લખાણ પર જાઓ

મણિલાલ દ્વિવેદીની કૃતિઓની યાદી

વિકિપીડિયામાંથી
મણિલાલ દ્વિવેદી (૧૮૫૮–૧૮૯૮)

મણિલાલ નભુભાઈ દ્વિવેદી (૨૬ સપ્ટેમ્બર ૧૮૫૮ – ૧ ઓક્ટોબર ૧૮૯૮) ગુજરાતી નિબંધકાર, નાટ્યકાર, કવિ, વિવેચક, સંશોધક, સંપાદક, આત્મચરિત્રકાર, તત્ત્વચિંતક અને સમાજ સુધારક હતા. તેમણે તેમના જીવનકાળ દરમિયાન કવિતાઓ, નાટકો, નિબંધો, પુસ્તક-સમીક્ષાઓ, સાહિત્યિક ટીકા, સંશોધન, સંપાદન, અનુવાદો, સંકલન તેમજ આત્મકથાનું સર્જન કર્યું હતું.[] મણિલાલની લેખન કારકિર્દીની શરૂઆત ૧૮૭૬માં ‘શિક્ષાશતક’ નામની કવિતાથી થઈ હતી અને ૧૮૯૮માં તેમના મૃત્યુ સુધી ચાલુ રહી હતી.[] મણિલાલના મૃત્યુ પછી તેમની મોટાભાગની રચનાઓનું સંપાદન અને પ્રકાશન ગુજરાતી લેખક અને વિવેચક ધીરુભાઈ ઠાકર દ્વારા કરવામાં આવ્યું હતું.[]

મણિલાલનું મોટાભાગનું લેખન તેમના પોતાના માસિક પ્રિયંવદા અને સુદર્શનમાં પ્રગટ થયું હતું, જેને તેમણે ૧૮૮૫થી તેમના મૃત્યુ સુધી સંપાદિત કર્યું હતું. તેમણે અંગ્રેજી, સંસ્કૃત તેમજ હિન્દીમાંથી ગુજરાતીમાં અનેક કૃતિઓનો અનુવાદ કર્યો હતો. તેમણે વડોદરાની ગાયકવાડ ઓરિએન્ટલ શ્રેણી અંતર્ગત વિવિધ સંસ્કૃત અને પ્રાકૃત કૃતિઓના અંગ્રેજી અનુવાદ સાથે વિવેચનાત્મક આવૃત્તિઓ રજૂ કરી હતી.

સર્જન સૂચિ

[ફેરફાર કરો]

મણિલાલ દ્વિવેદીની કૃતિઓની યાદી:[]

ગુજરાતી

[ફેરફાર કરો]
પ્રકાશનનું નામ પ્રકાશન વર્ષ નોંધ
શિક્ષાશતક૧૮૭૬
પ્રેમજીવન૧૮૮૭
આત્મનિમજ્જન૧૮૯૫
કાન્તા (નાટક)૧૮૮૨
નૃસિંહાવતાર૧૯૫૫રચના ૧૮૯૬
નારીપ્રતિષ્ઠા૧૮૮૫
પ્રાણવિનિમય૧૮૮૮
ગુજરાતના બ્રાહ્મણો૧૮૯૩
બાલવિલાસ૧૮૯૩
પરમાર્ગદર્શન૧૮૯૩
સુદર્શન ગદ્યાવલિ૧૯૦૯મરણોત્તર પ્રકાશિત
(સં. હિંમતલાલ છો. પંડ્યા, પ્રાણશંકર ગો. જોશી)
સિદ્ધાન્તસાર૧૮૮૯
પૂર્વદર્શન૧૮૮૨ઇતિહાસ
प्रसिद्धजैनपुस्तकमन्दिरस्थहस्तलिखितग्रन्थानां क्रमप्रदर्शकपत्रम्૧૮૮૬સંશોધન
મ.ન.દ્વિવેદીનું આત્મવૃત્તાંત (૧૮૯૫ સુધી)૧૯૭૯મરણોત્તર પ્રકાશિત,
ધીરુભાઈ ઠાકર દ્વારા સંપાદિત
કાવ્યમયૂખ
ગૌરીશંકર યુ. ઓઝાનું જીવનચરિત્ર-અપૂર્ણ

