છલાળા (તા. ચુડા)

વિકિપીડિયામાંથી
છલાળા
—  ગામ  —
છલાળાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°28′46″N 71°40′51″E / 22.479481°N 71.680817°E / 22.479481; 71.680817
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સુરેન્દ્રનગર
તાલુકો ચુડા
વસ્તી ૨,૩૯૮[૧] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી,
કપાસ, દિવેલા, રજકો, શાકભાજી

છલાળા (તા. ચુડા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા ચુડા તાલુકામાં આવેલું એક ગામ છે. છલાળા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

છલાળા રજવાડું હતું.

ઇતિહાસ[ફેરફાર કરો]

છલાળા લીંબડીના ઝાલા વંશના રાજપૂતોના શાસન હેઠળ ઝાલાવાડ પ્રાંત (પૂર્વ કાઠિયાવાડ)માં આવેલું એક માત્ર સ્વતંત્ર ખંડણી ભરતું રજવાડું હતું. તે ભોઇકા થાણાથી નીચા દરજ્જાનું હતું. ૧૯૦૧માં તેની વસ્તી ૫૫૭ હતી, જે ૫,૦૧૭ રૂપિયાની આવક પેદા કરતી હતી (૧૯૦૩-૦૪, મુખ્યત્વે જમીનમાંથી) અને રજવાડું ૧,૧૨૨ રૂપિયા બ્રિટિશરોને, જૂનાગઢ રજવાડાને અને સુખડી રજવાડાને ખંડણી રૂપે આપતું હતું.[૨][૩]

વસ્તી[ફેરફાર કરો]

૧૮૭૨ની વસ્તી ગણતરી પ્રમાણે રજવાડાની વસ્તી ૮૬૩ અને ૧૮૮૧માં ૮૦૦ વ્યક્તિઓની હતી.[૩]

૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ગામની વસ્તી ૨,૩૯૮ વ્યક્તિઓની હતી.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Chhalala Village Population - Chuda - Surendranagar, Gujarat". www.census2011.co.in. મેળવેલ ૨૪ માર્ચ ૨૦૧૭.
  2. "Imperial Gazetteer2 of India, Volume 15, page 168 - Imperial Gazetteer of India - Digital South Asia Library". Dsal.uchicago.edu. ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૩. મેળવેલ ૧૮ જાન્યુઆરી ૨૦૧૭.
  3. ૩.૦ ૩.૧ Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text). VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૪૦૩.

આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા પ્રકાશન Gazetteer of the Bombay Presidency: Kathiawar. VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૪૦૩. માંથી લખાણના અંશો ધરાવે છે.