતા મેળવી હતી.[૧]
કારકિર્દી[ફેરફાર કરો]
તેમનું મૂળ નામ પ્રાણ કૃષ્ણ સિકંદ હતું પણ તેમના ફિલ્મોના નામ પ્રાણથી જ તેઓ વધુ જાણીતા હતા. તેમનો જન્મ ૧૨ ફેબ્રુઆરી ૧૯૨૦ના રોજ જૂની દિલ્હીના કોટગઢમાં આવેલા બાલીમારનમાં સુખી-સંપન્ન પંજાબી કુટુંબમાં થયો હતો. તેઓ એમની ભૂમિકામાં દરેક પાત્રની જરૂરિયાત પ્રમાણે જાન રેડી દેતા હતા અને એને જીવંત બનાવી દેતા હતા. ૧૯૪૨માં રજૂ થયેલા ચલચિત્ર ખાનદાનથી તેમણે હિંદી ચલચિત્ર ઉદ્યોગમાં પદાર્પણ કર્યું હતું. મનોજ કુમાર જેવા અભિનેતા નિર્દેશકે એમને 'ઉપકાર' ચલચિત્રમાં મલંગચાચા નામના લંગડા પણ ભલા માણસની ભૂમિકા આપી હતી, તે ખૂબ યાદગાર નિવડી હતી. એ ફિલ્મનું એમના પર અંકિત થયેલું 'કસમે વાદે પ્યાર વફા' ગીત આજે પણ લોકોની સ્મૃતિમાં વસે છે.'જંજીર' ફિલ્મ માં પણ એમની પઠાણની ભૂમિકા ખુબ વખણાઈ હતી અને એમના પર અંકિત થયેલું 'યારી હૈ મેરા યાર જીન્દગી' અત્યંત લોકપ્રિય થયું હતું.
અવસાન[ફેરફાર કરો]
લાંબી બીમારીને કારણે ૧૨ જુલાઈ ૨૦૧૩ના દિવસે ૯૩ વર્ષની ઉમરે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન અવસાન થયું.[૨]
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ Gulzar, Govind Nihalani, Saibal Chatterjee (2003). Encyclopaedia of Hindi Cinema. Encyclopædia Britannica (India) Pvt. Ltd. પૃષ્ઠ 605. ISBN 8179910660. મેળવેલ 15 April 2013.CS1 maint: multiple names: authors list (link)
- ↑ "Legendary actor Pran dies at 93". NDTV. મેળવેલ 12 July 2013.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |