હિતેન્દ્ર દેસાઈ
હિતેન્દ્ર દેસાઈ | |
|---|---|
| ઉદ્યોગ મંત્રી | |
| પદ પર ૩૦ જુલાઈ ૧૯૭૯ – ૧૪ જાન્યુઆરી ૧૯૮૦ | |
| પ્રધાન મંત્રી | ચરણ સિંહ |
| પુરોગામી | મોહન ધારિયા |
| અનુગામી | પ્રણવ મુખર્જી |
| ગુજરાતના ૩જા મુખ્યમંત્રી | |
| પદ પર ૨૦ સપ્ટેમ્બર ૧૯૬૫ – ૧૨ મે ૧૯૭૧ | |
| ગવર્નર | નિત્યાનંદ કાનુગો પી. એન. ભગવતી (કાર્યકારી) શ્રીમાન નારાયણ |
| પુરોગામી | બળવંતરાય મહેતા |
| અનુગામી | રાષ્ટ્રપતિ શાસન |
| અંગત વિગતો | |
| જન્મ | ૯ ઓગસ્ટ ૧૯૧૫ સુરત |
| મૃત્યુ | ૧૨ સપ્ટેમ્બર ૧૯૯૩ (ઉંમર 78) અમદાવાદ |
| રાજકીય પક્ષ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
હિતેન્દ્ર કનૈયાલાલ દેસાઈ (૯ ઓગસ્ટ, ૧૯૧૫ - ૧૨ સપ્ટેમ્બર, ૧૯૯૩) ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા હતા.
રાજકીય કારકિર્દી
[ફેરફાર કરો]હિતેન્દ્ર દેસાઈનો જન્મ સુરતમાં થયેલો. શાળા અને મહાવિદ્યાલયમાં વિદ્યાર્થીકાળે તેઓ ચર્ચાઓ, રમત ગમત અને અન્ય પ્રવૃત્તિઓમાં આગળ પડતો ભાગ લેતા. ૧૯૪૧-૪૨માં, ભારત છોડો આંદોલન સમયે, સ્વતંત્રતા સંગ્રામમાં વ્યક્તિગત સત્યાગ્રહ કરતા તેઓની ધરપકડ કરવામાં આવી અને એક વર્ષ માટે જેલમાં મોકલાયેલા. તેઓએ બૃહદ મુંબઈ રાજ્યમાં શિક્ષણમંત્રી તરીકે પણ પદભાર સંભાળેલો.
જીવરાજ મહેતાના મંત્રીમંડળમાં તેઓએ કાયદા મંત્રાલય સંભાળેલું. તે ઉપરાંત તેઓએ ગૃહ મંત્રાલય અને ધારાગૃહનાં નાયબ નેતા તરીકેનો કાર્યભાર પણ સંભાળેલો.
મુખ્યમંત્રી
[ફેરફાર કરો]૨૦ સપ્ટેમ્બર ૧૯૬૫ના રોજ તેઓ રાજ્યનાં મુખ્યમંત્રી બન્યા.[૧] ૧૯૭૧માં તેમની સરકારને રાજીનામું આપવાની ફરજ પડી અને ૧૩ મે ૧૯૭૧ના રોજ ગુજરાતમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન અમલમાં આવ્યું જે લગભગ ૧૦ મહિના સુધી અમલમાં રહ્યું.
૧૯૬૯માં તેમનાં શાસનકાળમાં ગુજરાતમાં કોમી રમખાણો થયેલા.[૨]
નોંધ
[ફેરફાર કરો]- ↑ "Shri Hitendrabhai Kanaiyalal Desai". Gujarat Information Bureau. મૂળ માંથી 2009-11-24 પર સંગ્રહિત. મેળવેલ 2014-05-04.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - ↑ "Chronology of communal violence in India". Hindustan Times. ૯ નવેમ્બર ૨૦૧૧. મૂળ માંથી 2013-02-10 પર સંગ્રહિત. મેળવેલ ૬ ફેબ્રુઆરી ૨૦૧૩.
{{cite news}}: Check date values in:|access-date=,|date=, and|archive-date=(મદદ)
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]| આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |