વીરા (તા. અંજાર)

વિકિપીડિયામાંથી
વીરા (તા. અંજાર)
—  ગામ  —
વીરા (તા. અંજાર)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°56′22″N 69°59′20″E / 22.939405°N 69.988897°E / 22.939405; 69.988897
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

વીરા (તા. અંજાર) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં આવેલું એક ગામ છે[૧]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[૧].

ઇતિહાસ[ફેરફાર કરો]

વીરા જૈન સાધુના વંશજોના શાસન હેઠળ હતું, જેમણે કચ્છ રાજ્યના રાવ ખેંગારજી (૧૫૩૭) વિશે ભવિષ્યવાણી કરી હતી.[૨]

જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]

જોગણીનાર મંદિર

૬૪ જોગણીઓને સમર્પિત જોગણીનાર મંદિર અને તળાવ અહીં આવેલું છે. તે ઇ.સ. ૧૪૭૮માં બંધાયું હોવાનું કહેવાય છે અને ૧૮૫૩માં પુન:નિર્માણ થયું છે. આ સ્થળ મૃતાત્માની પૂજા કરવા માટે જાણીતું છે.

અહીં સિંધ સૈયદની ૩૫૦ વર્ષ જૂની પથ્થરની કબર આવેલી છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "કચ્છ જીલ્લા પંચાયત - મારો તાલુકો - અંજાર". kutchdp.gujarat.gov.in. ગુજરાત સરકાર. મૂળ માંથી ૪ જાન્યુઆરી ૨૦૧૧ પર સંગ્રહિત.
  2. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Printed at the Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૨૫૩.
અંજાર તાલુકાનું ભૌગોલિક સ્થાન અને ગામ