મીતીયાળા (તા. સાવરકુંડલા)

વિકિપીડિયામાંથી
મીતીયાળા
—  ગામ  —
મીતીયાળાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°20′09″N 71°18′28″E / 21.335833°N 71.307778°E / 21.335833; 71.307778
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અમરેલી
તાલુકો સાવરકુંડલા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલા તેમજ શાકભાજી

મીતીયાળા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા અમરેલી જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા સાવરકુંડલા તાલુકામાં આવેલું એક ગામ છે. મીતીયાળા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

આ ગામ પાસે જંગલમાં ભાવનગર રજવડાના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ બનાવડાવેલો મીતીયાળા બંગલો આવેલો છે. આ બંગલો ભાવનગરના રાજવીઓ માટે હવા ખાવાનું સ્થળ અને શિકારગૃહ હતું, જ્યાં રાજામહારાજાઓ શિકાર કરવા આવતા. આજે પણ મીતીયાળા બંગલાની બાજુમાં શિકારને માપવાની પટ્ટી મોજુદ છે. હાલ આ બંગલો વન વિભાગની હકુમતમાં છે જેનો વનખાતાના ઉચ્ચ અધિકારીઓ માટે રેસ્ટ-હાઉસ તરીકે ઉપયોગમાં થઈ રહ્યો છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સાવરકુંડલા તાલુકાનાં ગામો અને તાલુકાનું ભૌગોલિક સ્થાન