આ ગામ અનવર શાહ નામના બુખારી સૈયદ હેઠળ હતું. આ સૈયદે બલાલ નામના સીદીને પોતાને ત્યાં રાખ્યો હતો જેણે નિશાનિયા કૂવા (મૂળ નામ: નકવાસા) પાસે પાણી ભરતી સુંદર બ્રાહ્મણ કન્યાનું અપમાન કર્યું અને તેના પતિએ તેનો વિરોધ કરતાં તેની હત્યા કરી હતી. આ બ્રાહ્મણ કન્યા ત્યારબાદ સતી બની હતી અને તેનો પાળિયો શનિવાર, ભાદરવા સુદ ૧૦, સંવત ૧૦૪૩ (ઇ.સ. ૯૯૬) ની તારીખ સાથે ગામની પાસે આવેલો છે. આ ક્રુરતાનો બદલો લેવા જુના સાવર ગામના વાળા લોકોએ તે રાત્રે ગામ પર આક્રમણ કર્યું અને સીદી અને સૈયદ બંનેની હત્યા કરી અને ગામને બાળ્યું. ત્યારબાદ ૧૫મી સદીમાં ખુમાણોએ ગામને ફરી વસાવ્યું અને તેને અમૃતવેલ નામ આપ્યું.[૧]
આ લેખ હવે પબ્લિક ડોમેઇનમાં રહેલા પુસ્તકમાંથી લખાણના અંશો ધરાવે છે.: Gazetteer of the Bombay Presidency: Kathiawar. ખંડ VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. pp.૩૫૭.