ભાષાંતર અને રૂપાંતર

[ફેરફાર કરો]
પ્રકાશનનું નામ પ્રકાશન વર્ષ નોંધ
સંસ્કૃત
માલતી-માધવ૧૮૮૦
ઉત્તર રામચરિત૧૮૮૨
શ્રીમદ્‌ભગવદ્ ગીતા૧૮૯૪
પંચશતી૧૮૯૫
વિવાદતાંડવ૧૯૦૧
ચતુઃસૂત્રી૧૯૦૯
રામગીતા-અપ્રકાશિત
શિશુપાલવધ-(ટીકા સહિત) અપૂર્ણ
હનુમાન્ નાટક-અપૂર્ણ
મહાવીરચરિત-અપૂર્ણ
છંદાનુશાસન-અપૂર્ણ
સમરાદિત્યમચરિત-અપૂર્ણ
અલંકારચુડામણિ-અપૂર્ણ
જ્યોતિષ્‌કરંડ-અપૂર્ણ
વૃત્તરત્નાકરવૃત્તિ-અપૂર્ણ
રુદ્રશૃંગારતિલક-અપૂર્ણ
રસમંજરીટીકા-અપૂર્ણ
નૈષધીયટીકા-અપૂર્ણ
સ્વદ્‌સ્વાદ–રત્નાકરરાવ–તારિકા-અપૂર્ણ
અભિનંદકવ્ય (અથવા નાભિનંદન)-અપૂર્ણ
અંગ્રેજી
ચેસ્ટરટનનો પુત્ર પ્રતિ ઉપદેશ તથા સંક્ષિપ્ત સુવાક્ય૧૮૯૦ગોપાલદાસ હ. દેસાઈ સાથે
ચારિત્ર૧૮૯૫
ચેતનશાસ્ત્ર૧૮૯૬
વાક્‌પાટવ૧૮૯૭
ગુલાબસિંહ૧૮૯૭
શિક્ષણ અને સ્વશિક્ષણ૧૮૯૭
ન્યાયશાસ્ત્ર-પરામર્શ ખંડ૧૮૯૭
સ્વામી વિવેકાનંદની અમેરિકાની મુલાકાતો અપ્રકાશિત
હિન્દી
શ્રીવૃત્તિપ્રભાકર૧૮૯૫

ભાષાંતર–સંપાદન

[ફેરફાર કરો]
પ્રકાશનનું નામ પ્રકાશન વર્ષ
સંસ્કૃત
બુદ્ધિસાગર૧૮૯૧
અનુભવપ્રદીપિકા૧૮૯૧
સમાધિશતક૧૮૯૧
ભોજપ્રબંધ૧૮૯૨
તર્કભાષા૧૮૯૨
શ્રુતિસારસમૃદ્ધરણ૧૮૯૨
શ્રીદ્‌વ્યાશ્રમ મહાકાવ્ય૧૮૯૩
ષડ્‌દર્શનસમુચ્ચય૧૮૯૩
વસ્તુપાલચરિત્ર૧૮૯૩
વિક્રમચરિત્ર૧૮૯૪
સારસંગ્રહ - ૧૧૮૯૪
સારસંગ્રહ - ૨૧૮૯૪
ચતુર્વિંશતિપ્રબંધ૧૮૯૫
યોગબિન્દુ૧૮૯૯
કુમારપાલચરિત૧૮૯૯
અનેકાન્તવાદપ્રવેશ૧૮૯૯
જૂની ગુજરાતી
પંચોપાખ્યાન-

અંગ્રેજી

[ફેરફાર કરો]
પ્રકાશનનું નામ પ્રકાશન વર્ષ
સજેશન્સ ફોર ધ રિવિઝન ઓફ ગુજરાતી રીડીંગ સીરીઝ૧૮૮૪
લેટર્સ ઓન વીડો રીમેરેજ૧૮૮૭
મોનીઝમ ઓર અદ્વૈતીઝમ ?૧૮૮૯
ધ પુરાન્સ૧૮૯૧
એસે ઓન આઇડોલ-વર્શિપ, સંસ્કાર, એટ્સેટ્સરા.૧૮૯૧
ધ અદ્વૈત ફિલોસોફી ઓફ શંકર૧૮૯૧
જૈનિઝમ એન્ડ બ્રાહ્મનીઝમ૧૮૯૧
હિન્દુઈઝમ૧૮૯૩
ધ નેસેસીટી ઓફ સ્પીરીચ્યુઅલ કલ્ચર૧૮૯૫
ધ ડૉક્ટરિન ઓફ માયા૧૮૯૫

ભાષાંતર–સંપાદન

[ફેરફાર કરો]
પ્રકાશનનું નામ પ્રકાશન વર્ષ નોંધ
રાજયોગ૧૮૮૫
તર્ક-કૌમુદી૧૮૮૬
યોગસુત્ર૧૮૯૦
માંડુક્યોપનિષદ૧૮૯૪
જીવન-મુક્તિવિવેક૧૮૯૪
સમાધિશતક૧૮૯૪
ધ ઈમીટેશન ઓફ શંકર૧૮૯૫
સ્વાદ્‌વાદ મંજરી૧૯૩૩આનંદશંકર ધ્રુવ દ્વારા સંપાદિત.

સામયિક

[ફેરફાર કરો]

૧૮૮૫માં મણિલાલે ભારતીય મહિલાઓની સમસ્યાઓની ચર્ચા કરવા માટે પ્રિયંવદા નામના સામયિકની સ્થાપના કરી હતી અને તેનું સંપાદન કર્યું હતું. ૧૮૯૦માં આ જ સામયિક વ્યાપક બન્યું અને તેનું નામ બદલીને સુદર્શન નામ આપવામાં આવ્યું.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Thaker 1983, p. 13.
  2. 1 2 Chavda, Vijay Singh (1980). "The 19th Century Social Reform in Gujarat: A Contemporary Evaluation". Proceedings of the Indian History Congress. 41: 733. JSTOR 44141900.closed access publication – behind paywall
  3. શાસ્ત્રી, વિજય; ગાંધી, ચન્દ્રકાન્ત 'સુહાસી'; દેસાઈ, અશ્વિન (1987). ગુજરાતનાં ભાષાસાહિત્ય પર આધુનિકીકરણનો પ્રભાવ (1st આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ. pp. 107–108. OCLC 22732429.
  4. Thaker 1983, pp. 87–90.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]