શામળદાસ આર્ટ્સ કૉલેજ
ભૂતપૂર્વ નામ | શામળદાસ કૉલેજ |
|---|---|
| સ્થાપના | January 1885 |
| સ્થાપક | તખ્તસિંહજી |
શૈક્ષણિક જોડાણ | મહારાજા કૃષ્ણકુમારસિંહ ગોહિલ ભાવનગર વિશ્વવિદ્યાલય |
| સ્થાન | ભાવનગર, ગુજરાત, ભારત 21°45′24″N 72°08′32″E / 21.75678°N 72.14214°E |
| વેબસાઇટ | અધિકૃત વેબસાઇટ |
શામળદાસ આર્ટ્સ કૉલેજ અથવા શામળદાસ કોલેજ એ ભારતના ગુજરાત રાજ્યના ભાવનગરમાં આવેલી કૉલેજ છે. તેની સ્થાપના ઈ. સ. ૧૮૮૫ માં ભાવનગર રાજ્યના મહારાજા તખ્તસિંહજીએ તેમના દિવાન (પ્રધાન) શામળદાસ પરમાનંદદાસ મહેતાની યાદમાં કરી હતી. તે પશ્ચિમ ભારતની સૌથી પ્રાચીન કૉલેજોમાંની એક છે. આ કૉલેજ મહારાજા કૃષ્ણકુમારસિંહ ગોહિલ ભાવનગર વિશ્વવિદ્યાલય સાથે જોડાયેલ છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]| શામળદાસ કૉલેજ (હાલમાં) | |
|---|---|
![]() | |
| સામાન્ય માહિતી | |
| સ્થાન | ભાવનગર, ગુજરાત, ભારત |
| પૂર્ણ | ૧ નવેમ્બર ૧૯૫૫ |

શામળદાસ કૉલેજની સ્થાપના ભાવનગર રાજ્યના મહારાજા તખ્તસિંહજી દ્વારા તેમના દિવાન શામળદાસ પરમાનંદદાસ મહેતાની યાદમાં કરવામાં આવી હતી.[૧] [૨] [૩] આ કૉલેજ મુંબઈ વિશ્વવિદ્યાલય સાથે સંલગ્ન હતી અને તેના વર્ગો મજીરાજ ગર્લ્સ હાઇસ્કૂલના મકાનમાં જાન્યુઆરી ૧૮૮૫માં શરૂ થયા હતા.[૪]

પીલ ગાર્ડન સામેની ઇમારતનો શિલાન્યાસ ૨૫ નવેમ્બર ૧૮૮૪ ના દિવસે મુંબઈના રાજ્યપાલ (ગવર્નર) જેમ્સ ફર્ગ્યુસન દ્વારા કરવામાં આવ્યો હતો. આ ઈમારત ૧૭ ડિસેમ્બર ૧૮૮૬ના દિવસે મુંબઈના ગવર્નર લોર્ડ રે દ્વારા ખોલવામાં આવી હતી. ૧૮૯૩ માં આ ઈમારતનો કબજો લેવામાં આવ્યો હતો.[૨] આ બિલ્ડિંગનું નિર્માણ પબ્લિક વર્ક્સ કાઉન્સિલર આર. પ્રોક્ટર સિમ્સે કરાવ્યું હતું. [૧] હવે આ ઈમારતનો ઉપયોગ શેઠ જે. પી. આયુર્વેદ કોલેજ તરીકે થાય છે.[૪]
૧૯૩૨ માં, ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ વાઘાવાડી રોડ પર કૉલેજ માટે નવું મકાન બંધાવડાવ્યું હતું. જૂન ૧૯૬૩ થી આ બિલ્ડિંગનો ઉપયોગ પી. પી. ઈન્સ્ટીટ્યૂટ ઑફ સાયન્સ તરીકે કરવામાં આવે છે.[૪]
૧ નવેમ્બર ૧૯૫૫ ના દિવસે, ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ કૉલેજના હાલના મકાનનો પાયો નાખ્યો.[૪][૫] કૉલેજ હવે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સાથે જોડાયેલ છે.[૬]
આચાર્યો
[ફેરફાર કરો]
આ કૉલેજના આચાર્યો નીચે મુજબ હતા: [૨] [૫]
- આર. એચ. ગનિયોન (૧૮૮૫-૧૮૯૦)
- જે. એન. ઉનાવાલા (૧૮૯૦―૧૯૦૫)
- કે. જે. સંજાણા (૧૯૦૫―૧૯૦૬)
- બી. એ. એન્ટી (૧૯૦૬)
- કે. જે. સંજાણા (૧૯૦૭―૧૯૨૧)
- જે. જે. કાણીઆ (૧૯૨૨-૨૩)
- ટી. કે. સહાની (૧૯૨૩―૧૯૪૮)
- ડો. પી.એમ.મોદી (૧૯૪૮ - ૧૯૫૨)
- જે. બી. સેન્ડિલ (૧૯૫૨―૬૨)
- બી. સી. દેસાઈ (૧૯૬૨―૬૬)
- એસ. એમ. શાહ (૧૯૬૭-૭૦)
- એ. એસ. પ્રભુદેસાઈ (૧૯૭૫―૭૭)
- તખ્તસિંહજી પરમાર (૧૯૭૭ - ૭૯)
- એચ. એસ. મજીઠીયા (૧૯૭૯-૧૯૮૮)
- ગંભિરસિંહજી ગોહિલ(૧૯૮૮-૧૯૯૪)
- એ. એ. શેખ (૧૯૯૪―૨૦૦૭)
