ભદ્રાવળ (તા. તળાજા)

વિકિપીડિયામાંથી
ભદ્રાવળ (તા. તળાજા)
—  ગામ  —
ભદ્રાવળ (તા. તળાજા)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°16′25″N 70°49′17″E / 22.273487°N 70.821296°E / 22.273487; 70.821296
દેશ ભારત
રાજ્ય ગુજરાત
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 66 metres (217 ft)

કોડ

ભદ્રાવળ (તા. તળાજા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા તળાજા તાલુકામાં આવેલું એક ગામ છે[૧]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[૧].

ઇતિહાસ[ફેરફાર કરો]

ગામનું નામ ભદ્રા નામની વાવ પરથી પડ્યું હોવાનું મનાય છે.

ભુગોળ[ફેરફાર કરો]

ભદ્રાવળ ગામ તળાજાથી ૧૭ કિમી, પાલીતાણાથી ૨૭ કિમીના અંતરે આવેલું છે. ગામની ફરતે ચોટીક્યાળીની ટેકરીઓ આવેલી છે. ગામ ત્રણ ભાગોમાં વહેંચાયેલું છે, જે ભદ્રાવળ ૧, ૨ અને ૩ તરીકે ઓળખાય છે.[સંદર્ભ આપો] ભદ્રાવળ-૧ એ જૂની ભદ્રાવળ પણ કહેવાય છે.[સંદર્ભ આપો]

ધાર્મિક સ્થળો[ફેરફાર કરો]

ગામમાં ડુંગર ઉપર ખોડિયાર માતાજીનું મંદિર અને મેલડી માતાજીના વાહન બોકડાના પગલાં આવેલા છે, જ્યાંથી પાલીતાણાનો શેત્રુંજય પર્વત તથા તળાજાનો ડુંગર જોઇ શકાય છે.

આ પણ જુવો[ફેરફાર કરો]


તળાજા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "ભાવનગર જિલ્લા પંચાયતની વેબસાઇટ પર તળાજા તાલુકાના ગામોની યાદી". ગુજરાત સરકાર. ૭ ઓકટોબર ૨૦૧૩. મૂળ માંથી ૨૩ જુલાઇ ૨૦૧૩ પર સંગ્રહિત. મેળવેલ ૭ ઓકટોબર ૨૦૧૩. Check date values in: |access-date= and |date= (મદદ)