દયાપર (તા. લખપત)

વિકિપીડિયામાંથી
દયાપર (તા. લખપત)
—  નગર  —
દયાપર (તા. લખપત)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°38′03″N 68°54′04″E / 23.634247°N 68.901176°E / 23.634247; 68.901176
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
વસ્તી ૪,૩૯૮ (૨૦૧૧[૧])
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ
  • • પીન કોડ • ૩૭૦૬૨૫
    • ફોન કોડ • +૦૨૮૩૯
    વાહન • GJ-12GJ-12

દયાપર (તા. લખપત) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું એક નગર છે.[૨]. આ નગરના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ નગરમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ નગરમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમજ દૂધની ડેરીઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[૨]. દયાપર લખપત તાલુકાનું મુખ્ય મથક છે.

જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]

દયાપર નગરથી ૩ કિ.મી. દુર કમલેશ્વર મહાદેવનું પૌરાણીક મંદિર આવેલું છે, જ્યાં એક હજાર વર્ષ જૂનું કલ્પવૃક્ષ આવેલું છે. એવું માનવમાં આવે છે કે આવું બીજું કલ્પવૃક્ષ માત્ર હિમાલયની તળેટીમાં જ છે.[સંદર્ભ આપો] અહીં ઉમિયાશક્તિપીઠ આવેલું છે. દયાપર નગરથી ૨ કિમી દૂર સુફી મિયાપીરની દરગાહ તેમજ કોરાનગર આવેલું છે, જે કચ્છી સંસ્કૃતિનું કેન્દ્ર છે.


લખપત તાલુકાના ગામ અને ભૌગોલિક સ્થાન


સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Dayapar Population - Kachchh, Gujarat". મેળવેલ ૨૧ ડિસેમ્બર ૨૦૧૬.
  2. ૨.૦ ૨.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર લખપત તાલુકાના ગામોની યાદી". kutchdp.gujarat.gov.in. ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-03-25 પર સંગ્રહિત.