મજેવડી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાતરાજ્યના જુનાગઢ જિલ્લાનાં જુનાગઢ તાલુકાનું ગામ છે. મજેવડી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. આ ગામ ઉબેણ નદીને કિનારે વસેલું છે.
અહીં પ્રસિધ્ધ દેવતણખીની જગ્યા આવેલી છે, જ્યાં દર વર્ષે અષાઢી બીજનો મેળો ભરાય છે. જાગનાથ મહાદેવ મંદિર અહીં આવેલું છે. આ ઉપરાંત જુનાગઢના ઇતિહાસના અમર પાત્ર રાણકદેવી પણ આ ગામના હતા.[સંદર્ભ આપો]
અહી અતુલ કાસ્ટિંગનુ કારખાનું આવેલું છે.