ઝારા (તા. લખપત)

વિકિપીડિયામાંથી
ઝારા (તા. લખપત)
—  ગામ  —
ઝારા (તા. લખપત)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°42′42″N 69°01′09″E / 23.711791°N 69.019268°E / 23.711791; 69.019268
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

ઝારા (તા. લખપત) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં સરહદી વિસ્તારમાં આવેલું એક ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું ગામ છે.[૧]આ ગામમાં આવેલા ડુંગરની તળેટીમાં લડાયેલા યુદ્ધોમાં સેંકડો લોકોના મોત થયા હતા જેથી આ વિસ્તારને કચ્છના કુરુક્ષેત્ર તરીકે પણ સંબોધવામાં આવે છે. શહીદોની યાદમાં દર વર્ષ ઝારા ડુંગરની તળેટીમાં શ્રદ્ધાંજલીનો કાર્યક્રમ યોજવામાં આવે છે.[૨] ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.[૧]

ઇતિહાસ[ફેરફાર કરો]

ઝારાની ટેકરીની તળેટીમાં થયેલા ૧૭૬૨માં થયેલા યુદ્ધમાં સિંધના મિયાં ગુલામ શાહ કલ્હોરોની સેનાએ કચ્છ રાજ્યની સેનાને હરાવી હતી.[૩]

લખપત તાલુકાના ગામ અને ભૌગોલિક સ્થાન


સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર લખપત તાલુકાના ગામોની યાદી". kutchdp.gujarat.gov.in. ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-03-25 પર સંગ્રહિત.
  2. "ઐતિહાસીક ઝારા ડુંગરે શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ યોજાયો". ૨૩ ડિસેમ્બર ૨૦૧૫. મેળવેલ ૧૦ મે ૨૦૧૬.
  3. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Printed at the Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૨૨૪.