ભાવનગર જૂના બંદર

વિકિપીડિયામાંથી
ભાવનગર જૂના બંદર
સ્થાન
દેશભારત
સ્થાનભાવનગર, ગુજરાત
વિગતો
સંચાલકગુજરાત મેરી-ટાઇમ્સ બોર્ડ
માલિકગુજરાત સરકાર

ભાવનગર જૂના બંદર એ ભારતના પશ્ચિમભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાનાં મુખ્યમથક ભાવનગર શહેરથી ૩ કિલોમીટર દૂર આવેલા બંદરનું નામ છે. નદીઓના કાંપને કારણે સતત પુરાણ થતું રહેતું હોવાથી આ બંદર કાળક્રમે બંધ કરીને બધી આયાત નિકાસ માટે ભાવનગર નવા બંદરનો વિકાસ કરવામાં આવ્યો હતો. એપ્રીલ ૨૦૧૫માં ગુજરાત મેરીટાઇમ બોર્ડે આ બંદરની જગ્યામાં આવેલા સુકા ધક્કાનો ઉપયોગ કરીને વહાણ બાંધવામાટેનો જહાજવાડો બાંધી શકાય એમ છે કે નહી તે અંગે વિષયનિષ્ણાતો પાસેથી અભિપ્રાય મંગાવ્યા છે.[૧]

અન્ય ખાસીયતો[ફેરફાર કરો]

દીવાદાંડીઓ[ફેરફાર કરો]

બંદર પરની મુખ્ય દીવાદાંડી[ફેરફાર કરો]

ઇ.સ. ૧૮૬૦માં આ દિવાદાંડીની સ્થાપના કરવામાં આવી હતી.[૨] ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના દિવસે ગુજરાતના ધરતીકંપમાં આ દીવાદાંડીનું માળખું ક્ષતિગ્રસ્ત થઈ જવાથી આ દિવાદાંડી બંધ કરી દેવામાં આવી હતી. આ દીવાદાંડી ૧૨ મીટર ઉંચો મિનારો હતી.[૨] ૧૯૫૯માં આ દિવાદાંડીનું નવી લાલટેન વડે છેલ્લું આધુનિકીકરણ કરવામાં આવ્યું હતું.[૨] ૨૦૦૧ પછી મોટાભાગની આયાત-નિકાસની પ્રવૃત્તિઓ નવા બંદર પર તબદીલ થઈ ગઈ હોવાથી આ દીવાદાંડીનું સમારકામ કરવા માટેનું કોઈ કારણ રહ્યું નહી.[૨] આથી હાલમાં જગ્યા ખુલ્લી છે પણ મિનારો બંધ હાલતમાં છે.

જ્હોનસન પોઇન્ટ દીવાદાંડી[ફેરફાર કરો]

ભાવનગરની ખાડીના પ્રવેશદ્વારે જ વાયવ્ય (ઉત્તર-પશ્ચિમ) કિનારે આ દીવાદાંડી ૧૯૩૬માં બાંધવામાં આવી હતી.[૨] જે ૨૬ જાન્યુઆરી ૨૦૦૧માં ગુજરાતમાં આવેલા ધરતીકંપ સુધી કાર્યરત હતી. સફેદ રંગથી રંગેલા કોંક્રીટના ૧૨ મિટર ઉચા મિનારાની કોઇ છબી ઉપલબ્ધ નથી. આ સ્થળે ખૂબ જ કાદવ-કીચડ ધરાવતી જગ્યા હોવાથી જવું ઘણું અઘરૂં છે.

રૂવાપરી દીવાદાંડી[ફેરફાર કરો]

૧૯૨૨માં બાંધવામાં આવેલી આ દિવાદાંડી બાંધકામની દૃષ્ટીએ તદ્દન અલગ તરી આવે છે.[૨] બર્માના સાગ પ્રકારના લાકડાના પાયાઓ ઉપર પતરાનું છાપરૂ ધરાવતી ચોરસ આકારની આ દીવાદાંડી છે. ૧૯૪૪ પછી એના દીવાને એક લોખંડના થાંભલા પર લટકાવીને વધારે ઉંચો લઈ જવામાં આવ્યો છે. ૧૯૨૦માં આવેલા વાવાઝોડામાં આ દીવાદાંડી ક્ષતિગ્રસ્ત થઈ હતી. શહેરથી ૧૧ કિલોમીટર અને જૂના બંદરથી દક્ષિણ દિશામાં નિર્જન ખાર વિસ્તારમાં આવેલી આ દીવાદાંડી સુધી ચાલીને જવું શક્ય છે પણ મિનારો બંધ હાલતમાં છે.

તરતી દિવાદાંડી[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ગુજરાત મેરીટાઇમ બોર્ડ. "Selection of Consultant to prepare Detailed Project Report for the Marine Shipbuilding Park, Old Port Bhavnagar, Gujarat (અંગ્રેજી)" (PDF). ગુજરાત મેરીટાઇમ બોર્ડ. મૂળ (PDF) માંથી ૯ ઓક્ટોબર ૨૦૧૬ પર સંગ્રહિત. મેળવેલ ૯ ઓક્ટોબર ૨૦૧૬.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ "ભાવનગર જિલ્લાની દીવાદાંડીઓ (અંગ્રેજી)". મૂળ માંથી ૯ ઓક્ટોબર ૨૦૧૬ પર સંગ્રહિત. મેળવેલ ૯ ઓક્ટોબર ૨૦૧૬.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]