શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી
દેખાવ
(શ્રી સોમનાથ સંસ્કૃતિ યુનિવર્સિટી થી અહીં વાળેલું)
| પ્રકાર | જાહેર |
|---|---|
| સ્થાપના | ૨૦૦૫ |
| કુલપતિ | શ્રી.ઓ.પી.કોહલી |
| ઉપકુલપતિ | ડો.ગોપાબંધુ મિશ્રા |
| સ્થાન | વેરાવળ, ગુજરાત, ભારત |
| જોડાણો | યુ.જી.સી |
| વેબસાઇટ | અધિકૃત વેબસાઇટ |
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ગુજરાત રાજ્યમાં આવેલ એક જાહેર યુનિવર્સિટી છે અને તેની સ્થાપના ગુજરાત રાજ્યના ૨૦૦૫ના અધિનિયમ હેઠળ સંસ્કૃત ભાષા અને સાહિત્યનાં સંવર્ધન સાથે ભારતીય સાંસ્કૃતિક વારસા અને ભાષાના વિકાસ માટે કરવામાં આવેલ હતી. યુનિવર્સિટીનું મુખ્ય કેમ્પસ વેરાવળ ખાતે આવેલ છે અને તેની સાથે ૭ મુખ્ય વિભાગો અને ૧૧૦ જેટલી સંલજ્ઞ કોલેજો અને સંશોધન સંસ્થાઓ જોડાયેલ છે. યુનિવર્સિટી ૯ જેટલા વિષયોમાં સ્નાતક, અનુસ્નાતક અને ડોક્ટરેટ પદવીઓ આપે છે. યુનિવર્સિટી દ્વારા 'સોમજ્યોતી' ત્રિમાસીક બહાર પાડવામાં આવે છે.