દેલવાડા (તા. ઉના)
| દેલવાડા (તા. ઉના) | |||||||
| — ગામ — | |||||||
| અક્ષાંશ-રેખાંશ | 20°46′32″N 71°02′09″E / 20.7756133°N 71.0357042°E | ||||||
| દેશ | |||||||
| રાજ્ય | ગુજરાત | ||||||
| જિલ્લો | જુનાગઢ | ||||||
| તાલુકો | ઉના | ||||||
| અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી | ||||||
|---|---|---|---|---|---|---|---|
| સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
|
કોડ
| |||||||
દેલવાડા એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આવેલું ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરો, કપાસ, મગફળી, શેરડી, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે.[૧] આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, બેંક તેમજ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
દેલવાડા તાલુકામથક ઉનાથી ૫ કિ.મી. અને દીવથી ૮ કિ.મી.ના અંતરે આવેલું છે. આ ગામની નજીકમાં ગુપ્તપ્રયાગ મંદિર [૨], શ્યામકુંડ અને મહાપ્રભુજીની ૮૪ બેઠકો પૈકીની ૬૭મી બેઠક જેવા વિશેષ દેવસ્થાનો આવેલાં છે.
ભૂગોળ
[ફેરફાર કરો]દેલવાડા મચ્છુન્દ્રી નદીના કાંઠે ઉનાથી ૫ કિમી અને દીવથી ૮ કિમીના અંતરે આવેલું છે. સમુદ્ર નજીક હોવાથી હવામાન અત્યંત ભેજવાળું રહે છે.
પરિવહન
[ફેરફાર કરો]દેલવાડામાં રેલ્વે સ્ટેશન આવેલું છે, જે વેરાવળ અને જુનાગઢ તેમજ અન્ય શહેરો સાથે જોડાયેલું છે.[૩]
| ||||||||||||||||
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "તાલુકા વિષે | ઉના તાલુકા પંચાયત | ગીર સોમનાથ જીલ્લો". girsomnathdp.gujarat.gov.in (અંગ્રેજીમાં). મેળવેલ ૯ ડિસેમ્બર ૨૦૧૭.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ) - ↑ "મેઘકહેર:દેલવાડા નજીકનાં ગુપ્ત પ્રયાગ મંદિરમાં પાણી ઘુસ્યા". www.divyabhaskar.co.in. ૨૦૨૦. મેળવેલ ૩૦ ઓક્ટોબર ૨૦૨૩.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ) - ↑ "DVA/Delvada". India Rail Info.
| આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |


