વાઘલધરા

વિકિપીડિયામાંથી
વાઘલધરા
—  ગામ  —
વાઘલધરાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°36′36″N 72°55′33″E / 20.610069°N 72.925858°E / 20.610069; 72.925858
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો વલસાડ
તાલુકો વલસાડ
વસ્તી ૨,૯૯૭[૧] (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૯૯૯ /
સાક્ષરતા ૮૪.૬૩% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન

વાઘલધરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલા કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક એવા વલસાડ તાલુકાનું ગામ છે, જે રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પર ચિખલી અને વાપી વચ્ચે તેમ જ ચિખલીથી દક્ષિણ દિશા તરફ આશરે ૧૨ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. વાઘલધરા ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા દૂધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે.

આ ઉપરાંત અહીં એક જૈન ટ્રસ્ટ દ્વારા કેન્સરના રોગની પંચગવ્ય આયુર્વેદ આધારીત ચિકિત્સા આપતું સારવાર આપતું કેન્દ્ર ચલાવવામાં આવે છે, જેમાં ૮૦ દર્દીઓને દાખલ કરી શકાય છે તેમ જ બાકીના દર્દીઓને દવા આપી ઘરે સારવાર લેવાનું સમજાવાય છે. આ પંચગવ્ય (ગાયનાં છાણ, મૂત્ર, દુધ, દહીં અને ઘી. આ પાંચ વસ્તુઓ વડે અપાતી સારવારને પંચગવ્ય ચિકિત્સા કહેવાય છે, જે સંપૂર્ણપણે આયુર્વેદ આધારીત હોય છે.) દર્દીને અહીં માત્ર ૧ રૂપિયામાં સારવાર મળે છે.

આ ગામથી નજીકનું હવાઇમથક દક્ષિણ દિશામાં મુંબઇ તેમ જ ઉત્તર દિશામાં સુરત ખાતે આવેલું છે.

તાલુકાનું ભૌગોલીક સ્થાન અને વલસાડ તાલુકાના ગામ

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Vaghaldhara Village Population, Caste - Valsad Valsad, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મેળવેલ ૨૬ ઓગસ્ટ ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]