કુંભારા (તા. બોટાદ)

વિકિપીડિયામાંથી
કુંભારા
—  ગામ  —
કુંભારાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°14′17″N 71°31′23″E / 22.237942°N 71.522992°E / 22.237942; 71.522992
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બોટાદ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ
  • • પીન કોડ • 364720
    • ફોન કોડ • +02849
    વાહન • GJ-33

કુંભારા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારના બોટાદ જિલ્લામાં આવેલા બોટાદ તાલુકામાં આવેલું એક ગામ છે.[૧] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, હીરા ઉદ્યોગ તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, કપાસ, રજકો, ચણા તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ગામમાં ધરાની ખોડીયાર, શીતળામા, દાડમા દાદા, હનુમાનની દેરી, મેલડીમાતાજી તેમજ રામદેવપીરના મંદિરો આવેલા છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

ઘણા સમય પહેલા અહીં માત્ર કુંભારની માટીનો ટીંબો હતો અને ગામ ન હતું. મેરામભાઇ ખાચર નામના ક્ષત્રિયે અહીં ગામ વસાવ્યું તેથી, ગામનું નામ મેરામગઢ રાખવા પ્રયત્નો થયેલ છે.[૨][૩]

ભૂગોળ[ફેરફાર કરો]

ગામની નજીક ગોમા નદી પર બંધ આવેલો છે. ગોમા નદી પર સૌની યોજના અંતર્ગત એક પમ્પીગ સ્ટેશન બનાવેલ છે.

બોટાદ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Villages & Panchayats, District Botad, Government of Gujarat, India" (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-01-27 પર સંગ્રહિત. મેળવેલ 2021-05-01.
  2. ઝવેરચંદ મેઘાણી. સોરઠી બહારવટિયા.
  3. ઝવેરચંદ મેઘાણી. સૌરાષ્ટ્રની રસધાર. . પૃષ્ઠ ૭૪.