ઢાંકવળ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા એવા ધરમપુર તાલુકામાં આવેલું એક ગામ છે. ઢાંકવળ ગામમાં પ્રાથમિક શાળા , આંગણવાડી , પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે.
આ ગામમાં ખેતી , ખેતમજૂરી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે. આ ગામમાં ૧૦૦ ટકા આદિવાસી લોકો વસે છે. આ ગામ જંગલોથી ભરપૂર ડુંગરાળ પ્રદેશમાં આવેલું છે. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. પહેલાં અહીં નાગલી , ડાંગર , વરાઇ જેવાં ધાન્યો જ પકવવામાં આવતાં પરંતુ, હાલના સમયમાં ડાંગર , કેરી , અને શાકભાજી આ ગામનાં ખેત-ઉત્પાદનો છે. અહીંના લોકો વારલી બોલી તરીકે ઓળખાતી વારલી આદિવાસીઓની બોલી બોલે છે, જે ગુજરાતી ભાષાથી એકદમ અલગ હોય છે.
અહીંના લોકો આદિવાસી દિવસ ઉત્સાહ ભેર ઉજવણી કરે છે. ગામમાં હનુમાન મંદિર, ખ્રિસ્તી દેવળ અને ગ્રામ દેવી તથા માવલી માતાના સ્થાનકો આવેલા છે. ઢાંકવળ ગામથી નજીક પારનદી પર એક મોટી ખાડી આવેલી છે.