ભવનાથ
ભવનાથ | |||
— ગામ — | |||
અક્ષાંશ-રેખાંશ | 21°31′54″N 70°30′07″E / 21.531693°N 70.501971°E | ||
દેશ | ![]() | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | જુનાગઢ | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
કોડ
|
ભવનાથ ભારતનાં ગુજરાત રાજ્યમાં જુનાગઢ જિલ્લાનાં જુનાગઢ તાલુકાનું ગામ છે. જો કે હવે આ ગામ જુનાગઢ મહાનગર પાલિકામાં ભેળવી દેવાયું છે. જુનાગઢ શહેરથી ભવનાથ ૭ કિ.મી. દુર આવેલું છે. પ્રસિધ્ધ ગિરનાર પર્વતમાળાની તળેટીમાં વસેલું આ ગામ હિંદુ અને જૈન ધર્મના અનુયાયીઓ માટેનું યાત્રાસ્થળ છે.
અહીં પ્રસિધ્ધ ભવનાથ મહાદેવનું મંદિર, મૃગીકુંડ તથા અનેક પુરાણા અને પ્રસિધ્ધ મંદિરો આવેલાં છે. સમ્રાટ અશોક દ્વારા અહીં બંધાવાયેલું સુદર્શન તળાવ ઔતિહાસિક સ્થળ ગણાય છે. ગિરનાર પર્વત પર ચઢવા માટેનાં પગથીયાં અહીંથી શરૂ થાય છે. અહીં અનેક નામી અનામી હિંદુ અને જૈન ધર્મશાળાઓ આવેલ છે, જે યાત્રિકોને માટે રહેવા-જમવાની સુવિધાઓ પુરી પાડે છે. મહાશિવરાત્રીનો મેળો તથા ગિરનારની લીલી પરિક્રમા એ અહીં યોજાતા બે મોટા ઉત્સવો છે.[૧]
છબીઓ[ફેરફાર કરો]
-
ભવનાથ મહાદેવ મંદિર
-
ગિરનાર પર્વત
-
ભવનાથના મેળામાં સાધુ
આ પણ જુઓ[ફેરફાર કરો]
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ "Bhavnath Festival, Mahashivratri". મૂળ માંથી 3 September 2011 પર સંગ્રહિત. મેળવેલ 2011-08-22. CS1 maint: discouraged parameter (link) Bhavnath Festival, Mahashivratri
| ||||||||||||||||
|
![]() | આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |