અરણીયાળા

વિકિપીડિયામાંથી
અરણીયાળા
—  ગામ  —
અરણીયાળાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°25′02″N 70°13′44″E / 21.417116°N 70.228887°E / 21.417116; 70.228887
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જૂનાગઢ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

અરણીયાળા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારના જૂનાગઢ જિલ્લામાં આવેલા વંથલી તાલુકામાં આવેલું એક ગામ છે.[૧] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. ગામમાં મગફળી, ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલા, રજકો, લસણ તેમજ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે.

આ ગામમાં મગફળીમાંથી તેલ કાઢવા માટેના બે થી ત્રણ નાના ઘાણા પણ આવેલા છે. આ ગામમાં પ્રાથમિક શાળા,માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, સહકારી મંડળી, બેંક, પોસ્ટ ઓફિસ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. અને તેની વસ્તી આશરે ૨૫૦૦ છે. અહીં ધોરણ ૧૦ સુધી અભ્યાસ કરવાની સગવડ છે. પ્રાથમિક શાળાનું નામ પે. સેન્ટર શાળા, અરણીયાળા છે.

આવાગમન[ફેરફાર કરો]

આ ગામ જુનાગઢથી ૩૦ કિ.મી દુર છે. અહીં આવવા જવા માટે એસ.ટી. બસ તેમજ છક્ડો રીક્ષા નજીકના તાલુકા મથક વંથલી, કેશોદ અને જિલ્લા મથક જુનાગઢથી મળી રહે છે. આ ઉપરાંત રાજકોટ, જુનાગઢ, વેરાવળ, ધોરાજી અને પોરબંદરથી લોકલ ટ્રેન પણ મળી રહે છે, જે નજીકના સ્ટેશન લુશાળા સુધી હોય છે.

વંથલી તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "તા.પં.વંથલી, વેબસાઈટ". મૂળ માંથી 2013-06-28 પર સંગ્રહિત. મેળવેલ 2016-12-22.