લાલકૃષ્ણ અડવાણી
લાલકૃષ્ણ અડવાણી | |
|---|---|
| નાયબ વડાપ્રધાન | |
| પદ પર ૫ ફેબ્રુઆરી ૨૦૦૨ – ૨૨ મે ૨૦૦૪ | |
| પ્રધાન મંત્રી | અટલ બિહારી વાજપેયી |
| પુરોગામી | ચૌધરી દેવીલાલ |
| ગૃહમંત્રી | |
| પદ પર ૧૯ માર્ચ ૧૯૯૮ – ૨૨ મે ૧૯૯૮ | |
| પ્રધાન મંત્રી | અટલ બિહારી વાજપેયી |
| પુરોગામી | ઈંન્દ્રજીત ગુપ્તા |
| અનુગામી | શિવરાજ પાટિલ |
| વિરોધ પક્ષના નેતા (લોક સભા) | |
| પદ પર મે ૨૦૦૪ – ડિસેમ્બર ૨૦૦૯ | |
| પુરોગામી | સોનિયા ગાંધી |
| અનુગામી | સુષ્મા સ્વરાજ |
| પદ પર ૧૯૮૯ – ૧૯૯૩ | |
| વ્યક્તિગત અને જાહેર ફરિયાદ તથા પેંશન મંત્રાલય | |
| પદ પર ૨૯ જાન્યુઆરી ૨૦૦૩ – ૨૧ મે ૨૦૦૪ | |
| પ્રધાન મંત્રી | અટલ બિહારી વાજપેયી |
| કોલસા અને ખાણ મંત્રાલય | |
| પદ પર ૨ જુલાઈ ૨૦૦૨ – ૨૫ ઓગસ્ટ ૨૦૦૨ | |
| પ્રધાન મંત્રી | અટલ બિહારી વાજપેયી |
| વિરોધ પક્ષના નેતા (રાજ્ય સભા) | |
| પદ પર જાન્યુઆરી ૧૯૮૦ – એપ્રિલ ૧૯૮૦ | |
| સંસદસભ્ય for ગાંધીનગર | |
પદ પર | |
| Assumed office ૧૯૯૮ | |
| પુરોગામી | વિજય પટેલ |
| અંગત વિગતો | |
| જન્મ | લાલકૃષ્ણ અડવાણી Lal Krishna Advani لال ڪرشن آڏواڻي लाल कृष्ण आडवाणी ૮ નવેમ્બર, ૧૯૨૭ કરાચી, બ્રિટીશ ભારત (હાલ કરાંચી, પાકિસ્તાન) |
| રાજકીય પક્ષ | ભારતીય જનતા પાર્ટી (૧૯૮૦થી આજ પર્યંત) |
| અન્ય રાજકીય જોડાણો | ભારતીય જનસંઘ (૧૯૭૭ પહેલાં) જનતા પાર્ટી (૧૯૭૭–૧૯૮૦) |
| જીવનસાથી | કમલા અડવાણી |
| સંતાનો | પ્રતિભા (પુત્રી) જયંત (પુત્ર) |
| માતા | જ્ઞાની દેવી અડવાણી |
| પિતા | કિશનચંદ અડવાણી |
| માતૃ શિક્ષણસંસ્થા | મુંબઈ યુનિવર્સિટી |
| ક્ષેત્ર | વકીલ આંદોલનકારી |
| પુરસ્કારો | પદ્મવિભૂષણ, ભારત રત્ન |
| વેબસાઈટ | Official website |
| ધર્મ | હિંદુ |
લાલકૃષ્ણ અડવાણી (જન્મ: ૮ નવેમ્બર ૧૯૨૭) ભારતીય રાજનીતીના પીઢ નેતાઓમાંથી એક છે. તેઓ ભારતીય જનતા પાર્ટીના સભ્ય અને લોક સભામાં ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ રહ્યા હતા. તેમણે ભારત સરકારમાં અનેક મહત્વપુર્ણ હોદ્દાઓ પર પોતાની ફરજ બજાવી છે. તેઓ ૨૦૦૨થી ૨૦૦૪ સુધી ભારતના નાયબ વડાપ્રધાન તરીકે પણ સેવા આપી છે. તેઓ ભારતના રક્ષા મંત્રી અને ગૃહ મંત્રી જેવા હોદ્દાઓ પર પોતાની ફરજ નિભાવી ચુક્યા છે. ભાજપની રચના પૂર્વે જનસંઘના સભ્ય તરીકે તેઓ એક ટર્મ અને ત્યાર બાદ જનતા પાર્ટી તરફથી બીજી એક ટર્મ સુધી રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે. જનતા પાર્ટીની મોરારજી દેસાઈની સરકારમાં તેમણે માહિતી અને પ્રસારણ મંત્રીનો હોદ્દો સંભાળ્યો હતો.
જીવન
[ફેરફાર કરો]લાલકૃષ્ણ અડવાણીનો જન્મ ૮ નવેમ્બર ૧૯૨૭ના રોજ સિંધ પ્રાંતમાં થયો હતો. તેમના પિતાનું નામ કિશનચંદ અડવાણી અને માતાનું નામ જ્ઞાની દેવી અડવાણી છે. કરાચીની સેન્ટ પેટ્રિક સ્કૂલમાં તેમણે પ્રાથમિક અભ્યાસ કર્યો. ૧૯૪૨માં તેઓ ભારત છોડો આંદોલન દરમિયાન ગીડુમલ નેશનલ કોલેજમાં જોડાયા. તેમની કારકિર્દીની શરુઆત તેમણે ૧૯૪૪માં કરાચીની મોડલ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે કરી. ૧૯૪૭માં દેશના ભાગલા બાદ તેમના પરિવારે પોતાનું ઘર છોડી ને ભારત આવવું પડ્યું હતું. તેઓ મુંબઈની સરકારી લૉ કોલેજમાંથી કાયદામાં સ્નાતક થયા. આ સમયગાળા દરમિયાન તેઓ સંઘ સાથે પણ જોડાયેલા રહ્યા. લાલકૃષ્ણ અડવાણીએ ૨૫ ફેબ્રુઆરી ૧૯૬૫ના રોજ કમલા અડવાણી સાથે લગ્ન કર્યા હતા. તેમના બે સંતાનો છે, જેમના નામ પ્રતિભા અને જયંત છે.[૧]
૨૦૧૫માં તેમને ભારતના બીજા ક્રમના સર્વોચ્ચ પુરસ્કાર પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા અને વર્ષ ૨૦૨૪માં તેમને ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.[૧][૨]
સંદર્ભ
[ફેરફાર કરો]- 1 2 "2015માં પદ્મ વિભૂષણ, હવે ભારત રત્ન…વાંચો અડવાણીની રાજકીય સફર". ચિત્રલેખા. ૩ ફેબ્રુઆરી ૨૦૨૪. મેળવેલ ૩ ડિસેમ્બર ૨૦૨૫.
{{cite news}}: Check date values in:|access-date=and|date=(મદદ) - ↑ "લાલકૃષ્ણ અડવાણી હવે ભારતરત્ન..." ગુજરાત સમાચાર. ૬ એપ્રિલ ૨૦૨૪. મેળવેલ ૩ ડિસેમ્બર ૨૦૨૫.
{{cite news}}: Check date values in:|access-date=and|date=(મદદ)