નોંધપાત્ર શિક્ષકો
[ફેરફાર કરો]- મણિલાલ દ્વિવેદી, લેખક
- કાંતિલાલ વ્યાસ, ભાષાશાસ્ત્રી, વિવેચક અને સંપાદક
- નાનાભાઇ ભટ્ટ, શિક્ષણવિદ્[૭]
નોંધપાત્ર ભૂતપૂર્વ વિદ્યાર્થી
[ફેરફાર કરો]પદ્મશ્રી પુરસ્કૃત વિદ્યાર્થીઓ[૮]
[ફેરફાર કરો]- નૌતમ ભટ્ટ, ભૌતિકશાસ્ત્રી
- રવિશંકર રાવળ
- નાનાભાઈ ભટ્ટ, શિક્ષણવિદ્
- માનસિંહ રાણા
અન્ય વિદ્યાર્થીઓ
[ફેરફાર કરો]- મહાત્મા ગાંધી (જાન્યુઆરી ૧૮૮૮ - જૂન ૧૮૮૮), ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા
- એચ. જે. કાનિયા, ભારતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ
- અનંતરાય મણિશંકર રાવળ, વિવેચક અને સંપાદક
- યશવંત ત્રિવેદી, કવિ, નિબંધકાર અને વિવેચક
- હરિવલ્લભ ભાયાણી, ભાષાશાસ્ત્રી, સંશોધનકાર, વિવેચક અને અનુવાદક
- કુન્દનિકા કાપડિયા, નવલકથાકાર, વાર્તા લેખક, નિબંધકાર
- અમૃતલાલ યાજ્ઞિક, વિવેચક, જીવનચરિત્રકાર, નિબંધકાર, સંપાદક અને અનુવાદક
- સનત મહેતા, રાજકારણી અને સામાજિક કાર્યકર
- હરદ્વાર ગોસ્વામી, કવિ, લેખક અને નાટ્ય લેખક
- મનસુખલાલ ઝવેરી, કવિ, વિવેચક અને સાહિત્યકાર ઇતિહાસકાર
- હરીન્દ્ર દવે, કવિ, પત્રકાર, નાટ્યકાર અને નવલકથાકાર
- કૃષ્ણલાલ ઝવેરી, લેખક, વિદ્વાન, સાહિત્યિક ઇતિહાસકાર, અનુવાદક, અને ન્યાયાધીશ
- રામનારાયણ પાઠક, કવિ, લેખક
- ઝવેરચંદ મેઘાણી, કવિ, લેખક
- અશોક કુરજીભાઇ પટેલ, ભારતીય ક્રિકેટર
- કૃષ્ણલાલ શ્રીધરાણી, કવિ
- દિનકર જોષી, સાહિત્યકાર
- લાલસિંહ રાઓલ, પક્ષીવિજ્ઞાની, પ્રકૃતિ સંરક્ષણવાદી અને લેખક
સંદર્ભ
[ફેરફાર કરો]- 1 2 Basu, Aparna (2001). G.L. Mehta, a Many Splendoured Man. Concept Publishing Company. pp. 29–30. ISBN 978-81-7022-891-2.
- 1 2 3 "The Bombay University calendar. 1928-1929, 1929-1930". University of Bombay. p. 48-51. મેળવેલ 2020-10-03.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ) - ↑ Gujarat State Gazetteers: Bhavnagar. Directorate of Government Print., Stationery and Publications, Gujarat State. 1969. p. 507.
- 1 2 3 4 "Plauque at Samaldas College". July 2019.
- 1 2 "About College". Samaldas Arts College. મૂળ માંથી 2020-07-22 પર સંગ્રહિત. મેળવેલ 2020-10-03.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) સંદર્ભ ત્રુટિ: અયોગ્ય<ref>ટેગ; નામ ":2" અલગ માહિતી સાથે એકથી વધુ વખત વ્યાખ્યાયિત થયું છે - ↑ "Affiliated Colleges". Maharaja Krishnakumarsinhji Bhavnagar University. મેળવેલ 2020-10-03.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ) - ↑ લોક ભારતી (૧-ઓક્ટોબર-૨૦૧૫). "લોક ભારતીના જાળ સ્થળ પર સ્થાપક તરીકે". લોક ભારતી. મૂળ માંથી ૧-ઓક્ટોમર-૨૦૧૫ પર સંગ્રહિત. મેળવેલ ૧-ઓક્ટોબર-૨૦૧૫.
{{cite web}}: Check date values in:|access-date=,|date=, and|archive-date=(મદદ) - ↑ સંસ્થાના ઓફિશીયલ સોવેનીયરમાં છપાયા મુજબ
