ગાંધીધામ તાલુકો

વિકિપીડિયામાંથી
ગાંધીધામ તાલુકો
તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોકચ્છ
મુખ્યમથકગાંધીધામ
વસ્તી
 (૨૦૧૧)[૧]
 • કુલ૩૨૭૧૬૬
 • લિંગ પ્રમાણ
૮૭૭
 • સાક્ષરતા
૭૭.૯૨%
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

ગાંધીધામ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. ગાંધીધામ આ તાલુકાનું મુખ્ય મથક છે.[૨] તાલુકા પંચાયતની વહીવટી કચેરી ગાંધીધામ-આદિપુરને જોડતા ટાગોર રોડ પર આદિપુર નજીક આવેલી છે. અંજાર અને ભચાઉ આ તાલુકાથી સૌથી નજીકના તાલુકા છે. આ તાલુકામાં અનેક પ્રકારના ઉદ્યોગોનો વિકાસ થયો છે. જેમાં ટ્રાન્સપોર્ટેશન, શોપિંગ, મીઠાઉદ્યોગ, લાકડાનો મોટો ઉદ્યોગ વગેરે મુખ્ય છે. સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનમાં ભારતની નામાંકિત કંપનીઓની ફેક્ટરીઓ અને ઇફ્કોનો ખાતરનો પ્લાન્ટ પણ આ તાલુકામાં છે.

ગાંધીધામ તાલુકામાં જુદી-જુદી ભાષાઓ બોલાય છે, જેમાં કચ્છી, સિંધી, હિંદી અને ગુજરાતી મુખ્ય છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

ભારતના ભાગલા થતાં કરાચી બંદર પાકિસ્તાનમાં ગયું અને તેની ખોટ પૂરી કરવા માટે કંડલા બંદરનો ભારત સરકાર દ્વારા વિકાસ કરાયો હતો જે બંદર આ તાલુકામાં આવેલું છે. તેના કારણે આ તાલુકામાં અનેક ઉદ્યોગોનો વિકાસ થયો છે તથા વસતીમાં પણ વધારો થયો છે. જેને ધ્યાને રાખીને ગુજરાત સરકાર દ્વારા ૨૨ ઓગસ્ટ ૨૦૦૦ના રોજ અંજાર તાલુકામાંથી ૯ ગામો તથા કંડલા કોમ્પલેક્ષના શહેરી વિસ્તારને મેળવીને નવા ગાંધીધામ તાલુકાની રચના કરવામાં આવી હતી.[૩] આ તાલુકો કચ્છ જિલ્લામાં સૌથી નાનો તાલુકો છે.

જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]

  • કંડલા બંદર
  • ગાંધી સમાધી, આદિપુર.
  • ભાઇ પ્રતાપની સમાધિ, ગાંધીધામના સ્થાપક.
  • ગાંધીધામની સ્થાપના સમયનું નિર્વાસિતેશ્વર મહાદેવ મંદિર.
  • અંતરજાળ ગામે આવેલું તળાવ.
તાલુકાનું ભૌગોલિક સ્થાન અને ગાંધીધામ તાલુકાના ગામ


સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Gandhidham Taluka Population, Religion, Caste Kachchh district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-11-26 પર સંગ્રહિત. મેળવેલ ૮ જૂન ૨૦૧૭.
  2. "કચ્છ જીલ્લા પંચાયત | મારો તાલુકો | ગાંધીધામ". kutchdp.gujarat.gov.in. મૂળ માંથી 2016-03-25 પર સંગ્રહિત. મેળવેલ ૮ જૂન ૨૦૧૭.
  3. "ગાંધીધામ તાલુકા પંચાયત". kutchdp.gujarat.gov.in. મૂળ માંથી 2015-07-08 પર સંગ્રહિત. મેળવેલ ૮ જૂન ૨૦૧૭.