આ ગામની પૂર્વ દિશામાં ઉમરગઢ તથા પશ્ચિમ દિશામાં ધંધુકા શહેર આવેલું છે. દક્ષિણ દિશામાં ખરાડ અને કોઠડીયા તેમ જ ઉત્તર દિશામાં ખસ્તા ગામ આવેલાં છે. ગામના પાદરમાં સુખભાદર નદી વહે છે. આ ગામની બંને બાજુ નર્મદાની બે મુખ્ય નહેરો છે.
રોજકા ગામમાં બુટ ભવાની માતાનું મંદીર તથા શિવજીનું મંદીર આવેલાં છે. ત્યાં દર વર્ષે પલ્લી ભરાય છે અને વાળા કુળના લોકો આ પલ્લીમાં ભાગ લેવા દુર-દુરના વિસ્તારોમાંથી આવે છે. રોજકાથી ૪ કિ. મી. દુર મલકા તલાવડીને કાંઠે હનુમાનજીનું મંદિર આવેલું છે, જેની સ્થાપના ગોપાળાનંદ સ્વામી એ કરી હતી. એવી વાયકા છે કે અહી સ્વામિનારાયણ ભગવાને સુખડી આરોગી હતી. ગામમાં છત્રીના ચોકમાં ચબુતરો આવેલો છે તેમજ વીર શહીદ પી.એસ.આઇ. અજુર્નસિંહ વાળાનું સ્મારક આવેલુ છે.